Tuesday, November 2, 2010

માણસની દોસ્તી

ખરાબ રસ્તે સારા માણસની દોસ્તી અને સારા રસ્તે ખરાબ માણસની દોસ્તી તમારું ધનોતપનોત કઢી નાખશે. કારણકે ખરાબ રસ્તો હશે તો તે સારો માણસ પણ નહિ બચી સકે અને રસ્તો સારો હશે અને તે માણસ ખરાબ હશે તો, પહેલા તે માણસ, તમને ખલાશ કરી નાખશે. એટલે જ ખરાબ રસ્તે ખરાબ માણશ ની જાણ, અને સારા રસ્તે સારા માણશ ની જાણ જેટલી જલ્દી થાય તેટલો વહેલા ભવમાં આપનો ઉદ્ધાર થાય.

સેંકડો વર્ષો થી આપણે આ ચાલક ચાલનું રમ્યા કરીએ છીએ. જો તીર્થંકરોની વાણી, ને જ સાચી માની લઈએ કે, ".. આ જગત મા એક જીવ સિદ્ધ ના થાય ત્યાં સુધી નવો જીવ નિગોદ માંથી આવતો નથી..." તો આપને કઈ મૂડીની ભાજી છીએ કે નવા આવ્યા હોઈએ? આપણે ખુદ પણ આ ચોવીશેય તીર્થંકરો ની જયારે હાજરી હતી ત્યારે કોઈને કોઈ વેશ મા હાજર જ હતા. જો તીર્થંકરોની દેશના મા સમસ્ત જીવ ગણો હજાર રહેતા હોય તો આપણે પણ ત્યાં હજાર હતા જ.  સવાલ એ થાય છે કે... જો ત્યારે આપણે હાજર હતા જ તો.. જયારે તીર્થંકરોની દેશના ની  સભા થયી ત્યારે આપણે શું કરતા હતા ?  મને તો લાગે છે ત્યારે, કાંતો બહાર પાડેલી મોજડી ની લાહ્ય લાગેલી હશે અને કાતો મુંબઈની ગાડી મા જેમ મણીનગર હજી તો આવ્યું હોય અને થેપલા અને મરચાનો ડબ્બો ખોલીએ તેમ દેશના ચાલુ થતા જ કઈક ખોલીને બેસી ગયા હોઈશું ..


: નવલકથા મને મોક્ષ ઉછીનો આપો 

No comments: