Thursday, September 22, 2011

મારી લેબોરેટરી

અહી લખવું એ હમેશા મારા માટે એક પ્રયોગ શાળા જેવું બની રહ્યું. એક શાંત સરોવર ના પાણી માં કોઈ એક કાંકરો નાખે અને તેના વમળો કેવા સર્જાય છે ???તેના કદ, દળ , ઘેરાવા, તરંગ લંબાઈ વગેરેના તાગ મેળવીને હું મારી જાત ને મઠારતો રહ્યો છું. આ એક એવી પ્રયોગ શાળા રહ્યી કે હું મારા એક સેમ્પલ ના,કોઈ એક નહિ પણ અનેક સ્ત્રાતાઓ ના પોપ્યુલેશન પર ટેસ્ટ કરીને તેના પરિણામો જાણી શક્યો છું. અને તે પણ આપના જેવા હાજર એક્ટીવ , તીખા, તમતમતા તરંત રોકડું બોલી કે પરખાવી નાખનારા લોકોના પોપ્યુલેશન માંથી બનેલા સ્ત્રાતા ને સામે મને આ તક મળી. 
આજે હું જયારે પાછળ વળીને એક વાર હું મારી ખુદ પર નજર કરું છું ત્યારે મને અનહદ આનદ વર્તાય છે કે આપ સૌના સાથથી, આ ફેશ્બૂકના ઓટલે હું કેટલો જલ્દી થી ઘડાઈ ગયો છું.
મારો સ્વભાવ શરૂઆતમાં બહુ બધા ની સાથે હૈશે-હઇશો કરવાનો રહેલો.ત્યાર બાદ, એક અલગ ચીલો પાડનારો વર્ગ દેખ્યો એટલે પછી હું પણ તેને રવાડે ચઢ્યો. અને લોકો ની લાગણીઓની દુખતી નશ દબાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. આમાં મને ઘણા લોકોની શહનુંભુતિઓનો પરિચય પણ થયો.
હું ઉશ્કેરાયો વધુ તીખા/મસાલાવાળા સ્પાઈસી લખાણો લખવા લાગ્યો. અને જાણ્યું કે લોકો ગળ્યું ખાવા કરતા તીખાના શોખીન છે. પછી તો આપને હાંક્યે રાખ્યું.

આજે, પર્યુષણ ના પર્વની આંઠ આંઠ સામયિક અને આંઠ આંઠ પ્રતીક્રમનો ની મારી પોતાની લેબ માં જયારે મારા ખુદના "બ્લડ" સેમ્પલ ચેક કર્યા ત્યારે ખબર પડી કે લોકોને તીખું ખવડાવવાના શોખમાં હું પોતે પણ તેજ રોગ નો ભોગ બની ચુક્યો છું. લોકો તો મારી લારી એ "તીખા મશાલા" ખાઈને તે "દાળના" જે સડાકા બોલાવતા હતા તેમાં જ મેં મારી "રશોઈની" કાબેલિયત માની લીધેલી. અને તે જ "દાળના" મેંય સડાકા બોલાવવા ચાલુ કર્યા ત્યારે ખબર પડી કે મેં, મને-ક-મને મારી "હોજરી" પર બહુ અત્યાચાર કર્યો છે.
દોસ્તો, મને માફ કરશો. મને ખબર છે કે મેં ઘણી વાર, તમને પણ મારા તે "સ્વાદની" અડફેટે લીધા હશે.

મગજ નું કાર્ય

કાલે એક ગુરુ ના પ્રવચનનું સ્વપ્ન આવેલ , પૂરું યાદ નથી પણ થોડોક ભાવાર્થ :
________________________
આપણો કોઈ પણ વસ્તુ કે પરિસ્થિતિ પર નો પ્રતિભાવ એ આપણા મગજ માં રહેલા અનેક મંતવ્યો નો સમૂહ છે. આ મંતવ્યો ના સમૂહ માંથી એક એક મંતવ્યોની એક જોડ બને છે અને તેમાંથી એક ઓપિનિયન બને છે. ઉ.દા.
આપણા મગજના ત્રણ સમૂહો નું ઉદાહરણ લઈએ.
એક આકાર સમૂહ
બીજું કલર સમૂહ.
ત્રીજું પ્રકાર સમૂહ
હવે એક આકાર સિલેક્ટ થાય -> ગોળ
બીજા સમૂહ માંથી કલર સિલેક્ટ કરીએ -> લાલ ચટ્ટક
ત્રીજા સમૂહ માંથી પ્રકાર સિલેક્ટ થાય -> શાકભાજી
હવે આ ત્રણેય ને ભેગા કરીને, આપણું મગજ મ્ત્રીક્સ બનાવશે અને જવાબ આવશે ... ટામેટું ...
જો ત્રીજા માં ફળ હોટ તો સફરજન ,નાશ્બેરી ...વગેરે ... જવાબ આવે
આ જવાબો આપણે મગજ ને,રોજબરોજ ના અનુભવોથી, જેવા મેટ્રીક્સ બનાવવાનું શીખવ્યું હોય તેના અનુંશાન્ધાને થાય છે.

આવીજ રીતે આપણું મગજ, આપની આસપાસ ની વ્યક્તિઓ વિષે જુદાજુદા સમૂહ માટે ના મંતવ્યો બાંધતું હોય છે. અને તેના મેત્રીક્ષ બનાવીને ઓપિનિયન બાંધતા રહે છે. જો મંતવ્યોની જોડ ખોટી હોય તો પછી બધુજ ખોટું થયી જાય છે.

રાજા ભોજ



કવિ રાજ :
હે....ઈઈઈઈઈઈઇ.....હે .
સુખી છે પંખીઓ,સુખી છે પ્રાણીઓ,સુખે ખેતર લહેરાય..
રાજા ભોજ જ્યાં રાજ કરે,છાયતળે,મજેથી વાગોળે ગાય..

રાજા ભોજ: કવિ રાજ, કઈ જામતું નથી ... આમાં પહેલા જેવા દમ નથી દેખાતા ...
કવિ રાજ : મહારાજ, ક્ષમા કરજો, આપનો આશ્રય લીધો છે,ત્યારથી કવિ રોજ રોજ પિંજરામાં મરે છે.. એક આશ્રિત કવિ શું કહે ... મહારાજ ને ઘણી ખમ્મા...
રાજા ભોજ: તો આજથી તમારા કવિના પંખી ને છુટું કરું છું. હવે લલકારો ...

કવિ રાજ:
હે....ઈઈઈઈઈઈઇ.....હે ...
પંખીઓ તરફડી મરે,પ્રજા ભરચોકે લુંટાય
રાજા ભોજ ક્રીડા કરે,પ્રજા બે આંખે દબાય
હે....ઈઈઈઈઈઈઇ.....હે ...
અબળાના અછોડા છૂટે,ઘર તાળા તોડી લુંટાય
રાજા ભોજ જલસા કરે,પ્રજા અંધારે મુરઝાય...

પાઘડી કે ટોપી ..



ટોપી,પાઘડી એટલે શું?
જુના જમાનામાં રાજાઓ મુગટ પહેરતા અને મુગટ પહેરવા માટે વાળ પણ વધારતા જેથી મુગટ ફીટ બેસે. એ જમાનામાં રાજા ઘરાણાના,પરિવારના પુરુષો જ વધારે વાળ રાખતા. અને વાળ રાખવા તે અને મુગટ ધારણ કરવો તે સ્ટેટસ કહેવાતું. ત્યાર પછી તેના મંત્રીઓ અને નગર શેઠ વગેરે પોત પોતાના સ્ટેટ્સ આધારે,પાઘડીઓ પહેરતા.
એટલે જયારે કોઈ રાજ ઘરાણાનો વ્યક્તિ સન્યાસ ધારણ કરે ત્યારે તે પોતાના મુઘટ ઉતારી વાળ નો લોંચ કરતા. તે અહંકાર અને પ્રતિષ્ઠા નો ત્યાગ ગણાતો. જેમ અત્યારે કોઈ પોતાની એસેલકે કે લ્મ્બોર્ઘીની કે ફેરારી (રોબીન શર્મા ને યાદ કરવાની છૂટ છે) ને છોડી ને નીકળી પડે તેના કરતાય મોટી વાત હતી.
ધીમે ધીમે લોકો પોત પોતાની સમાજ ની પ્રતિષ્ઠા ના ભાગ રૂપે પાઘડીઓ પહેરતા થયા. પાઘડી ઘેર ઘેર જાણીતી થયી તો રાજવી લોકો મુચ્છ અને દાઢીનેય લઇ આવેલા. અને આમ પાઘડીએ પ્રતીસ્થાનું પ્રતિક બનેલું.અને પાઘડી ઉતારવી એ નાલેશી અને મજબૂરીનું અંતિમ પગલું ગણાતું.
આ ફક્ત ભારત-વર્ષમાં જ ચલણી હતું એમ નહિ પુરાતન કાળ ના ઈજીપ્ત કે મિસ્ર સંસ્કૃતિઓમાં પણ તે જનાતુજ હતું પણ ફક્ત રાજવી ઘરાણાના વ્યક્તિઓ માટે રહેતું.
હવે આ ઇતિહાસ સાથે, કોઈ પણ પાઘડી પુરાણ મૂલવશો તો ગણી વાતો ક્લીઅર સમજાઈ શકશે. દરેક સંપ્રદાય પોતાની ઓળખમાટે કૈક ને કૈક ચિહ્ન રાખતું જ હોય છે. પાઘડી, કંઠી, ડ્રેસ કલર, નમસ્કાર સબ્દો (જય... વાળા) .. વગેરે વગેરે. અને આ ચિહ્ન ના આધારે ઘણીવાર વ્યક્તિની ઓળખ થતી હોય છે.
અત્યારે ઘણીવાર કહેવાય પણ છે કે બંધ બેસતી પાઘડી પહેરી લીધી અથવા પહેરવી નહિ...વગેરે વગેરે .

એક ટોપી,પાઘડી ક્યાં કર શકતી હૈ?
એક ટોપી,પાઘડી આદમી કો ...... બના શકતી હૈ ???? (બંધ બેસતી ખાલી જગ્યા પૂર્વી નહિ.)

દુનિયાની મોટી લોકશાહી

ભારતની લોકશાહી દુનિયાની મોટી લોકશાહી છે એમાં કોઈ ગર્વ લેવા જેવી વાત નથી... કારણકે ;
૧. વસ્તી તો ઠોકમ થોક વધે છે એટલે એના પર રચાયેલા આ રેકોર્ડ શરમજનક કહેવાય.
૨. જો કેટલા લોકો મત આપે છે તેની ગણતરી કરીને "એક્ટીવ લોકશાહી" ની વાત કરવામાં આવે તો ...આપનો નમ્બર ઘણો પાછળ જતો રહે ..
૩. અને જે લોકશાહીમાં નેતા ને સિલેક્ટ કર્યાં પછી પાછા બોલાવવાનો હક્ક કે નહિ મોકલવાનો હક્ક ના હોય તે અધૂરી લોકશાહી કહેવાય... આતો સ્લેટ માં લખવાનું ખરું પણ પોતું વાપરવાની મનાઈ.. તો શું થુંક ચોપડીને સર્તની બાય બગાડીને લુંછવાનું?



આપણે જાણીએ માનીએ છીએ કે તાજ મહેલ એ પ્રેમ નું પ્રતિક છે.પણ ઘણા ઓછા લોકો જાણે છે કે ;
૧. મુમતાઝ શાહ્ઝાહા ની સાત પત્નીઓમાંથી ચોથા નંબર ની હતી.
૨. શાહજહાં એ મુમતાઝ ના પતિની કતલ કરી હતી તેની સાથે લગ્ન કરવા.
૩. મુમતાજનું મૃત્યુ ૧૧મી કે ૧૪ મી ડીલીવરી વખતે થયેલું.
૪.અને મુમતાઝના મૃત્યુ પછી શાહ્ઝાહા એ તેની બહેન જોડે લગ્ન કરી લીધેલા.
હવે આમાં પ્રેમ જહન્નમમાંથી આવ્યો? કે પ્રેમ એટલે કૈક અલગ હશે ?



અર્થશાસ્ત્રની ઈમ્પોર્ટેડ ડીગ્રી હોય,ઈમ્પોર્ટેડ ગાડીમાં આવ્યા હોય અને ઈમ્પોર્ટેડ ટેબ્લ પર બેઠા હોય અને કર્ટીયર ની પેન લઈને અર્થશાસ્ત્રીઓ જે લીટો કરે, અને બાકીના ચીયર્સ કરી વધાવે તે લીટા ને ગરીબી રેખા કહેવાય છે .... : નોવેલ મને મોક્ષ
અત્યારે દેશના અર્થશાસ્ત્રીઓ ના કહેવા મુજબ....
"..રોજના ખાવા ઉપર રૂપિયા સાડાપાંચ ખર્ચવા એ તંદુરસ્ત રહેવા માટે પૂરતું છે, ... અને તે બધા ગરીબ ના કહેવાય... "
દિયોર.. અડધી ચા(અડધા પાણી વાળી) પણ પાંચ રૂપિયામાં નથી મળતી..



હું, હાર્વર્ડ યુની., યેલ યુની. અને બોસ્ટન યુની. ના વિદ્યાર્થીઓ જયારે અમદાવાદ માં આવીને ગરીબી અને માઈકો ફાયનાન્સ થી તેમની ઉન્નતી કેટલી થયી તેના રીસર્ચ માટે આવતી ત્યારે હું બહેરામપુરા, ચંદોલા તળાવ વગેરે જગ્યાઓની ઝુપદ્પત્તિમાં લઇ જઈને ફરજીયાત ફીલ્ડ વર્ક કરાવતો... ત્યારે( ૧૯૯૭-૨૦૦૩) તેઓ "..સર્વ સમતીથી..' કહેતા કે પોવર્ટી લાઈન ઓછામાં ઓછી ૧.૫ ડોલર હોવી જોઈએ. આ ડોબાઓ એલ.એસ.ઈ માં ભણી ને આવ્યા છે પાછા. સાચું ખોટું ભગવાન જાણે..


Samirbhai મને તો એ નથી સમજાતુ કે આ લીમીટ કદાચ ૫૦૦૦૦૦ પણ સેટ કરી હોય તો ફર્ક શું પડે? દુષ્કાળની પરિસ્થિતિમાં રાહત કામ આપવામાં આવે છે ત્યારે પણ આ માપદંડ ધ્યાનમાં નથી લેવાતો! અને સરેરાશની વાત આવે ત્યારે સરેરાશ જ ધ્યાનમાં લેવાની હોય...એક વિદ્યાર્થી ૧૦૦માં થી ૧૦૦ ગુણ લાવે અને બાકીના ૧૦ જો એક ગુણ લાવે તો સરેરાશ ૧૦૯ પ્રમાણે જ નીકળે! જો કે સમય ટીકાનો છે એટલે બધાને ટીકા કરવા દો અને આનંદ માણો :-)))


સમીર ભાઈ ઘણો ફરક પડે છે... આ માપદંડો ના આધારે જે જવાબ આવે તેના પરથી સરકારની કર્ક્ષમતા ના માપદંડ પણ નીકળે છે... આ ખાલી ઘરઘરતા રમવા માટે નું થોડું હોય છે ? રાષ્ટ્રીય કક્ષાની મેક્રો પોલીસી આ માઈક્રો પેરામીટર્સ થી નક્કી થાય છે અને કૌભાંડ અહી થી સર્જાય છે. જો આ પેરામીટર્સ સાચા જાહેર કરવામાં આવે તો જેટલા છે એના કરતા વધારે કૌભાંડો બહાર આવી સકે તેમ છે. અમેરિકા માં આ ડેટા આવવાના હોય ત્યારે આખા વર્લ્ડ ના માર્કેટ પોતપોતાની સવાર થી જ સાવચેતીની રમતો રમવા લાગે છે.. જે સમજે છે તેઓના મગજમાં આ ડેટા ની એવી ધાક છે. પણ અહી આ જોકર્સ ટીમ આપ્ન્નને સમજવા નથી દેતી. આ અમાર્ત્ય્સેન વગેરે એ (૧૯૮૫-૮૭) જયારે ખાડા ખોદાવેલા દુષ્કાળની પરિસ્થિતિ માં અત્યારે આ જ પેરામીટર્સ કામ લાગેલા.
ભાઈ ફરક તો પડે છે તેવું હું માનું છે અને અનુભવું છું ...





એક આદમીએ એવો રોબોટ બનાવ્યો કે જુઠ્ઠું બોલેકે સીધી ફટ્ટાક ચોપડી દે.
બેટો: પાપા આજે હું સ્કોલે નહિ જાઉં પેટમાં દુખે છે...
ફટ્ટાક.....
બાપ: જોયું ...ઠોકાઈ ગયી ને ...જુઠ્ઠું બોલ્યો તો ? હું તારા જેટલો હતો ત્યારે ક્યારેય જુઠ્ઠું નહોતો બોલ્યો...
ફટ્ટાક.....
પત્ની : હા હા હા હા .... વડ જેવા ટેટા ...છેલ્લે બેટોય તમારી પર જ ગયો છે
ફટ્ટાક..



સંસાર રથ ચલાવવા બે પૈડા જોઈએ, કેટલાક સ્પેર વ્હીલ રાખે છે.


આ પ્રસંગે ગુજરાત કોંગ્રેશે પોતાનું નાક કાપ્યું છે... અફ કોર્ષ, હું આ ઉપ્વાશના ની ફેવર માં નથી... પણ ક્યાં સુધી કોંગ્રેસ ખુદ નરેન્દ્રભાઈના પગલા ને શુંઘી..સુંઘીને પોતાના પ્લાન કરશે ? ગુજરાત ની પ્રજા તમને શાશન માં નથી બેશાડતી પણ વિરોધ પક્ષે તો બેસાડે જ છે ને .. એ પદ ની ગરીમા જેવું તો કૈક પગલું લો.. આમ ક્યાં સુધી ... તાબોટા પડ્યા કરશો ...તમારી એક ગર્જના એવી કરો કે શાશન હલી જાય ... ભાજપ જે કેન્દ્રમાં અને કોંગ્રેસ ગુજરાતમાં બંને કાચી માટીના છે ...


ટીવી રેપોટર :ગુજરાત ની જનતાને શું કહવું છે , આ ઉપવાસ વિષે ...
કોંગ્રેસ મીત્ર: આ તો નાટક છે.
ટીવી રેપોટર: શું ગુજરાતની જનતા એટલી કંગાળ છે કે તેમને આ જાણ નહિ હોય કે આ નાટક છે ... ?
કોંગ્રેસ મીત્ર: આ ગુજરાતની પ્રજાને ગેર માર્ગે દોરવવાનો પ્રયાસ છે.
ટીવી રેપોટર: તો કયા માર્ગે ગુજરાત ની પ્રજા એ જવું જોઈએ..
કોંગ્રેસ મીત્ર : ગુજરાતની પ્રજાએ સમજવું જોઈએ કે ગાંધીજી એ આ ઉપવાસ ની સોધ કરી હતી. અને ગાંધી આશ્રમ માં તેઓએ ઉપવાસ કરેલા , એટલે સાચા ઉપવાસ દેખવા હોય તો ગાંધી આશ્રમ માં ચાલુ જ છે જનતા માટે ત્યાં આવું જોઈએ.. એજ સાચો રસ્તો છે.
ટીવી રેપોટર: પણ ગુજરાતની પ્રજાએ ગાંધીજી ના આશ્રમ માં તડકામાં બેશ્વ કેમ આવવું જોઈએ જયારે એજ પ્રકરની વસ્તુ એર કન્ડીશન હોલમાં પણ થતું હોય તો ?
કોંગ્રેસ મીત્ર: અરે પણ સાચી વસ્તુ તો સાચી જ રહે છે તે, કોઈ મોલ માં હોય કે કિરાના સ્ટોર હોય. વસ્તુ સાચી હોય ત્યાજ જવું જોઈએ ને ?
ટીવી રેપોટર: હા, તે ગુજરાત ની પ્રજા ભોટ છે એવું આપ કહેવા માંગો છો કે વસ્તુ પસંદ કરવાની તેની ટેવ ખોટી છે શું લાગે છે આપણને ?
કોંગ્રેસ મીત્ર: ના, ગુજરાત ની પ્રજા તો બહુ ચતુર છે પણ તેમને ગુમરાહ કરવામાં આવી રહ્યી છે.
ટીવી રેપોટર: તમને કેમ એમ લાગે છે કે ગુજરાત ની પ્રજાને ગુમરાહ કરવામાં આવી રહ્યી છે .?
કોંગ્રેસ મીત્ર: આવી રીતે ઉપવાસ ના નાટક થી કશું નથી થતું.
ટીવી રેપોટર : તો ગાંધી આશ્રમ ના ઉપવાસ અને આ ઉપવાસ માં તમને શું ભેદ લાગે છે ?
કોંગ્રેસ મીત્ર: આ ઉપવાસ એ નાટક છે...
ટીવી રેપોટર : હા, તો દોસ્તો ...દુનિયા ગોળ છે અને આપણા સવાલો પણ , નાટક ના જવાબ થી શરુ કરેલો આ ઇન્ટરવ્યું નાટક આગળ આવીને અટકે છે.. ફરી થી કાલે મળીશું


Monday, September 12, 2011

સામાયિક

હું અને મારું દર્પણ,
ઘણીવાર  ચર્ચા એ ચઢીએ છીએ.
તું ના હોત'તો
તું ના હોત તો હું કેવી રીતે
ઓળખત મને?
કોક ચાર રસ્તે
હું મને જ અથડાઈ ગયો હોત
સાંજ પડે આવું પાછો ત્યારે
મારોજ ફોટો લઈને તું બેસે છે જયારે ...
ત્યારે મને ભાન થાય છે ..
હું શું લઈને જઉં છું
અને શું લઈને આવું છું સાંજે
ત્યારેજ
મને એ ભાન થાય છે કે
હકીકત માં તો હું
ખોવાઈ જાઉં છું લોકો ની ભીડ માં
અને તને મળું છું ત્યારે
લાગે છે કે મેં મને સોધી કાઢ્યો.
આ દર્પણના પડછાયામાં મેં તને દેખ્યો
ત્યારે જ લાગ્યું કે હુજ
મને રખડ-પટ્ટી કરાવી રહ્યો હતો
હવે તું અને હું
રોજ વાતો કરીશું ...
તુજ હવે મારો દોસ્ત
અને હું જ તારો પડછાયો ...







Sunday, September 11, 2011

કાના-માત્રાં

જન્મ્યો કાના-માત્રાં વગરનો
ફૂલ્યો ને ફેલાયો
ફકરા-ને-નિબંધો સુધી
ને
કાવ્યોના સબંધો સુધી
એક શબ્દ બની ને
પછી પોઢી ગયો...

ટેલીગ્રાફની ભાષા

શબ્દની કીમત જેને શાનમાં સમજાય છે
જીન્દગી ટેલીગ્રાફની ભાષા થી ટૂંકાય છે



ભાવની રકઝક કરી,તાળાં લાવ્યા ખંભાતના 
ઝાંઝવાના જળ જેવા,દરવાજા હતા  કાચના  


કાના-માત્રા વગર અહી આવે છે બધા
શબ્દોના ગણગણાટ મૂકી જાય છે બધા  



દમયંતીને પૈણવા ભલે સૌ નળ થઈ આવો 
દમયંતીએ કહ્યું "માઉસ ક્લિક કરી બતાવો"  



તમને "તમે" મળી જાવ,ત્યારે ઉત્સવ મનાવી લો 
રોજ અથડાનારાય અહી, "કેમ છો" પૂછસે નહિ  


દાંડી કુચ-2005

12 માર્ચ, ૨૦૦૫

એક મર્દ કાગડો,
ચાડીયાના છોગામાંય
માળો કરી આવ્યો,
ને આવી રોજ ની જેમ
ગાંધી પર બેસી
વૈભવી સૌચ પતાવી બેઠો'તો
દેખ્યા ગળામાં નવા હાર,
નમ્યો કાન કને
બોલ્યો
" ગાંધી કેમ તારો વટ પડે છે ? "
એ વટ ની માશી..
તું રોજ કરે છે સૌચ અહી
ને સાફ કરે છે કોણ અહી
આજે ફોરેન ની આવી બાઈ અહી
અને જોર જોર થી કહી ગયી
"..બાપુ ગંધાઈ .." (GHANDHY)
"..મહાત્મા ગંધાઈ.."
આ હારું
તું બગાડે ને મારે સાંભળવાનું ?



સફરજન

એક સફરજન,
એના એક બટકા થી
સર્જાઈ આખી સૃષ્ટી
અને
પાછું શોધી સકાયું
એમાં પતનનું  રહસ્ય
એટલે જ કે
સફરજન ખાવું પણ
કોઈ છોકરીનું
નહિ ખાવું

તેમાં પછી કાદવ ના કમળ ખીલી ઉઠે છે


નાગોલ્ચું

આ બાજુ તારું હરણ
આ બાજુ મારું હરણ
વચ્ચે ઝાંઝવાનું એક તળાવ
અને તળાવ વચ્ચે
નાગોલ્ચું ના સાત પથ્થર
બસ તું દાવ લીધા કરે
ને હું ભાગું બોલ ને પક્કડવા
અને તું પથ્થરો ભેગા કરી ને
ઝટ બોલે
કાશ્મીર....
કાશ્મીર....
ફરી પાછું મારું હરણ ...ગોઠવાય લાઈન પર

ક્યારેક
તું ઉપાડે દંડો અને
મારે અમને ગીલ્લી બનાવી
ને દોડાવે અમને તું લંગડી લેવડાવી

તું સ્ટ્રાઈકર લે હાથમાં અને
બની,કેરેમ ની કૂકરીઓ
અમે ભાગીએ આમ થી તેમ
અને પડીએ કોક કુવામાં ...
તું પાડે તાળીઓ

શું કરીએ ....
તને સ્ટ્રાઈકર બનવું ગમે છે
અને અમે ....
અમે રહ્યા કિંગ ની કુકરી....
અને રાણી માં મોહ્યી પડેલા...


પંચશીલ ના ભૂત

અફસોસ,
ભૂત સમયસર આવે છે.
ક્યારેક
રેલ્વે સ્ટેશન પર
ડબ્બાની બહાર તો
ક્યારેક
ડબ્બાની અંદર
ધડાધડ ધડાધડ ....તો
ક્યારેક
આગના લપ્કારાઓ

આમ અચાનક , એકાએક
ફૂટી નીકળે છે
પેલા પંચશીલના
સિદ્ધાંતોના ભૂત

ક્યારેક હોટલમાં ભરાઈ ને
માણશોની રશોઈ બનાવી જમે છે

ક્યારેક મંદિરની અંદર
ક્યારેક મંદિર ની બહાર
શી ખબર શાના "ઘંટ"  વગાડે છે?
પેલા ગોધરાના ભૂત.

ક્યારેક એ ચઢી બેશે છે
સંસદ-ભવનની બારશાખ પર
તે સંસદ ની શાખની -બજાવવા

પણ,
સા..સમયસર આવે છે ....
સા... ને કોણ સમજાવે કે
અહી કયો નેતા સમયસર આવે છે ?
સા...ઝાંઝવાના જળ પર
કોણ નળ બાંધશે?


Saturday, September 10, 2011

જુમેરાહ,દુબઈ



એ ઠંડી રાત્રે,ફરી તારી યાદ આવી
રજઈ ઓઢી,હુફ,ફરી પાછી નાં આવી
યાદનું ચક્રવાક ગ્યું મગજ થીજાવી
અમે કરી તાપણી,દિલને સળગાવી 

Sunday, September 4, 2011

રીયલ એસ્ટેટ અને ગુજરાત

હું અહી શું લખી રહ્યો છું તેમાં કોઈ ટોપિક નથી.. જે વિચાર આવે છે તે કોઈ પણ રીધમ વગર લખી રહ્યો છું.

દુબઈ થી અહી આવ્યા બાદ, હું બહુ બધી જગ્યાએ ગામડાઓમાં ફર્યો છું. મારા દાદાના ખેતરમાં ONGC નો તેલનો કુવો નાખવાનો આવ્યો એટલે અમને નોટીસ મળી હતી. હવે અમારા હાથમાંથી તે બાપદાદાની જમીન જય તેમ હોવાથી અમે નવી બીજી જમીન લેવાના મુડ માં હતા.એટલે અમે ઘણી જગ્યા એ ખેડૂતો સાથે વાટાઘાટો કરી. જ્યાં તપાસ કરીએ ત્યાં અમને જમીન ના ભાવ બહુ વધી ગયા છે તેવું લાગતું..આજથી ૪ વર્ષ પહેલા જે જમીનના ભાવ ૨ લાખના હતા ત્યાં આજે ૧૦-૧૨ લાખ ના ભાવ થયી ગયા હતા. મને ખબર નહોતી પડતી કે આવું કેમ થયું હશે. શું ખેડૂતો ખુબ સમૃદ્ધ થયી ગયા છે કે ખેતરો ? શું આ ગુજરાતની પ્રગતિનો માપદંડ ગણી સકાય? પહેલા જમીનને વેચવી એટલે પાઘડી વેચવી તેવું માનતા ખેડૂતો આજે વેચવા પણ તૈયાર થયી જાય છે. મેં પૂછું તો કેટલાકે જવાબ આપ્યો શું કરીએ, આ ગવર્ન્મેન્ટ ક્યારે કઈ સ્કીમ લાવશે ને પછી ઉધ્ધોગ પતિ અમારી પાસે થી મફતમાં જમીન પડાવી લેશે તેની ખબર નથી. આ સરકાર ભુરાંતે ભરાયી છે અમારી જમીન ક્યારે જશે તે નક્કી નથી. તેના કરતા આપણાં ભાવે વેચી દેવી સારી.

ખેતીની જમીન ના ભવો વધ્યા છે. તેથી ખેતી કરતા હોય તેમના માટે opportunity કોસ્ટ વધી છે. તેથી ખેતીની પેદાસના ભવ પણ વધારવામાં આવ્યા છે .જો.....ખેતીની પેદાશના ભાવ વધારવામાં ના આવેતો.... ખેડૂતો જમીન વેચીને પૈસાને FD માં મુકીને વ્યાજ ખાતા થયી જાય. હવે ખેડૂતના દીકરાઓ ભણવા લાગ્યા છે. ભણીને કમ્પ્યુટર પર કમ કરીને કમાવવું છે. tranportation સરળ થયું છે.ખેડૂતનો દીકરો શહેરમાં ૩૦ મીન માં પહોચી જાય છે. તેથી તેને ગામડામાં રહેવું છે કમ શહેરમાં કરવું છે.તેનો બાપ વિચારે છે કે બે વીઘા જમીન માં વરશે ૨૫૦૦૦ નું પાકે છે. છોકરો શહેરમાં આવજા કરીને ૫૦૦૦૦ કમાઈ લે છે. તો મેલ ને પૂળો, આ વધતા ભાવે જમીન વેચીને FD કરાવી દઈએ.

તો પછી આ જમીન લે છે કોણ ?જમીન લેનારા બે પ્રકારની વ્યક્તિઓ છે.
૧. શહેરમાં જમીન વેચીને સારા રૂ. મળ્યા હોય તે પોતાનો સ્ટોક સરખો રાખવા બાજુના ગામડાઓમાં જમીન લઇ લે છે. અને તેમણે ખેતી જોડે કોઈ લેવા દેવા નથી. તે નજીક ના ભવિષ્યમાં ભાવ વધે એટલે ફરી થી વેચી નાખવી છે અથવા કોઈ બિલ્ડર જોડે ભેગા થઈને સ્કીમ બહાર પડવી છે.
૨. મોટા ઉધ્ધ્યોગ પતિઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ખેતીની પેદાશ માં રહેલી આર્બીત્રેસ્ન ની સક્યાતાનો લાભ લેવા અત્યારથી જમીન હસ્તગત કરી રહ્યા છે. તેઓ ખેડૂતની આખા વર્ષ ની કમાણી કરતા ડબલ વ્યાજ આવે તેટલી રકમ માં જમીન પડાવી લે છે. શું હોઈ સકે તેનો નિર્દેશ?

એક જબરદસ્ત વાવાઝોડું ફૂંકી રહ્યું છે અને આ તેજીમાં કેટલાય નાગા થયીને નાહવા પડ્યા છે. એતો ભરતી જાય અને ઓટ આવે ત્યારે ખબર પડશે કે કોણ કોણ નાગા નાહવા પડ્યા હતા ...


વિચારો કે અર્થતંત્ર ના ફલક પર શું થયી રહ્યું છે. અને આની સાથે એ પણ જોશો કે નવા પાન કાર્ડ ધારકો વધી રહ્યા છે અને પાછા આવક હોય તેનાથી વધુ બતાવીને પણ ઇન્કમ તેક્ષ ના રીટર્ન ફાઇલ કરાવે છે. જયારે વર્ષની ૧,૫૦,૦૦૦ ની આવક ધરાવનાર વ્યક્તિ પોતાની અને પોતાની પત્ની ના રીટર્ન ની ભેગી થયીને ૩,૦૦,૦૦૦ ની આવક બતાવે ત્યારે શું રન્ધાયી રહ્યું છે તે આપણાં મનમોહક વડા પ્રધાન કે ચાસ્મીસ FM ને દેખાતું હશે કે નહિ ?

દુબઈ માં રીઅલ એસ્ટેટ માં આવીજ રીતે ગર્ભિત લેખ લખેલો હતો ૨૦૦૮ માં. ઈચ્છું છુકે અહી એવું નહિ થાય . અને આશા પણ છેજ કે અહી આવું નહિ થાય કારણકે દુબઈ માં સમાંતર બ્લેક માર્કેટ જેવું કઈ હતું નહિ.અને અહી છે. આ બ્લેક માર્કેટ કદાચ આપણી સિસ્ટમ ને આંચકા આપતા બચાવી શકશે !!!!!!!!!!!!!
વધુ ફરી ક્યારેક

મારી લેખન યાત્રા

અહી લખવું એ હમેશા મારા માટે એક પ્રયોગ શાળા જેવું બની રહ્યું. એક શાંત સરોવર ના પાણી માં કોઈ એક કાંકરો નાખે અને તેના વમળો કેવા સર્જાય છે ???તેના કદ, દળ , ઘેરાવા, તરંગ લંબાઈ વગેરેના તાગ મેળવીને હું મારી જાત ને મઠારતો રહ્યો છું. આ એક એવી પ્રયોગ શાળા રહ્યી કે હું મારા એક સેમ્પલ ના,કોઈ એક નહિ પણ અનેક સ્ત્રાતાઓ ના પોપ્યુલેશન પર ટેસ્ટ કરીને તેના પરિણામો જાણી શક્યો છું. અને તે પણ આપના જેવા હાજર એક્ટીવ , તીખા, તમતમતા તરંત રોકડું બોલી કે પરખાવી નાખનારા લોકોના પોપ્યુલેશન માંથી બનેલા સ્ત્રાતા ને સામે મને આ તક મળી.
આજે હું જયારે પાછળ વળીને એક વાર હું મારી ખુદ પર નજર કરું છું ત્યારે મને અનહદ આનદ વર્તાય છે કે આપ સૌના સાથથી, આ ફેશ્બૂકના ઓટલે હું કેટલો જલ્દી થી ઘડાઈ ગયો છું.
મારો સ્વભાવ શરૂઆતમાં બહુ બધા ની સાથે હૈશે-હઇશો કરવાનો રહેલો.ત્યાર બાદ, એક અલગ ચીલો પાડનારો વર્ગ દેખ્યો એટલે પછી હું પણ તેને રવાડે ચઢ્યો. અને લોકો ની લાગણીઓની દુખતી નશ દબાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. આમાં મને ઘણા લોકોની શહનુંભુતિઓનો પરિચય પણ થયો.
હું ઉશ્કેરાયો વધુ તીખા/મસાલાવાળા સ્પાઈસી લખાણો લખવા લાગ્યો. અને જાણ્યું કે લોકો ગળ્યું ખાવા કરતા તીખાના શોખીન છે. પછી તો આપને હાંક્યે રાખ્યું.

