Sunday, April 29, 2012


Religion – jain
જૈનો ભલે કહે કે હવે કોઈ તીર્થંકર નહિ થાય, ચાલો માની લઈએ.પણ જ્ઞાની અને કેવળ જ્ઞાની વિષે કોઈ શક નથી. તે આવે છે અને આવતા રહે છે, આંખો પર મંતવ્યો, રૂઢિઓ, પૂર્વગ્રહો, ગાંઠો અને ગ્રંથીઓ નું સામ્રાજ્ય છવાયેલું છે એટલે બાજુમાં બેઠો જ્ઞાની પણ કેમ દેખાશે ? : નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો
માણશ ગમે તેવો હોય , ભલે ને મોટો તીર્થંકર હોય, તોય જ્યાં તેનું ના ચાલે તેનું નામ વ્યવસ્થિત. દેવ હોય કે દેવી હોય કે તીર્થંકર હોય વ્યવસ્થિત ની બહાર કોઈનેય સત્તા નથી. જેના logic આપણને સમજ માં ના આવે તેને ચમત્કાર કહેવાય, પણ હોય છે તો વ્યવસ્થિત ને આધીન જ : નોવેલ : મને મોક્ષ ઉછીનો આપો
શરીર ના એ ચાર ઇંચના ભાગ પર તાળું મારીએ એટલે બ્રહ્મચારી બની ગયા ના કહેવાય.. આંખો... મન.. ચિત.. ના ઉઘાડા રહ્યી ગયેલા દરવાજાઓ નો હિસાબ કોણ આપશે તારો બાપ ... ? નવલકથા મને મોક્ષ ઉછીનો આપો
કીડીને બચાવનારો, અહીશાનો પુજારી, જયારે સાંજ પડે, ગાય ની ચામડીમાંથી બનાવેલા ઢોલના નાદ પર પ્રભુને પ્રશન્ન કરવામાટે ભક્તિ ચાલુ કરે છે, તેવું જયારે સામાયિકમા દેખાયું, ત્યારે ૮૪ લાખ યોનીમાં રખડીને ભેગી કરેલી કમાણી ને વેડફાઈ જતી દેખી અને આંખમાં આંશુ સાથે તેનો મુક સાક્ષી બની ને રહ્યી ગયો. હે પ્રભુ, આ ભવે, કોઈક આરો બતાવ... Novel : Lend me thy moksha
Sensitive people are most egoistic. : Lend me thy Moksha
બીજે, લાખો,વખાણે છે,તેવા માલનો મારો વેપાર છે
અહી બસ્તી છે જૈનોની ને મારે ડુંગળીનો કારોબાર છે.. 
લો, ઘણી વખત મનેય અન્ય લોકો કહે છે કે તમારામાં કેટલા ફાંટાઓ પડી ગયા છે.. ત્યારે કહું છું હા, એવું છે કે રસોઈયો તો એક જ (તીર્થંકર) પણ આતો પીરસનીયા અલગ અલગ છે .. રશોઈ તો એક જ જાણ ની ને... સ્વાદ તો એજ ... બધા પછી પંગત દેખીને અનુકુળ સ્વાદ કરવા કઈક કરે તેવું બને .. નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો
કેવળ જ્ઞાન નો મતલબ એ નથી થતો કે તમારા ખિસ્સામાં માં શું છે તે તે જાણતો હોવો જોઈએ ..
કેવલજ્ઞાન નો મતલબ એ નથી થતો કે તમે નિર્વિવાદ જ હોવ, અને સમાજમાં કોઈ તમારાથી ભિન્ન હોય જ નહિ. આદિનાથ ને મરીચી, મહાવીર ને જમાલી મળે છે ને બુદ્ધને દેવવર્ત.
ધર્માંસ્તીકાય અને અધર્માંસ્તીકાય એ આજના કયા સબ્દનો પર્યાય છે ?
આંખ બંધ કરી ભાળ્યું જગત ને નિર્દોષ,ત્યારે જડ્યા મને અપરંપાર નિજ:દોષ
અહંકારનું જયારે ના રહ્યું કોઈ ચલણ,.. અંત:સ્કરણ માંથી જ શોધી સક્યો ચોર
બનવું છે અજાતશત્રુ,વ્યવહાર જગતમાં..અંદરનીજ વૃત્તિઓ વર્તે, કો' હરાયા ઢોર.
મને જ મારા પડોશી બનીજોયા કરું છું.,હુજ મને જાણું તો ક્યાંથી શમે કિલ્લોલ 
જોવું ને જાણું, વૃત્તિઓ વર્તે છે કેમ ?.. વરશે દાદાની કરુણા,ને નાચું બની મોર
આ જગતનો એક પણ પરમાણું કાર્ય-કારણના નિયમ વગરનું રહ્યી ના શકે, જુઓ તબિયત અને ભોજન નું કનેક્શન એટલે... જેટલા આપણે જમવામાં શિસ્તબદ્ધ રહીએ ...એટલે જેટલું time ,quantity અને quality નું સ્તર પાળીએ તેટલી આપના પેટ પર અસર દેખાય અને આપનું પેટ, તેજ પ્રમાણે time ,quantity અને quality નું સ્તર બતાવશે. આ જાદુ નથી...પરિણામ જ છે. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો
પ્રોફ. કે.જે. મેહતા, HLCC , 1990
ભારતમાં વસ્તીની રમત એટલી ફૂલીફાલી છે ને પછી તે વસ્તીને દિવસના ટાંટિયા ભેગા કરવામાં જ આખા દહાડા નીકળી જાય છે, જે બાકી સમય છે તે સ્વપ્નો રચવામાં અને તે સ્વપ્નાઓ પુરા કરવા પછી ભજનો ગાવામાં, અને ભગવાનોની એજન્સીઓને કાલાવાલા કરવામાં વહી જાય છે. આમાંથી આ ભારતીયો ને સમય મળે તો કઈક, નવા સંશોધન કરેને ..
સત્યનો આગ્રહ પણ હઠાગ્રહ છે અહંકારનો,અને તે આપણ ને આપણાં જ માર્ગ માં આપણી જ સંકુચિત દ્રષ્ટી બતાવી ને રોકે છે. : .મો...
સામાયિક ( introspection ) એ એવું સરળ અને હઝારોહઝુર જ્ઞાનસાધના નું શાસ્ત્ર છે કે એક પણ, હા, એક પણ સામાયિક કર્યા પછી જો મને બીજી સેકન્ડથી ફાયદો ના થાય તો તે સામાયિક નો નહિ, તે મારો જ દોષ હોય છે. આજ સુધી કોઈનું એક પણ સામાયિક બેકાર ગયું નથી.આની ગેરેંટી, ખુદ ચૌદલોકનો નાથ પણ આવશે તોયે નહિ ઉલટાવી સકે: .મો...
કોઈને આપણી જરૂર છે તેવું લાગે ત્યાં "Adjustment લેવું" અને કોઈની આપણને જરૂર છે ત્યાં "અથડામણ ટાળો" અને કોઈનો ફેર ના પડતો હોય ત્યાં બને ત્યાં સુધી હિતકારી બોલવું સત્ય નો આગ્રહ રાખવો નહિ.
પર્યુસન ના દિવશો માં એક ફ્રેન્ડ નો મેઈલ આવ્યો એમાં લખ્યું હતું "... મારે મારા કુટુંબીઓને મિચ્છામી દુક્કડમ ના કાર્ડ મોકલવા છે, તું મસ્ત લાઈનો માં મેસેજ લખી દે હું તેવું પ્રિન્ટ કરાવી દઈશ, ગમે તેટલું મોઘું પડે પણ છાકો પડી દેવો છે .. " લો બોલો ... નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો
ધર્મમાં સવાલ નો જવાબ વિશ્વાસ હોય છે. આધ્યાત્મ માં સાબિતી આપવી પડે છે.
2.
જેટલું ઊંધું ગુટ્યું, તેટલું સીધું કરવું પડશે ...મોક્ષ એ કઈ દલા તરવાડીની વાડી નથી કે આવા જાતે ચિતરડા પાડ્યા કરો ને મળે. પહેલા આ ગ્રંથીઓ અને ગાંઠ ને તોડો. 
3.
નટના ખેલ દેખવા આવતા હોય તેમ બધા આવે છે જે ધાર્મિક હોય છે તે અહી તાલી પાળી ને, જે જે કરી ને, જતો રહે છે. તલવાર ઉઠાવી ને સાબિતી માંગે તે ને મુમુક્ષુ કહેવાય, મુમુક્ષુ માટે તે જીવન મરણ નો સવાલ હોય છે, ધાર્મિક વ્યક્તિ માટે મનો:રંજન . કે બહુ બહુ તો ચિત:રંજનનો. અહી ધાર્મિક લોકો પોતાના સમય ને એડજસ્ટ કરીને અમને એપોઇન્ટમેન્ટ આપે છે. અને અહી બેસે ત્યારે ઘડિયાળના ફોટા પાડતા હોય છે 
એગોમે શાષઓ અપ્પા, નાણદષણ સંજુઓ,
શેષા મેં બાહીરાભાવા, સવ્વે સંજોગ લખ્ખાણા
સંજોગ મુલા જીવેણ, પત્તા દુખ પરંપરા
તમ્હા સંજોગ સંબંધમ , સવ્વામ તિવીનેમ વોસીરામી
"હું " પ્રતિક્રમણ કરું અને તે "કયી કયી ભૂલનું કરું છું" તે જો મને ખબર ના હોય તો તેણે "હું બબડતો હતો" તેવું જ માનું છું.
જે રસ્તા ઉપર આપણે ચાલતા નથી તેવા હજારો રસ્તા પર કરોડો લોકો ચાલે જ છે, અને તે બધાય કઈ ફેઈલ જ થવાના છે તેવુય નથી. ... Lend Me Thy Moksha
ભૂખ્યા પેટે સુતા, ભિખારીઓને, તું ઉપવાસનું પુણ્ય આપીશ
તે ઘડીએ, હે પ્રભુ, મારા તમામ પુણ્યનું નિયાણું કરી નાખીશ
નિશાળે જતા એજ બાળક ઘભરાય છે જેણે હોમવર્ક નથી કર્યું હોતું .. મુન
મોક્ષ માટે જાગૃતિ આવે તે માટે કંદમૂળ ના ખાવા.., પણ પછી એ જાગૃતિ નો ઉપયોગ કચકચ કરવામાં કરે... આ પ્યાલો કેમ ફૂટ્યો? ...તારું કપાળ ફૂટ્યું મુઆ એના કરતા બટાકા ખા અને ઊંઘી જા.
આદેશ એટલે .... હું કહું છે કે આમ કરો..
ઉપદેશ એટલે ....મારા મતે આ સારું અને આ ખરાબ છે .. સારું કરવું સારું. અને,
દેશના એટલે .....આ આમ છે અને આ આમ છે
વિષય એટલે ...
1.
દૂધ પીવું જોઈએ તેવું સાંભળે, પછી
2.
દૂધ તબિયત માટે સારું એવું મંતવ્ય બંધાય, પછી
3.
દૂધ વગર કેવી રીતે ચાલે? તેવો અભિપ્રાય બંધાય અને પછી
4.
તે બે લીટર દૂધ માટે ભેંશ પાળે.
આપણે ડુંગળી ની માફક કેટલાય ચહેરા, ચઢાવીને ફરીએ છીએ..કયારેક ગાંધીનો છે, ક્યારેક મહાવીરનો છે, ક્યારેક બુદ્ધનો છે,ક્યારેક રામ તો ક્યારેક કૃષ્ણનો. લોકો વસ્તુની ચોરી કરે છે આપણે ચહેરાઓની..વસ્તુની ચોરી કરે તેને જેલ માં નાખવામાં આવે છે ચહેરાની ચોરી કરનારને મંદિરો, દેહ્રાસર, વ્યાસપીઠ વગેરે જગ્યાએ બેસાડવામાં આવે છે.. જુઓને મને પણ તમે ક્યા બેસાડ્યો છે, હું પણ મહાવીરનો ચહેરો ઓઢીને ફરું છું. નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો
વેરઝેર રાખવું એના કરતા ઝેર પી લેવું સારું. ભવો લંબાવવા કરતા એક ભવ ટૂંકાવવો સારો. નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો
દાદા કહેતા કે Compromise અને adjustment વગર કેમ નું ચાલે ? જયારે તમને એમ લાગે કે સામાને તમારી જરૂર છે તો "Adjust Everywhere " કહેવું અને જો સામાની આપણ ને જરૂર હોય તો "અથડામણ ટાળો" નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો
સંડાસ ગયા પછી હાથ ધોવાની જે સહજ ક્રિયા થાય છે તેટલું સહજ અતિક્રમણ પછી પ્રતિક્રમણ થાય એટલે કેવલજ્ઞાન ને રસ્તે આવી ગયા. નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો.
