Sunday, July 18, 2010

હું...તું...અને ધર્મ. હતું ..ટુ ટુ ટુ તુતુતું

"ભગવાન છે અને તે દરેક નું ધ્યાન રાખે છે" તે કાયર/નાશીપાશ થયેલા લોકોને આપવામાં આવતી સાંત્વના છે.તે માણશે સર્જેલું fiction છે. હકીકત એ છે કે કુદરતના નિયમો થી બહાર કશું થતું નથી. અરે આ ભગવાન પણ જો પાછો આવશે તો પણ તે એના નિયમને આધીન થયીને જ આવશે. તે માણસ જ હશે 'ને જ્ઞાન પામીને ભગવાન બનશે.     
___________________________________________________________
હું અને સયમ?  ક્યારેય નહોતું પાળ્યું. કરોડો વર્ષથી કેટલાય જન્મો માં ભોગવીને આવ્યો છું. આ તો અત્યારે હવે સાપની કાંચળીઓ ઉતરે છે અને ડુંગળીના પળોની માફક રીલ બધા ફરે છે. હવે થયો છે પુરુસાર્થ... બસ જેવો હતો તેવો પાછો સુધ્ધ થઇ જાઉં.
___________________________________________________________   
જૈનો ભલે કહે કે હવે કોઈ તીર્થંકર નહિ થાય, ચાલો માની લઈએ.પણ જ્ઞાની અને કેવળ જ્ઞાની વિષે કોઈ શક નથી. તે આવે છે અને આવતા રહે છે, આંખો પર મંતવ્યો,રૂઢિઓ,પૂર્વગ્રહો, ગાંઠો અને ગ્રંથીઓ  નું સામ્રાજ્ય છવાયેલું છે એટલે બાજુમાં બેઠો જ્ઞાની પણ કેમ દેખાશે ?
___________________________________________________________
આપણી જૂની  વખણાયેલી , વંચાયેલી  fictions  માં ભગવાન પહેલા મારઝૂડ/લડાઈ/ચમત્કારો કરીને દૈત્યો પાશે થી લોકોને બચાવે છે અને લોકોને કઈ કરવાનું રહેતું નહિ.એ શારીરિક સક્તિઓથી મુક્તિની વાત હતી.પણ પછીના અરસામાં આવેલા ભગવાનોએ જ્ઞાનનો, વિચારણાનો, પ્રેમ નો રસ્તો બતાવ્યો. અને લોકોને જગાડવાનો રસ્તો બતાવ્યો.  અને પછી સરુ થયી માનશીક સક્તિઓથી વિજય મેળવવાનો. પહેલા લોકોને છોડાવવાની વાતો હતી હવે આતો, પોતાને છૂટવાની વાત છે.    
___________________________________________________________
કૃષ્ણએ મારઝૂડ અને જ્ઞાન નું સંયોજન બતાવ્યું.પહેલા લોકોને પોતાને છૂટવાના કોઈ રસ્તા બતાવવામાં નહોતા આવ્યા. એમને બસ, "તમને દુખ માંથી બચાવવા કોઈ આવશે" નું ગાજર પકડાવ્યું હતું. પછી કૃષ્ણ, મહાવીર, બુદ્ધ વગેરે એ લોકોને ઝંઝોડ્યા અને અહી થી ભાગો ની વાત કરી. જન્મોના ચક્કરોથી જ છૂટવાની વાત કરી. શક્તિ ઉપર સમજ નો લેપ લગાડ્યો.  
___________________________________________________________
એટલા  માટેજ  આપણાં ભગવાન વિશેની કલ્પનાઓ કરીને જે પિક્ચર્સ બનાવવામાં આવે છે, વર્ણનો કરવામાં આવે છે તેમાં શક્તિનું પ્રદશન કરવા હાથોની વિકૃતિ પણ પ્રતીકાત્મક રીતે કરવામાં આવે છે. આંખોમાં ક્રોધ હોય તેવા માતાજીઓ નું ચિત્રણ કરવામાં આવે છે. એક હાથમાં શક્તિ અને બીજા હાથમાં સુખ અને શાંતિનું વરદાન આપતા બતાવીને "હખણા (સીધા) રહો નહિ તો ખેર નથી.. " ભાવના પ્રગટ કરવામાં આવી છે. સરવાળે ઉદ્દેશ શાંતિનો જ હતો. જીવો અને જીવવા દો નો જ હતો. બધા એ પોત પોતાની સમજ પ્રમાણે બધું ચીતર્યું. હવે આપણે આપની સમજ પ્રમાણે નવું ચિતરવું. 
___________________________________________________________
બધા ધર્મોની શરૂઆત તેના સો called  સ્થાપકને પહેલા ભગવાન નું પદ આપીને થાય છે. પછી એ પણ ધોષિત કરવામાં આવે છે કે હવે કોઈ આવું નહિ થાય.એમના જેવા જ્ઞાનીની વશાવેલી અહી પૂરી થાય છે.. જે છે તે આજ છે. અને પછી મારા જેવા બુદ્ધિસાળી લોક તેનો એક પંથ બનાવે. અને તે "ભગવાન"ની  કરુણા મેળવવા માટેના નિયમો બનાવે. અને પછી તેને અનુશરણ કરનારની સંખ્યા વધારવાના ચક્કરો ગતિમાન થાય. વારે તહેવારે તેમના ચમત્કારોની વાતો ફેલાય. તેમના કારણે કેટલી આર્થિક, શારીરિક કે સામાજિક મુશ્કેલીઓ ટળી ગયીની વાતો આવે .આ બધું તમને કોઈક શક્તિના ગુલામ બનાવી દે છે. ધીમે ધીમે તમને એ શક્તિની સામે ડરપોક બનાવી દેવાય છે. અને પછી તમે પોતે કોણ છો તે જાણવા નથી દેતું. બસ તમે "એમને" ને "તેમને" જાણવામાં આખો ભવ ગુઝારી દો છો. 

