Friday, February 18, 2011

ગાંધી,The Hero


ગાંધીતો ફરેલો હતો, એતો બોલે કે બધા એ પોતાની જરુરીઅતો પોતેજ પૂરી કરવી જોઈએ. એ લખોટા ને શું ખબર પડે કે તેની જરૂર દેશ ને કેટલી છે. આખી જિંદગી પહેરવા માટે ખાદી વણે, અને ખાવા માટે ખેતી કરે,અને પછી ફૂંક મારી મારી ને રાંધવા માટે ચુલા સળગાવે, એના કરતા એટલા સમય માં દેશ માટે કેટલું કામ કરી સકે ? એ બુધ્ધુ એ અર્થશાસ્ત્રનું પેપર કેવી રીતે પાસ કર્યું હશે? બહુ મોટો બેરિસ્ટર વાળો ના જોયો હોય તો. હા, ઠીક છે આધ્યાત્મિક વાતોમાં આ બધું સારું. આપડે તેમને પગે લાગવાનું અને મન આપવાનું પણ અર્થશાસ્ત્રની વાત આવે ત્યારે મારો ને ગોળી.
_________________________________________________________
 ગાંધી એવી હિંમતના માણશ હતા કે અત્યારે જીવતા હોત તો ફરીથી લડાઈ શુરુ કરી દીધી હોત. ભલા આદમીની ને એક કમજોરી હોય છે કે તે આખી દુનિયાને પણ ભલા સમજી લે છે.  ... ગાંધીજી એ આજ ભૂલ કરી હતી 
 _________________________________________________________
જે Trusteeship ના નિયમ પર ગાંધીજી એ સ્વપ્ના દેખ્યા હતા તેની  આઝાદી મળતાજ ધજીયા ઉડી ગયી હતી. અને ભારતે આઝાદીની લડાઈમાં યોગદાન આપનારા ઉધ્ધ્યોગ પતિઓને લાઇસન્સની લાણની  કરીને તેમને કરેલા investment  નું પૂરું વળતર ચૂકવી દીધું હતું. કોંગ્રેસની સ્થાપના પછી મોતીલાલ પંડિતે કરેલી મદદનું જવાહરલાલે પૂરું વળતર લીધું હતું તો બજાજ વગેરેને લાઇસન્સ આપીને ખુશ કાર્ય હતા. 

_________________________________________________________
દુનિયામાં કાળા કામ કરનારા સફેદ કપડા શોધીજ કાઢે છે. જો આવીજ રીતે રાજકારણીઓ ની સામે જનતા ભભૂકતી રહશે તો એક વખત ખાદી અને ગાંધી ટોપિઓની જાહેરમાં હોળી કરવી પડશે ... નાના બચ્ચા ભવિષ્ય તરફ દેખે છે બુઢ્ઢા લોક ભૂતકાળ ની તરફ દેખે છે જે દેશ ભૂતકાળની વાતો કરે છે સમજો બુઢ્ઢો થયી ગયો.. 

_________________________________________________________
ગાંધીજી અને તેમના અનુયાયીઓ માં આધ્યાત્મિકતા અને રાજકારણ નું સંયોજન હતું અને આઝાદી મળતાજ સાર અસાર નો ભેદ પર્ખાયી ગયો. ગાંધીજી માટે રાજકારણ અસાર હતું તે છૂટી ગયું અને અનુયાયીઓ માટે આધ્યાત્મિકતા અસાર હતી તે છૂટી ગયી. પછી જે થયું તેના આપણે સાક્ષી છીએ. ગાંધી કે તેમના અનુયાયીઓ ક્યારેય ખોટા નહોતા. ગાંધીની, અનુયાયીઓ પાશેથી જે અપેક્ષા હતી તેની હાર થયી હતી. કોન્ગ્રેસને વિખેરી નાખવાના પ્રસ્તાવ વખતે ગાંધી બધું જાણતા હતા.

_________________________________________________________
સવાલ નજરોનો હતો ગાંધીની નજર અને તેમના અનુયાયીઓની નજર ક્યાં હતી તે આઝાદી મળતાજ થયેલા ના.હું..હૂઊ ના...હૂઊઊ કરવા બેઠેલા નેતાઓ થી ખબર પડી ગયી હતી 

_________________________________________________________
ગાંધીજી કઈ ઓછી માયા નહોતી, બહુ ઉચ્ચ કક્ષાની ખોપડી હતી, તે અત્યારે હોત તો એમ ના કહત કે પ્રદુષણને બચાવવા પોલીશઓ એ સાયક્લ ચલાવવી જોઈએ, એમની કોઈપણ વાત માં તે સમયે વજૂદ રહેતું. તે જીદ્દી નહોતા બહુ દુરન્દેશી હતા. નહીતર વસ્તી વધારા ને અટકાવવા માટે સ્ત્રી કેળવણી ની વાત ના કરત. જો કોન્ડોમ પણ ખાદીના બનાવડાવ્યા હોત તો કહેવાત કે તે ખાદીના જીદ્દી હતા.  

નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો

No comments: