Wednesday, August 18, 2010

તકતીઓ-ઉછામણી

 એમ નહિ.. જૈન ધર્મમાં એવું નથી કે તે પૈસદારજ પામી સકે. તે તો આત્મ ને ઓઢાખવા અને સામાયિક અને પ્રતિક્રમણ ના સસ્ત્રો વાપરવા માટેનો ધર્મ છે.આતો શું છે કે જૈનનો ને પોતાના નામ કરવાની બહુ નેમ હોય છે. તેમને ધર્મિષ્ઠ બતાવવાની ઘેલછા હોય છે અને એટલેજ આ આરતી, પક્ષાલ , ધૂપ પૂજા બધાની ઉછામણી બોલાય છે અને તાક્તીઓની લાલચે ચાલ્યા કરે છે. ભગવાને શું કહ્યું છે કે, આવી તકતી બની એટલે ત્યાનું, તે ક્ષેત્રનું ઋણાનુબંધ બંધાયું. તે ક્ષેત્ર તમને મોક્ષે ના જવાદે જ્યાં સુધી તે જીવતું હોય. મેર મુઆ આપડે તો બધાથી છૂટવું છે . હવે નથી બંધાવી તકતી અને નથી બોલાવવી ઉછામણી. પ્રભુ તો બધાના છે. અને પૈસા નહિ આવે તો બીજા મંદિરો નહિ બાંધીએ. આપડે તો કઈ આ મંદિરો નો ધંધો લઈને બેશવું છે ? કે તેની પ્રગતિના પ્લાન વાનાવીએ?


હું એવો મહારાજ સાહેબ નથી કે તમારા આ પ.પુ.ધ.ધુ, કે ધર્મધુરંધર, શાસન સમ્રાટ કે તીર્થ ઉદ્ધારક ના લેબલ માટે આના માટે પ્રેણના આપું. બસ હું તો, આ ચોમાંશામાં એક જ વાત કરીશ કે હે મુમુક્ષુઓ ગમે તેમ કરીને ...સંસાર ગમે તેવો ખારો હોય ...પણ તમે તમારા પોતાનું કલ્યાણ કરી શકો છો. 











તમારે ધર્મની, તેના કલ્યાણ ની ચિંતા કરવાની કોઈ જરૂર નથી, તે તેની રીતે ટકશે. તેણે બચાવનાર હું કે તમે કોણ? પોતાના કલ્યાણ માટે જે કરે તેજ ખરા અર્થમાં સ્વાર્થી બની સકે છે. જયારે જૈન નું એક દેહ્રાસર....... એક પણ તકતી વગરનું અને આરતી, પ્રભુ ના પ્રક્ષાલ સાર્વજનિક બનશે ત્યારે જ ખરા અર્થમાં "જૈન ધર્મ પૈસાદારનો " તેનું લેબલ જશે. અને તોજ પર્યુસન પર્વમાં ગાઠના ગોપીચંદ કરીને ગાલ લાલ રાખતા બચશે. અને તો તો પછી જે અહંકારી છે તે ક્યાં જશે તે મને ના પૂછશો ..


Q: આ બોલી અને ઉછામણી નો બીજો કોઈ માર્ગ છે ?

આ બોલી અને ઉછામણી પણ શાના માટે છે અને કેમ જોઈએ છે? દેહ્રસરનો વહીવટ તો સાધારણ ખાતા માંથી થાય છે દેવ દ્રવ્યમાંથી નહિ.
મેં એક દહેરાસર એવું જોયું જ છે જ્યાં આખા સંકુલ માં દાતા ની એક પણ તકતી ના હોય. એક પણ વસ્તુ માટે ઉછામણી ના બોલાતી હોય. અને બધા ને બધાજ અધિકાર કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર આપવામાં આવતા હોય. પ્રભુ ને લાડ કરવાનો બધાનો એટલોજ અધિકાર માન્ય રાખવામાં આવતો હોય. અને પછી જ કોઈ પણ પ્રકારના પ્રેફરન્સ વગરનો આત્મા ના કલ્યાણ નો માર્ગ ઉપલબ્ધ થાય છે .
જયારે મારા એક ખુબ નજીક ના કુટુંબી જે અમદાવાદ માં ઘણા દેહરાસરોનો વહીવાત કરે છે, ટ્રસ્ટી છે તેમને હું ત્યાં લઇ ગયો ત્યારે તેમની નજર ભગવાન ની પ્રતિમા ની નીચે ઉપર, ગભારામાં , દીવાલો ઉપર પગથીયા માં બધે ફરીવાળી.ક્યાય ટ્રસ્ટીઓ ના નામ નું બોર્ડ નહિ. ક્યાય દાન અહી લેવાય છે કે ભાગ્યસલી બનો ની સ્કીમ નહિ..પછી ધર્મશાળા માં ગયા ત્યાય દીવાલો ને કોરી ચટ દેખી. કોઈ ફોટા નહિ કે કોઈ તકતીઓ નહિ. કોઈ એંઠું મુકવાના સુત્રો નહિ. "કોઈ અવાજ ના કરશો" ના સ્લોગન નહિ. અને છતાય શાંતિ અને એન્ઠાનું નામ નહિ.
બહાર નીકળી ને મને તેમને એક જ સવાલ કર્યો: આ હજારો માણસ અહી આવે છે, તો અનો વહીવટ કેવી રીતે ચાલે છે?
મેં કહ્યું: બસ જેનું છે તે ચલાવે છે.
સંબંધી: તો કોનું છે?
મેં કહ્યું: સીમંદર સ્વામી નું..
સંબંધી: એમ નહિ મારે દાન લખાવું હોય તો, ક્યા લખાવવાનું?
મેં કહ્યું: અહી દાન માટેની કોઈ ઓફીસ નથી. એતો તમે પ્રસંગોએ આવો એટલે સમજી જાવ કે કોને પકડવાના દાન આપવા માટે. અહી દાન આપવા માટે કોઈ લેવા નથી બેઠા હોતા તમારે પકડવા પડે.
સંબંધી: મારે તેમને પકડવા છે..
મેં કહ્યું: તમે એવું શું કર્યું છે? શું લાયકાત છે કે જેના થી તમે તેને પકડી શકશો? ચાલો એક વર્ષ નો સમય નક્કી કરીએ તેમાં તમે દાન ની પહોંચ લાવી ને મને બતાવો.
પછી તે તાજ્જુબ થયી ગયા .. હવે દરરોજ તે માન ની ગાંઠના સામાયિક અને પ્રતિક્રમણ કરે છે .


No comments: