Wednesday, October 27, 2010

Sting operation on Jain guru Maharaj on net..

કીડીને બચાવનારા,અહી ભટકાય જાય છે સામસામા
તેના આક્ષેપ છે પથ્થરના,ને આ કાચનો દરબાર છે

મતલબ એ છે કે... જે વ્યક્તિ ઓ ને કીડી ને દેખીને બચાવવાની ચડ ઉપડે છે, જેઓને કીડી ને દેખીને અહીન્ષા ધર્મ યાદ આવે છે તેવા જ લોકોને સામે આખે આખો માણસ નથી દેખાતો, તેમની લાગણીઓ નથી દેખાતી અને જ્યાં ને ત્યાં સામે થી ભટકાય છે, ત્યારે તેને અહિશાનો કયો પ્રકાર ગણવો, અહી લોકો ધર્મના નામ ઉપર આખે આખું કોળું દાળ મા ઉતારી દે છે. ફેસબુક પર છેલ્લા ૨ મહિના થી જૈન ધર્મના નામે બહુ બધું જોયું છે ...ઘણું દેખ્યું છે.. જે પણ થયી રહ્યું છે તે બીજું કઈ હોય કે નહિ તે ભાડમાં જાય પણ અહિશા તો નહતી જ.
કોણે શું વાપરવું જોઈએ અને કોઈએ શું ના વાપરવું જોઈએ તે નક્કી કરવા માટે આખે આખે ધાડું ઉતરી આવ્યું છે. શાશન ને અને કહેવાતા ગુરુ ભગવંતો ને લાઈનમાં લાવી દેવાના ધખારા લઈને એક આખું વાવાઝોડું આવી ગયું છે.. લાગે છે કે ખરી ફાઈરટેસ્ટ આવી ગયી છે.. 
ધર્મની બહુજ સેન્સીટીવ શીશા જેવી દીવાલ ને એક ઘશરકો પણ આખે આખી દીવાલ ને ધ્વસ્ત કરી નાખે છે ત્યારે અહી આક્ષેપ કરનારા ઓને ખબર નથી કે તેમને હાથમાં કેવા પથરાઓ ઉપડ્યા છે.. 
મેં અહિંસા ના પુજારી જૈન મુનિઓને અહી માફિયા ગેમ મા ધડાધડ ગોળીઓ છોડ તા દેખ્યા અને તેમની અહીન્ષા ની તૃપ્તિ કર્તા દેખ્યા છે ...
જૈન ગુરુઓ હજી નાદાન છે ".. ટેકનોલોજી માટે" ...તેઓને ખબર નથી કે આ કેવી ધક્ધક્તી આગ ઝરતી લાઈન છે. તેમને એ ખબર નથી કે આ ટેકનોલોજી તમને કેવા નાગા બહાર પડી સકે તેમ છે.
અમારી ટેકનોલોજી ટીમ, સાઈબર સ્પેસમાં એથીકલ હેકિંગ નું કામ પણ કરે છે એટલે, મારી પાશે એક TV ટીમ આવી હતી કે જેને જૈન સમુદાય ના સાધુ સાધ્વીઓ નેટ પર શું કરે છે તેની એક પ્રોફાઈલ બનાવવી હતી અને તેનું સ્ટીંગ ઓપરેશન કરવું હતું. તેઓ એ કહ્યું કે અમારે ફક્ત જે પ્રોફાઈલ મા નેગેતીવ્સ હોય તેજ જોઈએ છે અને એક પ્રોફાઈલ માટે ની રકમ માર્કેટ ટેગ કરતા ઘણી ઉંચી હતી. મને આવી બાબતો મા રસ નહોતો એટલે મેં નાપાડી પણ તેમને મને છેલ્લે બીજા કેટલા લોકો આ કામ કરે છે તેનું લીસ્ટ બતાવ્યું છે.
તેમની પાછળ કોનો હાથ હોઈ સકે ..શાસન પ્રેમીનો કે શાશનના વિધ્ન સંતોશીઓનો? મને લાગે છે કે ગુરુ ભગવંતો એ સમજી જાવું જોઈએ કે કોઈ ટ્રોજન હોર્સ તમારા મા ઘુસી ગયો છે
જોકે એક વાત એ પણ છે કે આ ના પરિણામે એ પણ ખબર પડી જશે કે કોણ કેટલા પાણી મા છે 

પણ શું આ જરૂરી છે.... ?
P.S. I think we should manage a class for Jain guru for how to keep their profile activity secrete and how to maintain privacy, as i think they need it severely because no such technocrat has taken till diksha. 
   

Sunday, October 24, 2010

ઋષિમુનીઓ Scientist હતા કે Scientists ઋષિમુનીઓ

બીજે, લાખો,વખાણે છે,તેવા માલનો મારો વેપાર છે 
અહી બસ્તી છે જૈનોની ને મારે ડુંગળીનો કારોબાર છે..
ભવોના સ્વરૂપનું,જેમાં ક્ષણભરમાં થાય ભાન,એવા 
આ નગરી છે અંધોની ને,આયનાઓની, દુકાન છે 
કીડીને બચાવનારા,અહી ભટકાય જાય છે સામસામા    
તેના આક્ષેપ છે પથ્થરના,ને આ કાચનો દરબાર છે

જેમ જેમ વિજ્ઞાન ની નવી શોધ થાય તેમ તેમ કેટલીક કપોલ કલ્પિત લાગતી ધાર્મિક વાતો સાચી પડતી જાય છે. અને આપણે કહીએ છીએ કે એ વખતના ઋષિમુનીઓ તો scientist હતા તેમને આટલા વર્ષો પહેલા આવું જાણી લીધું હતું. આપણે તે વખતે આપણાં ધર્મગ્રંથોની વાતો ને ઢોલ નગારા સાથે ગાઈ વગાડીએ છીએ. પણ આજ મુદ્દા પર, આજના scientist ને એજ ઋષિ મુનીઓ ની લગોલગ બેસાડી નથી સકતા. આજ scientist જયારે નવી વાત બહાર પડે છે ત્યારે તેમના વખાણ નથી કરી સકતા. કેપ્લેર હોય કે ગેલેલીઓ તેઓનીય, તેમના જ વખતના ધાર્મિક વડાઓ એ પત્તર ફાડી હતી. જાણે અમારી એક વાત scientist  સાબિત કરે એટલે આખે આખું કોળું દાળ મા ઉતરી ગયું તેવું માણીએ છીએ. આજ વૈજ્ઞાનિકો ની વાત પછી કોઈ બીજો વૈજ્ઞાનિક અલગ સાબિત કરે ત્યારે "... જોયું બધાય આવા જ છે ..." ની કથા મા આપડે ય સ્વાહા સ્વાહા કરવા ઉતરી જઈએ છીએ.
આજના scientist  ને ઋષિનો દરરજો કોઈ આપે કે નહિ તેની કોઈ પડી નથી હોતી. તે તો પોતાની ધૂન મા ચાલ્યા જ કરે છે. અહી ધર્મના નામે હજીય ખીચડી પકવનારા છે. મહાવીર ને એક microbialogy ,કોસ્મિક થીઅરી કે ફીસીક્સ ના scientist  કહેવું ખુબ સારું રહશે પણ એનો અર્થ એવો નહોતો કે તેમની બધીજ થીઅરી સચીજ પડે. તેમને કરેલી કેટલીય વાતો તે વખતના સંદર્ભ મા સાચી હતી. તેમને જેટલું દેખ્યું તે કહ્યું.. જેવું દેખ્યું તેવું કહ્યું. તેમને એવી કેટલીય વાતો એવી છે કે જે નહોતી કરી અને આજના વિજ્ઞાને તે કહી છે સાબિત કરી છે અને તે વખત ની કેટલીય વાતો જો આજના વિજ્ઞાને જુઠ સાબિત કરી હોય તો પાછા દિમાંગ ની કઢી થયી જાય તેવા ઉલટા તર્ક વિતર્ક લગાવીને તેને નજર અંદાજ કરવાની શાહમૃગ વૃતિ અપનાવી લઈએ છીએ.
હજી આજેય પૃથ્વી ચોરાશ જ છે તેવું માનનારા ની કમી નથી. હજી આજેય electronic  ચીજોને અછૂત સમજનારા લોકો છે. Ro  વોટર નેય ઉકાળીને પીનારા છે. મહાવીર ના જ microwaves સિદ્ધાંતને અનુંશરીને બનાવવામાં આવેલા મોબઈલ ફોન મહાવીરના જ પંથ પર ચાલનારા, અપનાવા દેવા તૈયાર નથી.
સટાક:

અરીહંત અને તીર્થંકર બે જુદા સબ્દો છે.બધા કેવ્ળીઓ અરીહંત કહેવાય, બધા અરિહંતો, તીર્થંકરો નથી થતા. નમો અરીહંતાણમ એટલે શું તે ખબર પડી ..? 

Saturday, October 23, 2010

આજ્ઞામા રહેવું તેજ પુરુસાર્થ..............

Dear Shefal,


ઓહો હો .....વાહલા ....તું તો હવે રંગે ચઢી ગયો ....તને તો હવે રંગ ચઢવા માંડ્યો ....વાહ ....
તારા પત્ર માંથી આવતી સુગંધ હવે મનેય કેફ ચઢાવે તેવી છે...બસ, આ જ પામવા માટે જન્મ લીધેલો છે તેવું લાગે એટલે વિપુલ અને સેફાલ સફળ. 
મમી પાપા પામ્યા તેતો, તે નિમિત્ત બનીને તારું ઋણ પૂરું કર્યું કહેવાય..
પૈસા નો લોભ તે જાણ્યો ...તે તો સેફાલ નોજ છે તે પણ જાણ્યું જ હશે...અને તે તો હોય જ.. વ્યવહાર અહ્નાકાર નો એક ભાગ જ છે. તેના થી ડરવું નહિ... તેનો સામનો પણ કરવો નહિ... તેને બસ જાણવો... પૈસા કોઈ કાળે ખરાબ નથી હોતા...તે તમને એવી શાંતિ આપી શકશે કે જેનાથી સંસારિક કાર્યો વહેલા પુરા કરીને પોતાના માટે સમય બચાવી શકાશે. બહુજ પૈસા કમાઈ લો એક માસ્ટર બનીને ... હા પૈસા માસ્ટર બની જાંય તો વાંક તમારો છે....તમારા લોભ નો છે.
મેં ઘણા કમાયા છે, મેં બહુ બધા ને સમય આવ્યે વેતરીય નાખ્યા છે, એટલે હવે આજે મને સમય મળે છે, અને લોકો કહે પણ છે કે "..સો ચૂહા મારકે બિલ્લી ચલી હજ કરણે કો.." મારી મીનીમમ જરુરીઅતો ને પહોંચી વાળું છું... છતાય પૈસા તો કમાઉ જ છું. પણ, હવે કષાય રહિત કમાઈ સકું છું. કારણકે મારી પાશે કષાય કરીને ય કમાવવાની જરૂર નથી રહ્યી.
પૈસા કમાવવા તે ગુનો નથીજ,તે ગુણછે. તે બહુજ હેલ્પફૂલ છે... દોષિત જાણવું નહિ... દિપકભાઈ ત્યાં આવીને તમને મળી શક્યા તેની પાછળ કોઈકે પૈશા કમાવા માટે કરેલી મહેનત જ છે... ભલે તે ડોનેશન થી આવ્યા હોય કે સંસ્થા એ પોતે કમાયા હોય... બલ્બનું કામ પ્રકાશ આપવાનું છે.. તેના પ્રકાશમા તમે સાધના કરો...કે તીનપત્તી રમો ....બલ્બ નો કોઈ વાંક નથી ...
વધુમાં, ક્યારેય પૈશા છોકરાઓમાટે કમાઈએ છીએ તેવો દોષ ના રાખવો, અને તેની આડમાં પોતાને છુપાવવી નહિ. દરેક વ્યક્તિ પોતાના માટેજ કમાય છે તેવું ધ્યાન રાખવું. પોતાની વૃતિઓનું ઉપરાણું લેવું નહિ. છોકરાઓ એ કહ્યું નહોતું કે મને જન્મ આપો..એ આપણાં જ નિર્ણયનું ફળ છે...તે જાણવું... હવે તે નર્ણય ની જવાબદારી લેવી તે વ્યવહાર છે. અને વ્યવહાર પુરા કર્યા વગર મોક્ષ નથી.
આત્માનો ઉપયોગ ક્ષણ માટે રહ્યો નથી તેવું સામાયિક મા જાણીને રડી પડાય છે તેવું તે લખ્યું, તે વાંચીને તો હું પણ ધન્ય થયી ગયો... તેજ તો છે નિર્જરા..વાહલા, પ્રભુ મને પણ આવી શક્તિ આપે... 

આજ્ઞામા રહેવું તેજ પુરુસાર્થ
_____________________________________________________________________________________
jsca vipulbhai

Hu always facebook par tamara messages vanchato hato , jyare tame face book mathi quit thavanu kahyu tyare mane kai surprise thayu pan pachhi samajayu ke jarur kai reason hovu joie. ane te reason mai bahu vicharu, ane janyu. 

hu haju dada ni primary ma pan nathi avyo, kai karya no garv ras avi jay chhe, samaj set karavathi thodu khankheri nakhu chhu pan jyare nathi pamatu tyare dada na phota same raadi paday chhe.  paisa no lobh jato nathi ane agna ni bahar javu nathi. gani var dhyey vagar ni life lage chhe. paisa na lobh pan pachho potana chhokara mate/


Ek sari vastu mali gai chhe, sankat ma dada pase thi shakti magu chhu.

Kale mare ghare satsang hatu , mara pappa mummy pachha india jay chhe etale rakhyu hatu. topic hato panch agna jania gnani kane.

te vat no anand chhe ke mara mummy pappa kai pan nahotu janata , te loko ahi avi ne bahu pamya. mari mummy kahe chhe ke mara life na bakina varsho sudhari jashe. mai kahyu sudhari gaya have/


tamari sathe phone par bahu vat karvi chhe , jarur phone karish.

jsca.
shefal 

Saturday, October 16, 2010

મિચ્છામી દુક્કડમ

સવાલ: પર્યુષણ માં આપણે જે મિચ્છામી દુક્કડમ કરી એ છીએ તેવી માફી દુનિયાના કોઈ ધર્મ માં નથી. આવી રીતે ખુલે આમ માફી માંગ્યા પછી પણ વેરઝેર કેમ ઓછું નથી થતું?

જવાબ: એતો સાલમુબારક કરતા હોઈએ એવી રીતે માફી માંગીએ છીએ એટલે. બાકી એવું એક પશ્ચ્યાતાપ પણ થાય ને તો ભવોના કર્મો ખપી જાય અને કેટલીય ગાંઠો પીગળી જાય. ક્યારેય કોઈ સામાયિક વખતે એવું થયું છે કે કોઈ એક ગુનો યાદ આવીયો હોય અને તેને પોક મુકીને રડીને પશ્ચ્યાતાપ કરવાનું મન થયું હોય? આ કર્મોની કુદરત છે, તે અહી તારું હાજરીપત્રક લઈને પગાર આપવા નથી બેઠું. જેણે જેવું કર્યું તેનું તેવું બધાયું અને જેણે છોડ્યું તેનું છૂટ્યું. વેરઝેર ઓછું નહિ સમૂળગું કાઢી નાખવા માટે નો ભવ મળ્યો છે. ચેત મછંદર. 

સવાલ: તમને સાંભળીયે છીએ ને તો મન ને આમ શાંતિ મળે છે, આત્મા ને જંપ વળે છે. આવું જ્ઞાન મળે એટલે બસ હવે ઉદ્ધાર નજીકમાંજ છે તેવું લાગે. 
જવાબ:ખોટું, બિલકુલ ખોટું, ભૈ આને જ્ઞાન ના કહેવાય આ તો બે ઘડી મનોરંજન કહેવાય. આનાથી આત્મા ને કઈ લેવા દેવા નહિ. સાચું જ્ઞાન લેવું હોય તો અહી નહિ.. પેલા જ્ઞાની પાસે જા. આ તો મનોરંજન કહેવાય, અલખની રંજન નહિ. આત્માનું તને બધું સમ્જાડી દેશે. મારાથી કોઈનો ઉદ્ધાર ના થાય. હું જ બીજે આંગળી ચીંધુ છુને. આતો નાટકના ડાઈલોગ કહેવાય. બાકી જ્ઞાની ના સબ્દોમાં તો કાનો માતર પણ ના બદલાય. 



Novel: Lend Me thy moksha

TRAFFIC SIGNAL

1. H .L . college ક્રોસ રોડ પર દેખેલી હકીકત.
તીન્ડોડા અને ભીંડા ના ભાવ વધ્યા પણ ટ્રાફિકના નિયમોનું પાલન ના કરીને લોકોના જીવને જોખમ માં મુકતા હરામખોરો ૫૦ રૂ. આપીને છૂટી જાય છે અને પાછો નિયમ એટલે નિયમ બોલે છે ને પહોંચ વટભેર ફડાવે છે . બોલો એક નિયમ ના ભંગ બદલ રૂ. ૫૦૦૦ દંડ કરવો જોઈએ કે નહિ. ? જેમને નિયમ પડવો હોય તેજ બોલે.. બાકીના ના જવાબ ની ખબર છે 


2. બે કાયદા લાવી દેવાના ...
1.રોંગ સાઈડ માં અક્સીદેન્ત થાય તો મેડીક્લીમ કે વીમા ની કોઈજ રકમ ના મળે. 
2.રોંગ સાઇડમાં ચલાવનાર ને કોઈ પાળી દે તો ય તેની ઉપર કેશ ના થયી સકે .


3. ભીંડા ના ભાવ કરતાય ટ્રાફિકના નિયમો તોડવા સસ્તા છે. હમણાં જ મળેલી માહિતી,ભારતમાં મોટા ભાગની અક્સીડ્ન્ત વીમા કે જીવન વીમા ની કમ્પનીઓ એ અબજો રૂ. ના કલેઈમ ટ્રાફિક ના ભંગ કરીને મૃત્યુ પામેલા વીમાધારકોના રીજેક્ટ કરેલા છે. એક ખુબજ સારી નિશાની પણ આ સંદર્ભે લોકોને educate કરવાની વીમા કંપનીઓ આગેવાની લેવા તૈયાર નથી. ચાલ્લો આપણે લિયે.


4. અમદાવાદી પાસે CRV હોય ને તોયે ૫ રૂ નું પેટ્રોલ બચાવવા ૧ કિલોમીટર રોંગ Side માં કાર ચલાવશે.


5.પાત્રતા વગર ની માંગ ઝોખમ ઉભું કરે છે.. એ તો ભગીરથ સિવાય કોણ જાણી સકે ..? માંગતા માગી લીધી ગંગા ... પણ ઝીલશે કોણ... ? તે પછી શિવજીને ભૈબાપા કરવા જવું પડ્યું... તું મર્સિડીઝ માંગીશ તો તેના માટે નું પેટ્રોલ તારો બાપ કમાશે ? 

6. બંધુ કામે જવા એકતો છેલ્લી ઘડીએ નીકળશે. વચ્ચમાં ૧૦ મિનીટ દેહ્રાસરમાં વિતાવશે. અને પછી એ ૧૦ મિનીટ ને કવર કરવા અખ્ખા રસ્તે ૧૦૦ વખત હોર્ન મારશે, ૫૦ વખત ઓવરટેક કરશે અને ૨૫ વાર રોંગ side માંથી ઓવરટેક કરશે. અને ૧૫૦ જણની ગાળો ખાશે. ઓફિસે તોયે મોડો પડશે તો વાંક ટ્રાફિક નો કાઢશે. મોક્ષ તે આવા ઓનો કઈ શંભુ મેળો છે?