આજે, પર્યુષણ ના પર્વની આંઠ આંઠ સામયિક અને આંઠ આંઠ પ્રતીક્રમનો ની મારી પોતાની લેબ માં જયારે મારા ખુદના "બ્લડ" સેમ્પલ ચેક કર્યા ત્યારે ખબર પડી કે લોકોને તીખું ખવડાવવાના શોખમાં હું પોતે પણ તેજ રોગ નો ભોગ બની ચુક્યો છું. લોકો તો મારી લારી એ "તીખા મશાલા" ખાઈને તે "દાળના" જે સડાકા બોલાવતા હતા તેમાં જ મેં મારી "રશોઈની" કાબેલિયત માની લીધેલી. અને તે જ "દાળના" મેંય સડાકા બોલાવવા ચાલુ કર્યા ત્યારે ખબર પડી કે મેં, મને-ક-મને મારી "હોજરી" પર બહુ અત્યાચાર કર્યો છે.
દોસ્તો, મને માફ કરશો. મને ખબર છે કે મેં ઘણી વાર, તમને પણ મારા તે "સ્વાદની" અડફેટે લીધા હશે.

TRIAL ROOM- LADIES SPECIAL

How to Detect Hidden Camera in Trial Room?

In front of the trial room take your mobile and make sure that mobile can make calls........
Then enter into the trail room, take your mobile and make a call.....
If u can't make a call......!!!!
There is a hidden camera......
This is due to the interference of fiber optic cable during the signal transfer......

HOW TO DETECT A 2-WAY MIRROR?

When we visit toilets, bathrooms, hotel rooms, changing rooms, etc., How many of you know for sure that the seemingly ordinary mirror hanging on the wall is a real mirror, or actually a 2-way mirror I.e., they can see you, but you can't see them. There have been many cases of people installing 2-way mirrors in female changing rooms or bathroom or bedrooms.

It is very difficult to positively identify the surface by just looking at it. So, how do we determine with any amount of certainty what type of Mirror we are looking at?

CONDUCT THIS SIMPLE TEST:

Place the tip of your fingernail against the reflective surface and if there is a GAP between your fingernail and the image of the nail, then it is a GENUINE mirror.

However, if your fingernail DIRECTLY TOUCHES the image of your nail, then BEWARE, IT IS A 2-WAY MIRROR! (There may be someone seeing you from the other side). So remember, every time you see a mirror, do the "fingernail test." It doesn't cost you anything. It is simple to do.

This is a really good thing to do. The reason there is a gap on a real mirror, is because the silver is on the back of the mirror UNDER the glass.

Whereas with a two-way mirror, the silver is on the surface. Keep it in mind! Make sure and check every time you enter in hotel rooms.

અન્નાજી ની લડત બાબતે,

આપણે બધાય મુરખ બની રહ્યા છીએ.... આ લડાઈ માં. ગયી વખતે પણ હું મુરખ બનેલો. આ વખતે તેમનો ઈરાદો નબળો છે.તેમના અનશનની સાથે મને દયા આવે છે. આ સાત દિવસ ને ૨૧ દીવાશના અંશન માટે પરમીશન લેવાની વાટ ક્યાંથી આવી? ગયી વખતે કેટલા અંશન કરવાની પરમીશન મળેલી ? અને અંશન માટે તો કઈ પરમીશન લેવી પડે? અને જો એવો કોઈ કાયદો નવો બન્યો હોય તો પહેલા તેની સામે અંદોલન કરવું પડશે ને ? તેમની લડાઈમાં ઘેંટા ના ટોળાની માફક હું જોડાઈ નથી સકતો. હા, તે જે કરે છે તે ખોટું છે તેવું હું નથી કહેતો, પણ જેટલો જુવાળ ઉભો થયો છે તેને ન્યાય આપવા, પૂરતું નથી. ગયી વખતે ૭ વાતો ને ધ્યાનમાં રાખીને લડાઈ થયેલી છે તેવું કહ્યું હતું અને ખાલી પાંચ મેમ્બેર ને સમાવિષ્ઠ કરવાની વાટ માં સમાધાન કરીને તે ઉઠી ગયેલા અને લાખો લોકોના જુવાળ ની મજાક ઉડાવેલી. લોકો ને સફળ... સફળ... ની બુમો પાડીને ભ્રમાંવેલા. આજે પણ શું આજ થયી રહ્યું છે. લોકાયુક્ત ના નિયમો હોવા છતાં, જો તેની અપોઈન્ત્મેન્ત જ નથાય તોયે કોઈ કશું નથી કરી શકતું. લોકપાલ માં પણ અંતે તો રાજ્કાર્નીઓજ વચ્ચે આવવાનાજ ને?

મારું માનવું છે કે સત્તા પ્રજા ને આપવો. ઇવીએમ મશીનમાં રુલ ૪૯-ઓ માટે નું એક બટન મુકવો ભૈસાબ. અને લોકો ને સત્તા આપો આ ભ્રષ્ટાચારીઓને સજા આપવાની. જયારેરાજકારણીઓ બ્રશ્તાચાર કરે છે ત્યારે કોઈ પુરાવા છોડી નથી જતા.તેને સાબિત કરવું મુશ્કેલ છે. વળી ચુકાદા માટે ૧૦-૧૫ વર્ષ ની રાહ જોવાની આવે, વચ્ચે સરકાર બદલાઈ જાય ને પછી ઠેરનું ઠેર. એના કરતા આ એક બટન આપો પ્રજાને. પ્રજાને નક્કી કરવા દો કે તેમને કોણે સજા આપવી છે. ઇલેક્શન આયોગ પણ ચુંટણીમાં ભ્રષ્ટાચાર રોકવાનું પ્રાણ લઈને કાયદા બનાવ્યા છે. ન્યાય્પલીકોમાં પણ તેના કાયદા છે. લોકાયુંક્તના કાયદા છે. સરકારી દફતરોમાં થતા ભ્રષ્ટાચાર માટે પણ કાયદા છે. પણ પ્રજાને આના માટે ની કોઈ સત્તા નથી.

ખાલી એક વિનતી છે, લોકો ને સતા આપો, લોકો ગંગાજળ અને ગટરના પાણીનો ભેદ સારી રીતે સમજે છે. અને તે જ ૧૦-૧૫ વર્ષ સુધી ચાલતા ચુકાદાઓનો અંત લાવી દેશે અને લોકશાહી નો ખરો અર્થ "લોકોના હાથમાં સત્તા" નો પુરો થશે. સમગ્ર રીતે દરેક મતદાન ક્ષેત્રમાં લોકો અનુભવ કરે છે કે કોઈ લાયક વ્યક્તિ ચુંટણીમાં ઉભો રહ્યી નથી સકતો. તો લાયક વ્યક્તિઓ ઉભા રહ્યી સકે તેવી વ્યવસ્થા કરો. અને તે એક જ રીતે થયી સકે, જે ઉભા છે તે બધાને ગેરલાયક ઠરાવી સકાય તેવી વ્યવસ્થા જે રુલ ૪૯-ઓ માં છે જ , તેનો રસ્તો સરળ કરી આપવો.
અન્નાજી અને તેમના બાહોશ વકીલ સાહેબો, શું તમે આના માટે કઈ ના કરી શકો?
બાકી,
_____________
છોકરા છોકરી શોધવાના હોય ત્યારે ગવાર્ન્મેન્ત સર્વિસ વાળા ને પ્રેફેરેન્સ અઆપ્વાનું કારણ તેની "ઉપરની" કમાઈ છે. જ્યાં સુધી તે મૂળભૂત દ્રષ્ટી નાં બદલાય,
અરે પુજારીને પૈશા આપીને વહેલા દર્શન કરનારા નાં બદલાય,
અરે હું પૈશા લઈને કામ નહિ કરું તો બીજો કોઈ કરી દેશે ....નો અભિગમ નાં બદલાય,
ત્યાં સુધી આન્નાજીના આ આંદોલનથી શુંઉપજી શકશે?
_______________________________
હા, હવે અન્ના હજારે ને સપોર્ટ કરનારને કાલથી કોઈ પણ જગ્યા એ ટ્રાફિક પોલીસ,સરકારી ઓફીસ કે કોઈ પણ જગ્યા એ ભ્રષ્ટાચાર ને પ્રોત્સાહન આપ્યું તો અન્ના જી નાં ઉપવાસ નાં સોગંધ :
______________________________
આ ભ્રષ્ટાચાર નું મૂળ મારામાં જ છે. મેં કેટલીય વખત, તેઓ ભ્રસ્તાચારી છે તેવું જાણવા છતાં,આ ભ્રસ્તાચારીઓને મત આપ્યા છે અને તેમને તક આપેલી છે. આતો મારી જ મારી સામે ની લડત છે. આ તો તેઓ લઇ ગયા અને અમે રહ્યી ગયા ની લડત છે. જો એક ફિલ્ટર મુકવામાં આવે કે જીવનભર જેમને ભ્રષ્ટાચાર નાં કર્યો હોય તેજ આગળ આવે તો ? હું પ્રમાણિકપણે, કહું છું કે આ લડત ને હું ખુલ્લેઆમ ટેકો આપવાને નૈતિકરીતે લાયક નથી, કારણકે ભ્રષ્ટાચાર મેં પણ કરેલો છે. એક ટેબલ પર થી બીજા ટેબલ પર, અટવાયેલી ફાઈલોને મેં ખુદ પૈસા આપીને આગળ ધપાવેલી છે. અને ફરીથી જયારે જરૂર પડશે ત્યારે તે હજી પણ કરવાની ઈચ્છા ધરાવું છું. જો મને મારા કામમા કોઈ રોકશે, તો હજી જરૂર હું "કઈક" કરીશ. અને જો કોઈ રોકશે નહિ તો, મારે જરૂર પણ નહિ પડે
___________

જો કોઈ વ્યક્તિએ મારી કોઈ બહેન પર બળાત્કાર કર્યો છે, તેની મને, ખબર પડે, તે વ્યક્તિ મારી સામે હોય, મને જો ન્યાય પાલિકામાં, ન્યાયનો વિશ્વાસ ના હોય તો હું શું કરું? એ વ્યક્તિનું એ અંગ વાઢી નાખું, કારણકે મને એજ ન્યાય પાલિકાના ન્યાય પર વિશ્વાસ નથી એટલે બચવાના ચાન્સ વધારે છે. અને પેલો , જીન્દગીભર આ કૃત્ય કરી ના સકે તેની વ્યવસ્થા પણ થયી ગયી હોય છે. હું બહેન ને તેનું એ જીવન પાછું નથી અપાવી સકતો, પણ હવે આગળનું વિચારવાનો સમય છે. શું હશે તેના કર્મ એવા કહીને બેસી રહેવાનું ? હું ય એજ કહું છું કે એ ડોબાના કર્મે જ આ થયું. 
જે ઈવીએમ મશીન નો ઉપયોગ કરીને આ નેતાઓ ભારતમાં પર બળાત્કાર કરે છે, તેમાં જ એક બટન રુલ ૪૯-ઓ મુજબ મુકાવો. જેથી લોકો એ નેતાનું એ અંગ ત્યાં વાઢી સકે. એક નવા કાયદા થી આ વકીલોને જ ફાયદો છે. પ્રજા તો ઠેર ને ઠેર જ રહેવાની. સુખરામ ના કૌભાંડ થી આજ સુધીના કૌભાંડ માં કશુંય નથી થયું. આ એક બટન આપો અને અપ્પાવો મારા રામ.


વૈશ્વિક કેલેન્ડર

"કેલ્ક્યુલેટર ના જમાનામાં વૈદિક ગણિત ના હોવું જોઈએ તે અલગ વાત છે " 

622573514624
આ બાર આંકડાનો મેજીક કોડ છે જે તમને આવનારા અબજો વર્ષના કેલેન્ડર નો અહેશાહ કરાવશે. આ બાર આંકડાનો કોડ એ દરેક મહિનાનો એક કોડ નંબર છે. જેમકે ૬ એ જાન્યુઆરી નો ૨ એ ફેબ્રુઆરી અને માર્ચ નો ૫ એ એપ્રિલ નો એવી રીતે આ બાર મહિનાના મેજીક કોડ છે.

ઉદાહરણ : ૨૬ જુલાઈ ૨૦૧૧ નો દિવસ શોધવો હોય તો ; (કેલ્ક્યુલેટર લઈને બેશ્શો તો મજા આવશે)

Step 1.
જે દિવસ નો વાર જોવો હોય તેના વર્ષ નો નીચે મુજબ કોડ શોધવો.
Formula Code for the year 2011
a= year x1.25 =2011 x 1.25 = 2513.75
b=integer(a) =integer(2513.75) = 2513
c=b/7 =2513/7 =359
d=integer(c) =integer (359)= 359
e=(c-d)*7 =(359-359)x7 =0


Step 2
તારીખ જે મહિનાની હોય તે મહિનાનો કોડ મેજીક કોડ માંથી શોધવો. અહી જુલાઈ મહિનાનો કોડ ૫ છે
f=(month Majic Code) = 5 for July

સ્ટેપ ૩
જે દિવસ નો કોડ જોઈતો હોય તે તારીખ અહી ૨૬ છે
g=(day) =26

સ્ટેપ ૪
ઉપરના ત્રણેય કોડ નો સરવાળો કરો ( ૦+૫+૨૬) = ૩૧ થાય
h=(e+f+g)/7 =(0+5+26)= 31/7=4.42...
i=integer(h) =integer (4.42...) = 4
j=(h-i)x7 =(4.42...-4)x7 = 3

મતલબ કે રવિવાર ને પહેલો વાર સમજીને ત્રીજો વાર હશે એટલેકે ૨૬ જુલાઈ ૨૦૧૧ ના દિવશે મંગલવાર હોય. અહી લીપ વર્ષ ના જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં જે કોડ આવે તેમાં એક દિવસ ઓછો કરવાનો છે.
_____________________________
સમરી સ્ટેપ્સ :
a= year x1.25 =2011 x 1.25 = 2513.75
b=integer(a) =integer(2513.75) = 2513
c=b/7 =2513/7 =359
d=integer(c) =integer (359)= 359
e=(c-d)*7 =(359-359)x7 =0
f=(month Majic Code) = 5 for July
g=(day) =26
h=(e+f+g)/7 =(0+5+26)= 31/7=4.42...
i=integer(h) =integer (4.42...) = 4
j=(h-i)x7 =(4.42...-4)x7 = 3

____________________________
આ મેજીક કોડ ના તારણો નીચે મુજબ છે
622573514624
કોઈ પણ વર્ષમાં,
એપ્રિલ અને જુલાઈ મહિનાનું કેલેન્ડર ;
માર્ચ અને નવેમ્બર મહિનાનું ; and
સપ્ટેમ્બર અને ડીસેમ્બર મહિનાનું કેલેન્ડર સરખુજ રહે છે.

લીપ વર્ષ ના હોય તો
જાન્યુઆરી અને ઓક્ટોબર મહિનાનું કેલેન્ડર જેવું રહે છે. ;
ફેબ્રુઆરી મહિનાનું કેલેન્ડર પણ માર્ચ અને નવેમ્બર મહિનાનું કેલેન્ડર જેવું રહે છે.

લીપ વર્ષ હોય તો જાન્યુઆરી મહિનાનું કેલેન્ડર પણ અપ્રિલ અને જુલાઈ મહિના જેવું હોય છે .
અને ફેબ્રુઆરી અને ઓગસ્ટ મહિનાનું કેલેન્ડર સરખું હોય છે.
કોઈ પણ વર્ષ ના મેં,જુન મહિનાનું કેલેન્ડર તેના એક પણ બીજા મહિનાને મળતું આવતું નથી.
:):) :)
આ હકીકત આવનારા અગણિત વર્ષો સુધી સાચી રહેશે.
અને આ બધી ગણતરીઓ ને ધ્યાનમાં લઈને કોડ બનાવવામાં આવ્યો છે જે મહિનાઓનો જાદુઈ કોડ 622573514624 છે.

એક દોસ્ત ની ચેલેન્જ ના કારણે તેના કહ્યા મુજબ, આ કોડ પરથી કેલેન્ડર ની ફોર્મ્યુલાને Principle of Mathematical Induction થી હમણાજ પ્રુવ કરી જોયું અને તેની સાબિતી મળી ગયી છે. :) :)


કણિકાઓ

મને ઘણી બાબતો નું આશ્ચર્ય થાય છે અને તે બધા માનું એક " હું ફોટા કેમ પાડું છું ? " તેનું છે. શું ફોટા પડવાથી એ ક્ષણો ને ફરીથી મહેશુશ કરી સકાય છે ? ના મને તો તે આભાસી લાગે છે. હું મારી જાતને જ છેતરતો હોઉં છું. કેટલીય વાર એ શાસ્વત સોંદર્ય ની આગળ ઉભા રહ્યી ને ફોટો પડાવતા મને શરમ આવે છે. કારણકે હું મારી જાતને તો જાણું જ છું ને કે હું કોણ છું ?
_____________
હે ધરતી પર ના સ્વર્ગ,
મને તારા સોંદર્ય ની શાસ્વતતા ની જાણ છે,
જયારે પણ તારી યાદ ખટકશે હું અહી દોડી આવીશ.
આ ફોટા ને વીડીઓ થી મારું મન નહિ ભરાય.
____________________
લોકો માટે હું શું કરું તો સારું ? બસ,લોકો ને મળવાનું/નડવાનું બંધ કરી દે.
____________________
બંને, નદી અને કેનાલ , પાણી જ વહાવે છે. નદી પોતાના રસ્તે વહે છે અને પોતાનો રસ્તો બનાવી વહે છે, કેનાલ ને કેદ થયી ને વહેવું પડે છે. મુક્તિ અને કેદ નો અનુભવ હું તમને કેવી રીતે કહું? જંગલનો પોપટ, પિંજરાના પોપટ કરતા,તેના ભોજન અર્થે જાતે મહેનત કરી લે છે પણ પીંજરાનો પોપટ જંગલના પોપટની સ્વતંત્રતા કેવી રીતે મહેસુસ કરે? 

________
લોકો ને તો અહી ને તહી બસ આશા ના કિરણો શોધવામાં રસ છે..
ને પછી તેની ઉપર ભાષણ આપવામાં.. ".. હવે..મને ..આશા નું એકેય કિરણ દેખાતું નથી" કે "... આમને જોઇને દુર એક આશાનું કિરણ ઉગતું હોય તેવું લાગે છે " વગેરે ..વગેરે .. હેહેહેહેહે ....તમે કેમ આશા ના કિરણો બીજા માં શોધો છો ...તમારામાં અંધકાર છે ? એવો ઝંડો લઈને ક્યા ફરવું છે ... આપડે તો આપણને દેખાય તેટલો પ્રકાશ મળે તોયે બહુ છે. જુઓ ભૈ.. તમારે ૫૦૦ કિલોમીટર દુર જવાનું હોય તો ત્યાં સુધીના પ્રકાશ ની કોઈ જરૂર નથી. ખાલી નાનું ફાનસ હોય અને ૩ મીટર દુર નું દેખાતું હોય તોયે તે ફાનસથી ૫૦૦ કિલોમીટર નો પ્રવાસ શક્ય છે. ૩ મીટર પછી બીજા ૩ મીટરનું દેખાશે

________
આ સપ્તાહનો સવાલ :રસ્તામાં ૧૦૦ની નોટ પડી છે, કોઈ જોનાર નથી, હવે શું કરશો?
જવાબ: હું વસ્તુપાળ તેજપાલ નથી કે કોઈનો દાટેલો ચરુ ઘેર લઇ આવું, ૧૦૦ ની નોટ ઉડી ને બીજે ના જાય તેમ તેની ઉપર, તે નોટ દેખાય તે રીતે, પથ્થર મૂકી દઈશ. કદાચ જેની છે તે શોધતો ત્યાં આવે તો ત્યાંથી આગળ જવાની જરૂર ના રહે. અને નોટ લખીશ....
"મારી જેમ કેટલાયે આ નોટ ને જોઈ છે પણ તેમની નહોતી એટલે આનું management તેમને નથી કર્યું. તમારી હોય તો સુખે થી લઇ જાવ અને આભાર કહેવાની જરૂર નથી. અથવા તમારી ના હોય અને તમને પારકા ના પૈસાના સંચાલન નો ધખારો ઉપડ્યો હોય તોય તમે લઇ જાવ. જે તમારો અહં સંતોષાય તે .."
તમારો Answer ?

__________
રોઈ નથી સક્યો,હું ક્યારેય કોઈની વાત પર
મારોજ કોઈ સ્વાર્થ મને રોવડાવી જાય છે

AB એ પણ એક વાર કહેલું કે...અસહાય, ની:શક્ત કે ફલાણા ને ધેકના લોકોને દેખીને મને શું થાય છે, કેવી લાગણી થાય છે તે મારી અતિ અંગત વાત છે. મેં ત્યાં જે જોયું, અને મેં જે કર્યું તેમાં મારે તેમને મદદ કરવાનો કોઈ ઈરાદો નહોતો. પણ તેમની તે પરિસ્થિતિ દેખીને મારી અંદર ખુબ પીડા થવા લાગેલી. અને મારી પીડાને ઓછી કરવી તેમારી પહેલી પ્રાથમિકતા છે. મેં તેમને કોઈ મદદ કરી નથી મેં તો મારી જાત્નેજ મદદ કરી છે.

__________
હમણાં હું કોટા જઈ આવ્યો, ત્યાં એક મંદિરની દીવાલ પર લોકો એ પોતાની માંગ લખી હતી. તેમાં એક લખી નોટ લખેલી હતી ...
"હે પ્રભુ,આ બધાના કામ પહેલા પતાવી આપ, પછી એમની રીસીપ્ટ લઈને મારી પાશે આવ,પછીતું થાકી ગયો હોઈશ ત્યારે એક રીસીપ્ટ ના બદલામાં એક લીંબુનો ગ્લાસ્સ સરબત બનાવી આપીશ તદ્દન મફતમાં.અને મારે તો શું જોઈએ, બીજું કઈ તારે જોઈતું હોય તો લખજે
...લી.
આ બધાય હરામખોરો નો બાપ.

__________
1. ધર્મમાં સવાલ નો જવાબ વિશ્વાસ હોય છે. આધ્યાત્મ માં સાબિતી આપવી પડે છે.
2. જેટલું ઊંધું ગુટ્યું, તેટલું સીધું કરવું પડશે ...મોક્ષ એ કઈ દલા તરવાડીની વાડી નથી કે આવા જાતે ચિતરડા પાડ્યા કરો ને મળે. પહેલા આ ગ્રંથીઓ અને ગાંઠ ને તોડો.
3. નટના ખેલ દેખવા આવતા હોય તેમ બધા આવે છે જે ધાર્મિક હોય છે તે અહી તાલી પાળી ને, જે જે કરી ને, જતો રહે છે. તલવાર ઉઠાવી ને સાબિતી માંગે તે ને મુમુક્ષુ કહેવાય, મુમુક્ષુ માટે તે જીવન મરણ નો સવાલ હોય છે, ધાર્મિક વ્યક્તિ માટે મનો:રંજન . કે બહુ બહુ તો ચિત:રંજનનો. અહી ધાર્મિક લોકો પોતાના સમય ને એડજસ્ટ કરીને અમને એપોઇન્ટમેન્ટ આપે છે. અને અહી બેસે ત્યારે ઘડિયાળના ફોટા પાડતા હોય છે 

____________
_________
મને ખબર છે તારા જેવા કેટલાક દિવેટિયા હોય છે .. ઘણી વખત હું એમને જે વાત કરું છું, દીવાશડી ચાપું છું ત્યારે ખબર જ હોય છે તારી પાછળ કયો અને કોનો બોમ્બ લગાડેલો છે અને તે ક્યા જઈને ફૂટશે. હુય પહેલા આવી કેટલાય લોકોની દિવેટો લઈને ફરતો હતો. 
___________
1. ..અતિક્રમણ થયા પછી પ્રતિક્રમણ ના કરવું તે સંડાસમાંથી બહાર આવીને હાથ ના ધોવા બરાબર છે. બીજા મા શરીર ગંદુ થાય પહેલામાં ભવ ગંદો થાય...આંઆંકક થું...
2. હું જે કઈ પણ વિચારું છું તે તમારે માનવા જ તે જરૂરી નથી ...મારી ટની હું ફક્ત મારી વોલ પર કરી સકું તમારી વોલ બગાડવાનો મારો કોઈ હક્ક નથી જ, હું મારી શેરીના થાંભલા પર મારી સરહદ નક્કી કરું છું...તમે તમારી શેરીના થાંભલા વાહલા કરો .. 

___________


૧. જયારે કોઈ અપમાન કરે છે ત્યારે તે પોતાની શક્તિ ગુમાવે છે અને તે સહન કરનાર એકઠી કરે છે.
૨. આયુષ્ય વર્ષમાં માપવાની આપણને ટેવ છે એટલે એતો... ખરેખર તો આયુષ એ શ્વાસોશ્વાસની ગુણવત્તા અને ગણતરી છે. એટલે જ અમુક ક્રિયાઓ વધારે ખર્ચાળ છે અને અમુક ક્રિયાઓ ઓછી ખર્ચાળ તે જાણી લેવું જોઈએ. ગુસ્સામાં શું ગુમાવીએ છીએ અને હાસ્યમાં તથા યોગમા શું ગુમાવીએ છીએ તેની જાણકારી કામ લાગી સકે છે.
૩. કોઈનેય છંછેડીને ક્યારેય મોક્ષે ના જવાય. કોઈ આપણને છંછેડે તો શાંતિ રાખવી. છંછેડ્યાનો બદલો લેવા જઈએ તો મોક્ષે જઈ રહ્યો પછી !

__________

રુલ ૪૯-ઓ સંબંધી પોસ્ટ્સ



આ મારા હાળાઓ, જાહેરમા આંતકવાદીઓ અને ભારત "માં" ની Live "બીપી" ઓ દેખાડે છે. અને તેના પ્રોડ્યુંષર પાછા આપણે જ હો. 