પણ બુધ્ધીસાળી લોકો આવું કેમ કરે..? 
કારણકે તેમને જ્ઞાન સાથે નહિ વેપાર સાથે નીશ્બત હોય છે. જ્યાં સુધી "આ છેલ્લા જ " આવું જાહેર કરવામાં ના આવે ત્યાં સુધી તેમનો ધર્મ નામનો વ્યાપાર અટકી જાય છે. કારણકે કોઈ બીજો આવી ને ( બીજું ગ્રુપ બનાવીને) પોતાને ભગવાન જાહેર કરીને ઉપદ્રવ કરી દે તો ? વ્યાપારીઓ ની કોઈ કમી છે અહી? કેટલાક જ્ઞાની ની વાત સમજીને અંદર ઉતારી દે છે,જયારે મારા જેવા સારી વાતોના એજન્ટ બનવા માંગતા હોય છે. મારા માટે જેના વિચારો સહજતા થી વેચી સકાય તેવા હોય તે વિચારો ઉત્તમ માલ છે. પછી તે માલ નું જરૂર પ્રમાણે પેકિંગ કરીને વેચી સકાય છે. હું તો એક Distributor  છું. મારા ત્યાં બધાના વાક્યો છે બધાની વાતો છે. આ માલ ખરીદવા માટે હું દુરદુર જઈને તપાસ કરું છું. હીરાની જેમ ચકાશું છું. અને પછી તમારે જોઈએ તેવું પેકિંગ કરી આપું છું.
___________________________________________________________
હું કિરાણા સ્ટોર જેવો છું. અને કેટલાક એક્ષ્ક્લુસિવ સ્ટોર વાળા હોય છે. અહી તમને તમારી પસદગી મુજબ નોજ માલ બતાવવું તે સેલ્સમેન્શીપ ની સ્કીલ કહેવાય. ત્યાં તમને તેમના જેવું કોઈજ નથી તેવું કહીને જે છે તે જ માલ મળશે.માણસની ચિંતાઓ સવાલો ક્ષણે ક્ષણે બદલાતા રહે છે અને એટલે તેમના ધર્મ વિશેના પ્રશ્નો પણ બદલાય છે. અહી સવાલ જવાબ છે. ત્યાં ભાષણ છે. તમારે જોઈએ છે તે માલ જો મારી પાશે નથી તો મારે પણ તેને શોધવોજ પડશે ને ? 
 
નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો

No comments: