Showing posts with label શાકાહારી movement. Show all posts
Showing posts with label શાકાહારી movement. Show all posts

Thursday, October 14, 2010

શાકાહારી movement

ભાઈ, આ શાકાહારી movement  એક બાજુ ચાલુ થયી છે. તેના વિષે પણ લોકો બોલશે કે નહિ. જે દિવસે દુનિયાના ૩% લોકો માંશાહારી માંથી શાકાહારી બનશે ત્યારે જ  આ શાકાહારી મૂવમેન્ટ ચલાવનારા ડોબાઓ ને ખબર પડશે કે તેમણે કેવડી મોટી ભૂલ કરી છે. આપણે શાકાહારી છીએ તે કેવડી મોટી લક્ઝરી છે તે જ છીન્વાયી જશે. લોકો ને માશાહાર કરવો હોય તેમને કરવા દો. તેને મોક્ષ સાથે કોઈ જ લેવા દેવા નથી. બીજા ના માંશાહારથી તમારો મોક્ષ ક્યારેય નહિ બગડે તેની ગેરેંટી મહાવીરે ભૂલમાં ના આપી હોય તો હું જવાબદારી લઉં છું. કંદમૂળ ખાવા હોવ તો ખાવ અને ના ખાવા હોવ તો ના ખાશો.

મુખ્ય ચીજ છે જાગૃતિ..સાત્વિક ભોજન તમારી જાગૃતિ વધારશે ..અને તે તમારા આત્મજ્ઞાન ના રસ્તે મદદરૂપ થશે. આમ બીજા ની પંચાત ના કરશો. જીવો અને જીવવા દો  "તમને કહ્યું છે.. "  "...તમારે કહેવાનું નથી", તેવું કહેવાની જવાબદારી અને જોખમ બહુ મોટ્ટું છે કેટલાય ભવોના પુણ્યનું નિયાણું કરવાની તાકાત રાખવી પડશે. તે બધાજ ખેલ પુદગલ ના છે .પુદગલ પુદગલ ને આકર્ષશે. તમે વચ્ચે તમારો પુરુસાર્થ રાખજો કે મારે નિમિતે કોઈ જીવમાત્ર ની હિશા ન થાય. શાકાહાર થી જે જાગૃતિ આવે છે તે પછી બીજા શું કરે છે તેના ડોકાચીયા કાઢવામાં અને ચોતરે ચૈદાશ્યું કરવામાં વાપરી નાખે છે.    

જગતના ખાલી ૩% લોકો પણ શાકાહારી બની જશે ને તો કુદરતના બેલેન્સ માં ઓઝોન કરતાય મોટું ગાબડું પડી જશે. તમને ખબર નથી કે તમે તમારા પગ ઉપરજ કુહાડો નહિ, આ સમગ્ર "જાતિ.." ના મર્મ સ્થાને સુતળી બોમ્બ ફોડી રહ્યા છો. થોડા સ્વાર્થી બનો. આમ પરાયા બને કેમ ચાલશે ... ?  

Novel: Lend me thy moksh