Showing posts with label Lend me thy moksha.. Show all posts
Showing posts with label Lend me thy moksha.. Show all posts

Saturday, July 31, 2010

સમ્યક દ્રષ્ટિની યાત્રા.

સવાલ: જો તમારે આજથી ૨૫૦૦ વર્ષ પહેલા જેવો જ અદ્દલ ધર્મ પાળવો હોય તો એવા ગામ શોધી કાઢો જ્યાં હજી electricity પહોંચી નથી. વીજળીની શોધે સંયમ ધર્મના મોટા ભાગના નિયમો સામે પ્રશ્નાર્થ ચિન્હ મૂકી દીધું છે. જો ધર્મ એ પ્રક્રિયાઓનો, નિયમોનો સમૂહ હોય તો, બદલાતા સંજોગોમાં શું એ પ્રક્રિયાઓ ને વળગી રહેવું કે તેમાં પણ બદલાવ લાવવો? 

જવાબ: જો ભૈ, ધર્મ એ કોઈ નિયમ નથી કે નથી કોઈ પ્રક્રિયા. આપણે આપણને જાણતા થયા એટલે ધર્મ ની સરુઆત થયી નહિ કે આ નિયમો કે પ્રક્રિયાઓ ને જાણીએ એટલે. પર્યુસનમાં મુહ્પતી વડોલોમી ખબર પડ્યા વગર કર કર કરવું તેના કરતા, બેસ અહી ને, આજે શોધ કે તારી લોભની ગાંઠ કેવી રીતે વર્તે છે. પંખો કરવો હોય તો કર અને AC કરવું હોય તો AC કર. પણ બેસ તો ખરા એક વાર. એક વખત આમ સામાયિક માં બેસીએ એટલે આપણી પ્રજ્ઞા ખુલે અને ખુલેલી પ્રજ્ઞાથી જે જે પણ ગાંઠ દેખાય તે ભસ્મ થયીજ સમજો. આ ગાંઠો જ આપણાં કર્મોનો સરવાળો છે. કર્મો ની નિર્જરા ની આ એક મેથડ છે. એક એક ગાંઠમાં કેટલાય મંતવ્યો છે, રૂઢિઓ છે, ગ્રંથીઓ છે અને આ ગાંઠો ને કારણે દ્રષ્ટી મલીન થયી છે. એક એક ગાંઠ ને ઓગળીએ એટલે તેટલી દ્રષ્ટી ક્લીઅર થાય અને તેટલું ક્લીઅર ધર્મનું પાલન થાય. એટલે પ્રક્રિયા અને નિયમો થી વધુ દુર થવાની જરૂર નથી. બસ, અહી થી જ સરુ કર. બેસ પલાઠી વાળીને.. 

સવાલ: આ ગાંઠોને એટલે શું.. સમજાવો 
જવાબ: જગત આખું નિર્દોષ છે. કોઈ પણ વ્યક્તિ આપની સાથે વાત કરે છે ત્યારે તે વાતચીત દરમ્યાન,આપણાં મગઝ્માં અમુક મંતવ્યોનો કચરો નાખી જાય છે. આ મંતવ્યો માંથી સમય જતા opinion બંધાય છે. તેમાંથી પછી belief( પૂર્વગ્રહ) અને પછી ગાંઠ અને પછી ગ્રંથી. આપણે હરરોજ આવી કેટલીય ગ્રંથીઓના ચશ્માં પહેરીને દુનિયા ને દેખિયે છીએ અને વ્યવહાર કરીએ છીએ. આ ગ્રંથીઓને કારણે લોકોને દોષિત દેખીએ છીએ. અને તેજ આપની મિથ્યા દ્રષ્ટી છે. દ્રશ્ય માં કોઈ દોષ નથી. પણ તે આપણી ગ્રંથી માંથી પસાર થતા દોષિત બને છે. દ્રશ્ય તો વર્તમાન છે.

કોઈ બાઈક ૧૦૦ km ની સ્પીડ પર ચલાવતો હોય તો તે દોષ નથી. પણ આપણી ગ્રંથી ની ખામીને કારણે તે દોષિત દેખાય છે. બની સકે છે કે તે એક ડોક્ટર છે ને કોઈ patient ના call ના કારણે તે સ્પીડ પર ચલાવતો હોય. કોઈને આવી રીતે બાઈક ચલાવતા દેખિયે ત્યારે આપની અંદર બેઠેલા મંતવ્યો ..વગેરે દોડાદોડ કરીને વગર પૂછ્યે દોષિત ઠેરવી દે છે. આમાંથી છુટકારો મેળવવો છે એવું ભાન થાય એટલે જીવ અભવ્ય જીવમાંથી ભવ્ય જીવમાં આવ્યો તેમ કહેવાય અને ત્યાર પછી સરુથાય સમ્યક દ્રષ્ટિની યાત્રા. 

આ ગ્રંથીઓની/ ગાંઠોની તોડફોડ કરવી એનું નામ સામાયિક. અને તે તોડતા તેનાથી પડેલા ડાઘા દેખાય એણે ભૂસવા તેનું નામ પ્રતિક્રમણ. 

સવાલ: પર્યુષણ માં આપણે જે મિચ્છામી દુક્કડમ કરી એ છીએ તેવી માફી દુનિયાના કોઈ ધર્મ માં નથી. આવી રીતે ખુલે આમ માફી માંગ્યા પછી પણ વેરઝેર કેમ ઓછું નથી થતું?

જવાબ: એતો સાલમુબારક કરતા હોઈએ એવી રીતે માફી માંગીએ છીએ એટલે. બાકી એવું એક પશ્ચ્યાતાપ પણ થાય ને તો ભવોના કર્મો ખપી જાય અને કેટલીય ગાંઠો પીગળી જાય. ક્યારેય કોઈ સામાયિક વખતે એવું થયું છે કે કોઈ એક ગુનો યાદ આવીયો હોય અને તેને પોક મુકીને રડીને પશ્ચ્યાતાપ કરવાનું મન થયું હોય? આ કર્મોની કુદરત છે, તે અહી તારું હાજરીપત્રક લઈને પગાર આપવા નથી બેઠું. જેણે જેવું કર્યું તેનું તેવું બધાયું અને જેણે છોડ્યું તેનું છૂટ્યું. વેરઝેર ઓછું નહિ સમૂળગું કાઢી નાખવા માટે નો ભવ મળ્યો છે. ચેત મછંદર. 

સવાલ: તમને સાંભળીયે છીએ ને તો મન ને આમ શાંતિ મળે છે, આત્મા ને જંપ વળે છે. આવું જ્ઞાન મળે એટલે બસ હવે ઉદ્ધાર નજીકમાંજ છે તેવું લાગે. 
જવાબ:ખોટું, બિલકુલ ખોટું, ભૈ આને જ્ઞાન ના કહેવાય આ તો બે ઘડી મનોરંજન કહેવાય. આનાથી આત્મા ને કઈ લેવા દેવા નહિ. સાચું જ્ઞાન લેવું હોય તો અહી નહિ.. પેલા જ્ઞાની પાસે જા. આ તો મનોરંજન કહેવાય, અલખની રંજન નહિ. આત્માનું તને બધું સમ્જાડી દેશે. મારાથી કોઈનો ઉદ્ધાર ના થાય. હું જ બીજે આંગળી ચીંધુ છુને. આતો નાટકના ડાઈલોગ કહેવાય. બાકી જ્ઞાની ના સબ્દોમાં તો કાનો માતર પણ ના બદલાય

Saturday, March 20, 2010

મને મોક્ષ ઉછીનો આપો., Lend me thy moksha.

1. આફૂસ કેરી ખાવાનોય સમય ના હોય તેની પાસે જ આફૂસ કરી ખરીદવાના પૈસા આવે છે.