7. ટ્રાફિક ની વ્યવસ્થા અહી કેમ જળવાતી નથી? 
૧. ટ્રાફિક પોલીશ કે સિગ્નલ ની મીકેનીઝમ કથળી ગયી છે. અથવા,
૨. રસ્તાઓ ની સીસ્ટમ જ ટ્રાફિક વધારે છે. 
૩. હું તો ટ્રાફિક નિયમોનું પાલન કરવા માંગું છું પણ મારી બાજુમાં બધા ના પાળતા હોય તો હું પીપુડી વગાડું? 
૪. તીન્ડોડાના ભાવ વધ્યા પણ હજી સિગ્નલના ભંગ માટે ૫૦ રૂ. દંડ હોય તો શું થાય?  એક દંડ ના રૂ. ૫૦૦૦ કરી દો. 
૫. પછી ટ્રાફિક પોલીશ મોટા તોડ કરવા માંડશે, તો ભલે કરતા એતો ભૂલ કરશે તેની પાશે થીજ કરશે ને તમે કેમ બીવો છો? 
નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો 

Friday, October 15, 2010

ટોપી વાળો

.. ટોપી વાળો part ૧:
એક વાર ટોપી વાળો ટોપી વેચતા વેચતા થાકી ગયો. એક ઝાડ ની ઘટામાં આરામ કરવા બેઠો અને થોડી વાર માં સુઈ ગયો. ઝાડ ઉપર વાંદરાઓ હતા. તેમણે ટોપી નો થેલો દેખ્યો. તેઓ નીચે ઉતરીને એક પછી એક ટોપી લઈને ટોપી વાળા ની નકલ કરતા ટોપી માથા પર પહેરી લીધી. ટોપી વાળો ઉઠ્યો ત્યારે બધી ટોપીઓ ખલાસ. એને એના બાપુજીની વાત યાદ આવી.

તેને ટોપી જમીન ઉપર ફેંકી દીધી.તો એક વાંદરો આવી એ ટોપી પણ લઈને ઉપર જતો રહ્યો.
ટોપી વાળો માથુ ખંજવાળતો રહ્યો. ત્યાં વાંદરાનો સરદાર નીચે આવીયો અને ટોપી વાળા ને લાફો મારતા કહ્યું.
"તારા બાપા તને કહીને ગયા તો મારા બાપા નહી કહી ગયા હોય .... !! "

વાર્તા શાર: હાર કે જીત નો રસ્તા ક્યારેય same નથી હોતો. જીતનારો મદમાં ભૂલી સકે, અને હારેલા ભૂલ સુધારી સકે છે

Don't think that success will come on the same way ... actually that way is consumed..

મારા જ બેસણામાં મારી રાહ જોવાતી હતી ...

ફેસબુક ના ઝરુખે ઉભા રહીને મેં તમારી રાહ જોઈ છે..
જી-મૈલ ના કાગડાઓની વણથંભી સંભાળ જોઈ છે
લોકો "વર્ચુઅલ.છે"."વલ્ગર છે" કહીને પંચાત કરે છે
જીવતાજ આ વર્ચ્યુઅલ બેસણાની મેં દાદ જોઈ છે


હું તમારા બધા નો બહુજ બહુજ આભારી છું. મને તો એમ જ હતું કે,

મારી હસ્તી,જાણે એવી રીતે ભુલાઈ જશે
આંગળી કાઢું પાણીમાંથી ને જગ્યા પુરાઈ જશે ..

આજ પ્રકારનો પ્રેમ મને જીવન ભર આપ સૌનો મળતો રહ્યો છે. સન ૨૦૦3 માં જયારે મેં એક શિક્ષક તરીકેના વ્યવ્શાયમાંથી અચાનક નિવૃત્તિ જાહેર કરી ત્યારેય મને ૫૦૦ થી અધિક CA ,Cs , ICWA , CFA ના વિદ્યાર્થીઓની આવીજ ભાવભીની વિદાય મળી હતી. એક શિક્ષક માટે આનાથી મોટી કોઈ સિદ્ધી નહિ હોઈ સકે તે મારા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક થી ઉતરતી નહોતી.


ત્યાર પછી શિક્ષક તરીકે ના જે પંતુજી ફંડા હું ભણાવતો હતો તેના ટેસ્ટીંગ માટે હું પ્રેકટીશમાં ગયો.ત્યાં ટેકનોલોજીના માધાંતાઓ સાથે ઈમેરજીંગ ટેકનોલોજી માટે કામ કરવા મળ્યું.. પછી તે ICICI , Gartner ,હોય કે Students from Harward i,Bostan , Yale Uni, CHF International , સાથે એવી ટેકનોલોજી માટે કામ કર્યું કે જેના પાયા પર આજે સમાજનો નકશો બદલાઈ રહ્યો છે.. ૨૦૦૬ માં જયારે મેં ૧૫ દિવસ પહેલા મારી નિવૃત્તિ જાહેર કરી ત્યારે હું ટેકનોલોજી ના સાતમાં આશમાન પર હતો. પણ એ ક્ષણ આવી ગયી હતી મારી આંખમાં આંશુ હતા કારણકે ૭૦૦૦ બહેનો અને અમારી ટેકનોલોજી ટીમ ના પ્રેમ ને છોડવું બહુ અઘરું હતું,

ત્યાર પછી શરુ કરી international કેરીઅર તદ્દન જ નવી ભોમ પર, તદ્દન નવજ પડકારો, ૨૦૦૯ સુધી એવા કેટલાય પ્રોજેક્ટ પર કામ કરવાનો અવશર મળ્યો અને નવા નવા દોસ્ત,અને તે નવી દુનિયા ના દોસ્ત ફિલિપિનો, સિરિયન, લેબેનિયન, અમેરિકન, ઈરાનીઓ, ઈરાકીઓ, અફઘાનીઓ, પાકિસ્તાનીઓ ઓસ્ટ્રેલિયન, રસિયન જાત જાત ના અને ભાત ભાતના લોકોની દોસ્તી વચ્ચે જાત જાતના અને ભાત ભાતના અનુભવો થયા. મારો મક્ષદ એક જ હતો કમાવવું... અને કમાયો ..

જયારે ૨૦૦૧૦ માં ભારત પાછો આવ્યો ત્યારે એક વખત એવી લાલચ થયી આવી કે વિસા કેન્સેલ ના કરવું, કદાચ ભારતમાં હવે મને ગમશે કે કેમ ...પણ નાક્કીજ કરી નાખ્યું કે કેન્સેલ....હવે તો આજ કર્મ ભૂમિ ..

૨૦૦૭ થી મેં આ ફેસબુક પર મારી યાત્રા સારું કરી ..શરૂઆતમાં કોઈ ઉદેદેશ હતો નહિ બસ ગપાટા મારવા બીજું શું.. પણ ધીમે ધીમે અહી લોકોના પ્યાર મને પ્રોત્શાહન આપતો રહ્યો ..કઈ કેટલાય લોકો ને હું જીવન માં એક વાર પણ મળ્યો નહોતો તેમની કોમ્મેન્ત માટે હું રાતોના ઉજાગરા કરતો થયો ...કેટલાય ની કોમેન્ટ ની રાહ જોઇને હું નિરાશ થયો ..કેટલાય ની જોડે રીશામના - મનામણા થયા ...આવું કેમ થયું ...જો આ બધા વર્ચુઅલ જ હોય તો હકીકત માં આવું કેમ થયું ..