આ હુમલાઓ માટે સરકાર નહિ આપણે જ જવાબદાર છીએ કારણકે સરકારને આપણે જ સિલેક્ટ કરી છે. હજી પણ રસ્તો છે. વાંચો.... વાંચો ... આપણાં સંવિધાન મા આપણો હક છેજ રુલ ૪૯-ઓ. ક્યા સુધી આંખ આડા હાથ કરી રાખીશું, અને બીજાનાં દોષ જોયા કરીશું?
તે રુલ મુજબ જો કોઈ વોટ નોધાવે અને તે વોટ ની સંખ્યા વધારે થાય તો જેટલા લોકો ઉભા હોય ઈલેક્શન મા તે બધા હારેલા જાહેર થાય અને ફરીથી ઈલેક્શન નાં લડી શકે ત્યાંથી. આ વોટ નો ઓફીસીઅલી સાદો મતલબ થાય છે કે "બધાય હરામખોર છે" . કોઈ એક ને વોટ આપવો તેનો મતલબ એ થાય કે "આજ યોગ્ય વ્યક્તિ અને યોગ્ય પાર્ટી છે" તેવું કહેવું. મોટે ભાગે બધા એમ કહેતા હોય છે કે બધાય ચોર છે એક ને તો વોટ આપવો જ પડે ને એટલે ઓછા ચોર ને વોટ આપીએ. પણ, એવું નથી આ રુલ મુજબ તમે એવું કહી શકો છો કે બધાય ચોર છે. તોજ સાચી વ્યક્તિ ઓ ને ઈલેક્શન લડવાનું પીઠબળ મળશે.





મારું માનવું છે કે સત્તા પ્રજા ને આપવો. ઇવીએમ મશીનમાં રુલ ૪૯-ઓ માટે નું એક બટન મુકવો ભૈસાબ. અને લોકો ને સત્તા આપો આ ભ્રષ્ટાચારીઓને સજા આપવાની. જયારેરાજકારણીઓ બ્રશ્તાચાર કરે છે ત્યારે કોઈ પુરાવા છોડી નથી જતા.તેને સાબિત કરવું મુશ્કેલ છે. વળી ચુકાદા માટે ૧૦-૧૫ વર્ષ ની રાહ જોવાની આવે, વચ્ચે સરકાર બદલાઈ જાય ને પછી ઠેરનું ઠેર. એના કરતા આ એક બટન આપો પ્રજાને. પ્રજાને નક્કી કરવા દો કે તેમને કોણે સજા આપવી છે. ઇલેક્શન આયોગ પણ ચુંટણીમાં ભ્રષ્ટાચાર રોકવાનું પ્રાણ લઈને કાયદા બનાવ્યા છે. ન્યાય્પલીકોમાં પણ તેના કાયદા છે. લોકાયુંક્તના કાયદા છે. સરકારી દફતરોમાં થતા ભ્રષ્ટાચાર માટે પણ કાયદા છે. પણ પ્રજાને આના માટે ની કોઈ સત્તા નથી.
ખાલી એક વિનતી છે, લોકો ને સતા આપો, લોકો ગંગાજળ અને ગટરના પાણીનો ભેદ સારી રીતે સમજે છે. અને તે જ ૧૦-૧૫ વર્ષ સુધી ચાલતા ચુકાદાઓનો અંત લાવી દેશે અને લોકશાહી નો ખરો અર્થ "લોકોના હાથમાં સત્તા" નો પુરો થશે. સમગ્ર રીતે દરેક મતદાન ક્ષેત્રમાં લોકો અનુભવ કરે છે કે કોઈ લાયક વ્યક્તિ ચુંટણીમાં ઉભો રહ્યી નથી સકતો. તો લાયક વ્યક્તિઓ ઉભા રહ્યી સકે તેવી વ્યવસ્થા કરો. અને તે એક જ રીતે થયી સકે, જે ઉભા છે તે બધાને ગેરલાયક ઠરાવી સકાય તેવી વ્યવસ્થા જે રુલ ૪૯-ઓ માં છે જ , તેનો રસ્તો સરળ કરી આપવો.
અન્નાજી અને તેમના બાહોશ વકીલ સાહેબો, શું તમે આના માટે કઈ ના કરી શકો?




જો કોઈ વ્યક્તિએ મારી કોઈ બહેન પર બળાત્કાર કર્યો છે, તેની મને, ખબર પડે, તે વ્યક્તિ મારી સામે હોય, મને જો ન્યાય પાલિકામાં, ન્યાયનો વિશ્વાસ ના હોય તો હું શું કરું? એ વ્યક્તિનું એ અંગ વાઢી નાખું, કારણકે મને એજ ન્યાય પાલિકાના ન્યાય પર વિશ્વાસ નથી એટલે બચવાના ચાન્સ વધારે છે. અને પેલો , જીન્દગીભર આ કૃત્ય કરી ના સકે તેની વ્યવસ્થા પણ થયી ગયી હોય છે. હું બહેન ને તેનું એ જીવન પાછું નથી અપાવી સકતો, પણ હવે આગળનું વિચારવાનો સમય છે. શું હશે તેના કર્મ એવા કહીને બેસી રહેવાનું ? હું ય એજ કહું છું કે એ ડોબાના કર્મે જ આ થયું.
જે ઈવીએમ મશીન નો ઉપયોગ કરીને આ નેતાઓ ભારતમાં પર બળાત્કાર કરે છે, તેમાં જ એક બટન રુલ ૪૯-ઓ મુજબ મુકાવો. જેથી લોકો એ નેતાનું એ અંગ ત્યાં વાઢી સકે. એક નવા કાયદા થી આ વકીલોને જ ફાયદો છે. પ્રજા તો ઠેર ને ઠેર જ રહેવાની. સુખરામ ના કૌભાંડ થી આજ સુધીના કૌભાંડ માં કશુંય નથી થયું. આ એક બટન આપો અને અપ્પાવો મારા રામ.



_____
૪૯-ઓ રુલે સાચા વ્યક્તિને તો ચાન્સ આપશે જ ને ... જેને વ્યક્તિ ખોટો લાગતો હોય પણ પક્ષ સારો લાગતો હોય અને એવા લોકો બહુ હોય તો તેમનો વિજય થાવોજ જોઈએ ...અને થશે જ 
૪૯-ઓ નિયમ આજે પણ છે જ પણ ભણેલા લોકો ને ખબર નથી એટલે જે નથી થયી શક્યું તેવું તો રહેવાનુંજ ....બટન આવ્યા પછી પણ એ રહેવાનુંજ ...તેના માટેજ હું એમ કહું છૂકે ૪૯-ઓ ના રુલ પ્રત્યે જાગૃતિ વધારવી ...આજે પણ આ રુલ મુજબ બટન નથી પણ તેનું રજીસ્ટર તો છે જે.. તોયે ઘણા આનો ઉપયોગ નથી કરી શકતા એટલે બટન પછી પણ નહિ કરી શકે તેવું બને જ.
ચુત્નીપંચના નિયમો આટ આટલા હોવા છતાં કોઈ કશુજ નથી કરી શકતું એટલીસ્ટ જનતા તો ગંગા જલ અને ગતર કહી શકશે ...ચુંટણીપન્ચ પણ રાજકારણીઓના ઈશારે ચલ્તુજ હોય છે.
હા , ઓવર અલ્લ વોટિંગ તો ભારતમાતા ના કપાળે કદી તિલ્લી સમાન છે, તેને તો ૪૯-૦ ઓછી કરી શકે ખરી ક્મકે ઘણા યુવાનો ને ખબર પડશે કે બધા ને રીજેક્ટ કરી શકાય છે તો રજા ના રાખી હોય તોયે કપાતે પગારે પણ રજા રાખીને રોષ ઠાલવવા જશે ...
ઇવીએમ ના ચેડા, માં કશુંય ના થયી શકે આપણાથી... પણ તેનાથી ૪૯-ઓ ને બાકાત રાખવાની જરૂર નહિ રહે ...
વાટ એટલીજ છે ૪૯-ઓ નું બટન આવે તો ગુપ્તતા જળવાય અને તેના વિષે જાગૃતિ ફેલાય ...એક દિવસ એવો આવશે કે રાજકીય પાર્ટી થર થર કંપવા લાગશે ...કારણકે તે પ્રજા પાશે ની સત્તા છે...તેમાં ના કોઈ મુદત, તારીખ, આક્ષેપ, સુનાવણી .... સિદ્ધો ન્યાય થવાનો છે ડામરદોચ ને ડામરદોચ કહેવાની સત્તા છે. :) :) :) જુઓને ગયી સાલ પહેલા મારા વર્તુળમાં ફક્ત ૨-૩ જાણ જ જનતા હતા આજે ઓછામાં ઓછા ૧૫૦ જાણ જનતા થયી ગયા છે ... આપણે જાણકારી વધારવી ...તેજ ઉદ્ધેશ છે.



______
In a ward or constituency, if a candidate wins, say by ’x’ votes, and that particular ward has received "49-O" votes more than x, then that polling will be cancelled and will have to be re-polled.
Not only that, but the candidature of the contestants will be removed and they cannot contest the re-polling, since people have already expressed their decision on them. This would bring fear into parties and hence look for genuine candidates for their parties for election. This would change the way of our whole political system. It is seemingly surprising why the election commission has not revealed such a feature to the public.
Please spread the word about this and make our fellow countrymen aware of this right. No political party (or conventional media) would campaign for it. It’s yours and my duty. So, let’s go ahead from today!