2. સંજોગ...એટલે ..જુઓ ...તમારા ઘેર થી બાર(દારૂના) સુધી જવાનો રસ્તો ૧૦ મિનીટ નો હોય પણ એજ બાર થી ઘેર પહોંચતા ૩૦ મિનીટ થાય એવું બને. કેમ...રસ્તા એજ ...વ્યક્તિ એજ ? કારણકે વચ્ચે સંજોગ બદલાયી ગયા તેમ કહેવાય.
3. એતો બરાબર પણ,જવાની છે એટલે બધું બરાબર લાગે. પણ ઘડપણમાં તબિયત વગેરે સાથ ના હોય ત્યારે લગ્ન ની કિંમત સમજાય આજકાલ તો દીકરાની પાસે પણ અપેક્ષા ક્યા રાખી સકાય છે? . ...એમ... તો તો wife નો વીમો પણ ઉતારવી લેવો પડે, કારણકે ઘડપણ માં એ વહેલા જાય તો પછી Nurse નો ખર્ચો કોણ આપે અથવા ફરીથી લગ્ન કરવા પડ્યા તો ????
4. સામાયિક એટલે ...કાલે મારી પાસે શું હતું અને આજે નથી ...તેમજ આજે શું છે જે કાલે નહોતું ...તે દેખવાની કળા.
5. ભાષા ની જ મોંકાણ છે. જેમ english બોલીને રોફ છંટાય છે તેમ સંસ્કૃત નો પણ રોફ છંટાય છે. જો લગ્નની વિધિ ગુજરાતી માં થાય તો ૫૦% છૂટાછેડા અટકી જાય.
6. લગ્નમાટે વાસના ગૌણ હોતને તો લગ્ન કરાવનાર ગોરમહારાજને ફટકારીને પૂછ્યું હોત.. કે એય... હેય ..મારા નામે કયા કયા વચનો આપો છો ?
7. કોણ તમારી નજદીક છે.. એતો કોઈના મૃત્યુ ના સમાચાર આપતી વખતે કયો સવાલ આવે છે તેનાથી નક્કી થાય ... (૧). ના હોય... તમે ક્યા છો હું આવું છું.. (૨). હે..ક્યારે ..ઓકે ઘેર લઇ ગયા ... ? (૩) ઓહ આઈ સી ક્યારે કાઢવાના છે ? (૪) ..હે... બેસણું કયારે રાખ્યું છે ?
8. દોસ્તી એટલે ... બે કી.મી. દુર ઘાયલ થયેલા દોસ્તના ઘેર જવાના બદલે ફેસબુક પર "ગેટ વેલ સૂન" કરવું એટલે કાચી દોસ્તી અને બારણે આવીને દોસ્ત ટકોરો મારે તે પહેલા બારણું ખોલી નાખીએ તે પાક્કી દોસ્તી.
9. જુઓ ને... માંણ માંણ જિંદગીનો અર્થ સમજાય ત્યાં જ અર્થી ઉપડી જાય છે.
10. વિશ્વાસ ... તમે કોઈને ૨૩ રૂ. ની વસ્તુ વેચી અને તેણે ૧૦૦ રૂ. ની નોટ આપી. તમે ૭૭ રૂ. પાછા આપ્યા. જો તેણે ગણ્યા વગર ખીસ્સા માં મુક્યા તો તમે વિશ્વાસપાત્ર છો. અને તેણે ગણીને મુક્યા તો ...તમે વિશ્વાસ પાત્ર છો તેની તેણે ખબર નથી.

11. લોભ ?... આતો ધંધાર્થીઓની વાત છે ..જે બપોરે ઘેર જઈને જમે તેનો ઓછો, ધંધા પર ટીફીન નું જમે પણ સમયનો ચલાનાંક ૦ તેને મઘ્યમ અને ધંધા પર ટીફીન નું જમે પર સમયનો ચલાનાંક વધારે તે વધારે લોભી કહેવાય.

12. ધારે ત્યારે સંડાસ કરી શકે તે તારો ભગવાન. લાગે ત્યારે છીં કરી લે તે મારો ભગવાન.એતો ચમત્કારમાં નહિ સહજતામાં છે.
13. વિષય એટલે ...દૂધ પીવું જોઈએ તેવું સાંભળે, પછી દૂધ તબિયત માટે સારું એવું મંતવ્ય બંધાય, પછી દૂધ વગર કેવી રીતે ચાલે? તેવો અભિપ્રાય બંધાય અને પછી તે બે લીટર દૂધ માટે ભેંશ પાળે.
14. ટોળું એટલે સત્યનો નાશ, સત્યાનાશ. સત્ય મળે એકાંતમાં,પછી તેના distribution નો ભાવ જાગે. એટલે setup નક્કી થાય. પછી એક organisation બને.Organisation માં પૈસા આવે. પૈસા ટોળું ખેચી લાવે. પછી ટોળાને જાળવવા માટે કવાયત થાય. પછી એ ટોળા ને જોઇને celebrates આવે. એ પાછું ટોળું લાવે... બોલો હવે ????
15. જૈન અને મોક્ષ ? ૧૦૦ ગાઉંનું છેટું..જૈન બંધુ કામે જવા એકતો છેલ્લી ઘડીએ નીકળશે. વચ્ચમાં ૧૦ મિનીટ દેહ્રાસરમાં વિતાવશે. અને પછી એ ૧૦ મિનીટ ને કવર કરવા અખ્ખા રસ્તે ૧૦૦ વખત હોર્ન મારશે, ૫૦ વખત ઓવરટેક કરશે અને ૨૫ વાર રોંગ side માંથી ઓવરટેક કરશે. અને ૧૫૦ જણની ગાળો ખાશે. ઓફિસે તોયે મોડો પડશે તો વાંક ટ્રાફિક નો કાઢશે. મોક્ષ તે આવા ઓનો કઈ શંભુ મેળો છે?
16. કંજુસાઈ ... એતો અમદાવાદી ને પૂછો ...તે મર્સિડીઝ ના showroom માં જઈને પહેલો સવાલ કરશે ... CNG મોડેલ છે ?અને પેટ્રોલ બચતું હોય તો ગમે તેવા રસ્તે તે રોંગ side માં કાર ચલાવશે.

17. સતયુગ અને કલિયુગ વચ્ચે તફાવત એટલે ... આપળે કોઈને પૈસા આપીયા હોય અને તે પાછો આપે એટલે આપળે receipt આપીએ અને લખીએ કે "Received with thanks " ...તે કલિયુગ જયારે સત્ત્યુગ માં તે પૈસાની સાથે receipt આપે લખીને કે "Returned with Thanks "

18. બ્રહ્મચર્ય એટલે શરીર ના એ ચાર ઇંચ ના ભાગ પર લગાડેલું તાળું નહિ... એતો બ્રહ્માંડ માં વિચરીને સત્ય શોધવાની ચાવી છે.
19. લોકોને, સ્વપ્નાઓ દેખીને કામે વળગી જનારાઓની કંપની ના શેર ખરીદી, સ્વપ્ના દેખવાની ટેવ હોય છે.
20. બેસ્ટ ડ્રેસસેન્સ કોને કહેવાય? જે પોતાના શરીર ની ભૂગોળ સમજી, આસપાસ ના નાગરિકોના શાસ્ત્રનું ધ્યાન રાખીને ઇતિહાસ રચે.

21. સારા સિનેમા ,નાટક મનો:રંજન કરે છે. ધ્યાન વી. થી ચિત:રંજન થાય છે. જયારે આત્મા માં રહેવાથી અલખની:રંજન મળે છે.

22. દરેક વ્યક્તિ નું માનસિક લેવલ તે ક્યારે કોના પક્ષમાં હોય છે તેનાથી નક્કી કરી સકાય છે.માનસિક લેવલ ના નીચલા સ્તરે તે પોતાના સિવાય કોય્નાય પક્ષમાં નથી હોતો જેમકે આદિવાસી જાતિની વ્યક્તિ.ધીરે ધીરે તે કુટુમ્ભ પછી શેરી, ગામ , સમાજ ના પક્ષ લેતો લેતો માનસિક રીતે develop થતો જાય છે. પછી તેના devlopment ના લેવેલ પ્રમાણે તે રાજ્ય નો પક્ષ, પછી ભાષાનો પછી દેશનો અને છેલે પર્યાવરણ નો પક્ષ લેતો થાય છે.
આટલે સુધીના development એ એક મનુષ્ય તરીકેની અન્ત્યાંતિક સિદ્ધી છે. પણ જયારે પર્યાવરણ ની પણ આગળ વધી ને કોઈ જીવમાત્ર નો પક્ષ લે તે મનુષ્ય મટીને મહામાનવ ના લેવલે પંહોચી ગયેલ હોય છે.

23. જમીને થાળી dinning ટેબલ પર જ મૂકી ને ઉઠી જનારા, તે થાળી ને એંઠી સમજે છે. તેઓનું વર્તન કામ પતિ ગયા પછી, વેસ્યાવાડા જેવું હોય છે.
24. ભૂલ જે ના ચલાવી સકાય ...? ...દરરોજે કઈ ભૂલ થયી તે શોધવાનું ભૂલી જવું.. અને થયેલી ભૂલો માંથી શીખવાનું ભૂલી જવું.