આજે ફરીથી એ ક્ષણ આવી ગયી છે ..ખબર નથી next શું છે? પણ અત્યારે તો એટલુજ કહીશ કે આવું જલ્વંત તો કદાચ મારું બેશનું પણ નહિ હોય ... આભાર બધાનો ..હું અહી મારું એકાઉન્ટ ડીલીટ નથી કરતો પણ હા આય મારું ઘર જ છે .. વિકેન્ડ હોમ તરુકી જરૂર ચાલુ રાખીશ ... આ પણ મારી એક પ્યારી દુનિયા છે ...તેનો અહેસાસ તમારા પ્રેમે કરાવી દીધો છે... બસ, આજ મારો જવાબ છે જે મને મળ્યું છે તે સર્વ લોક પામે 



spitting.....
૧. ક્યારેય એવું ના વિચારતા કે સફળતા એજ રસ્તેથી ફરીથી મળશે.. હકીકતમાં તો તે રસ્તો તો વપરાઈ ગયો છે. 
૨. ક્યારેય દલીલ કરતી વખતે બરાડા ના પાડવા, હકીકતમાં, સામેની દલીલોથી તમે હલી ગયા છો તે દર્શાવે છે.  : નવલકથા મને મોક્ષ ઉછીનો આપો  

Thursday, October 14, 2010

શાકાહારી movement

ભાઈ, આ શાકાહારી movement  એક બાજુ ચાલુ થયી છે. તેના વિષે પણ લોકો બોલશે કે નહિ. જે દિવસે દુનિયાના ૩% લોકો માંશાહારી માંથી શાકાહારી બનશે ત્યારે જ  આ શાકાહારી મૂવમેન્ટ ચલાવનારા ડોબાઓ ને ખબર પડશે કે તેમણે કેવડી મોટી ભૂલ કરી છે. આપણે શાકાહારી છીએ તે કેવડી મોટી લક્ઝરી છે તે જ છીન્વાયી જશે. લોકો ને માશાહાર કરવો હોય તેમને કરવા દો. તેને મોક્ષ સાથે કોઈ જ લેવા દેવા નથી. બીજા ના માંશાહારથી તમારો મોક્ષ ક્યારેય નહિ બગડે તેની ગેરેંટી મહાવીરે ભૂલમાં ના આપી હોય તો હું જવાબદારી લઉં છું. કંદમૂળ ખાવા હોવ તો ખાવ અને ના ખાવા હોવ તો ના ખાશો.

મુખ્ય ચીજ છે જાગૃતિ..સાત્વિક ભોજન તમારી જાગૃતિ વધારશે ..અને તે તમારા આત્મજ્ઞાન ના રસ્તે મદદરૂપ થશે. આમ બીજા ની પંચાત ના કરશો. જીવો અને જીવવા દો  "તમને કહ્યું છે.. "  "...તમારે કહેવાનું નથી", તેવું કહેવાની જવાબદારી અને જોખમ બહુ મોટ્ટું છે કેટલાય ભવોના પુણ્યનું નિયાણું કરવાની તાકાત રાખવી પડશે. તે બધાજ ખેલ પુદગલ ના છે .પુદગલ પુદગલ ને આકર્ષશે. તમે વચ્ચે તમારો પુરુસાર્થ રાખજો કે મારે નિમિતે કોઈ જીવમાત્ર ની હિશા ન થાય. શાકાહાર થી જે જાગૃતિ આવે છે તે પછી બીજા શું કરે છે તેના ડોકાચીયા કાઢવામાં અને ચોતરે ચૈદાશ્યું કરવામાં વાપરી નાખે છે.    

જગતના ખાલી ૩% લોકો પણ શાકાહારી બની જશે ને તો કુદરતના બેલેન્સ માં ઓઝોન કરતાય મોટું ગાબડું પડી જશે. તમને ખબર નથી કે તમે તમારા પગ ઉપરજ કુહાડો નહિ, આ સમગ્ર "જાતિ.." ના મર્મ સ્થાને સુતળી બોમ્બ ફોડી રહ્યા છો. થોડા સ્વાર્થી બનો. આમ પરાયા બને કેમ ચાલશે ... ?  

Novel: Lend me thy moksh