નાહકનો યત્ન ના કરીશ,મને મોક્ષ લઇ જવાનો,
મને રસ્તો બતાવી દે,હુય ભગવાન થઇ જવાનો 
જૈન અને મોક્ષ ? ૧૦૦ ગાઉંનું છેટું..જૈન બંધુ કામે જવા એકતો છેલ્લી ઘડીએ નીકળશે. વચ્ચમાં ૧૦ મિનીટ દેહ્રાસરમાં વિતાવશે. અને પછી એ ૧૦ મિનીટ ને કવર કરવા અખ્ખા રસ્તે ૧૦૦ વખત હોર્ન મારશે, ૫૦ વખત ઓવરટેક કરશે અને ૨૫ વાર રોંગ side માંથી ઓવરટેક કરશે. અને ૧૫૦ જણની ગાળો ખાશે. ઓફિસે તોયે મોડો પડશે તો વાંક ટ્રાફિક નો કાઢશે. મોક્ષ તે આવા ઓનો કઈ શંભુ મેળો છે? Novel: Lend me thy moksha
પોતાના વિચારોથી જો કોઈ સમંત નાં થાય તો આંતક મચાવનારાઓને આંતંકવાદી કહેવાય,અને તેમના મંતવ્ય પણ સાચા હોઈ સકે તેમ માનનાર અનેકાન્ત્વાદી કહેવાય: નવલકથા મને મોક્ષ ઉછીનો આપો
જે માણસ પોતાની જોડે વાર્તાલાપ કરતો હોય ત્યારે ભગવાન ને પણ બોલવાનો હક નથી : નવલકથા મને મોક્ષ ઉછીનો આપ
"આખી જિંદગી કાકા, કાકીને અને કાકી કાકાને સુધારવા યત્ન કરે. પણ સાથે મૃત્યુ તો થાય નહિ અને જે જાય પહેલા, તે બીજા જન્મમાં, રાહ જોયા વગર, પોતાને મળેલી વ્યક્તિ જોડે પરણી જાય. બોલો આખી જિંદગી જેને સુધારવામાં કાઢી તે સુધારેલી આવૃત્તિ બીજો લઇ જાય... પૂજ્ય શ્રી દિપકભાઈ"
"ચાર ચાર ભવના અભ્યાસ પછી રાજા ભરથરી ને જે સમજાયું, તે આજ ભવમાં શીખવા મળ્યું. પછી તેને WIFE ને કહ્યું.. આપણે તો સાત ભવ ના સોગંધ ખાધા ને આ સાતમો આવ્યો."
"કોણે કીધું...વાત કરો છો... પહેલાનો જમાનો..... અત્યારનો જમાનો ... મહાવીર, બુદ્ધ વગેરે એ ...ચોરી ના કરવ...., લૂંટફાટ ના કરવી...., ખૂન ના કરવું...., પરસ્ત્રી સંગ ના કરવો... તે કોને કોને કહ્યું હતું ? ખાલી આમ મજાક જ કરી હતી .. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો"
"અરે ...ઓફીસ માં ભગવાન ના ફોટા કોને માટે રાખ્યા છે... પોતાને માટે કે બહારના આવનાર ને માટે તે મહત્વનું છે. ઓફીસ માં ભગવાન ના ફોટા, પોતાને ધંધામાં ધર્મ યાદ રહે તેના માટે રાખો તો બરાબર છે,પણ "આવનાર ને અમે ધાર્મિક છીએ" તેવું બતાવવા માટે રાખો તો, તેય છેતરપીંડી છે. અને... એતો ફોટો કોને કોને દેખાય તેમ રાખ્યો છે તેનાથી ગણી ખબર પડી જાય."
"આધ્યાત્મિકતા બતાવવાના અમુક ચિન્હો હોય છે. ક્યાંક કંઠી, ક્યાંક તિલક, ક્યાંક ડ્રેસ નો કલર. પણ, તેનો ઉપયોગ પોતાને "દિવસભર કઈક સતત યાદ કરાવતું રહે" ત્યાં સુધી બરાબર છે, નહીતર તે છેતરપીંડી નું સાધન બનતા વાર નથી લાગતી."
"લોકોને, પોતાને કોઈ ભ્રષ્ટ કરી જાય છે તેની સામે નહિ, કોઈ બીજાને ભ્રષ્ટ કરી રહ્યા છે, તેની સામે વાંધો હોય છે. કારણકે તેને એ પણ ખબર નથી હોતી કે હું પણ ભ્રષ્ટ થયી ને આવું વિચારું છું. પોતાનો સંપ્રદાય કરવો પણ સહેલો થોડો છે? એક સાથે કેટલાય ને ભ્રષ્ટ કરવા પડે છે. તો જ તેમને માસ હિપ્નોતાઈઝ કરી સકાય છે. એટલે આ બધાય હિમતવાન કહેવાય પણ આપણે, આપણી જાતને ઓળખવા આ ની જરૂર નથી."
"ક્યારેય ભૂલ્યો નથી કનૈયો એના વચન પણ, એ પીતામ્બર પહરીને આવ્યો, તો મદારી કહી ભગાડ્યો, જીન્સ પહેરીને આવ્યો તો કોઈએ ના સંભાળ્યો. કરે શું ?નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો."
"આ આધ્યાત્મિકતા તો ભાગ્યેજ કોઈને પચે છે. ૯૯% મારા ચહેરાના ફોટા પાડી ને જતા રહે છે. ફક્ત ૧ % એવા છે જે મારા સમગ્ર અસ્તિત્વ ને ખંખેરી ને માંગતા હોય છે. નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો."
"આદેશ એટલે .... હું કહું છે કે આમ કરો..ઉપદેશ એટલે ....મારા મતે આ સારું અને આ ખરાબ છે .. સારું કરવું સારું. અને,દેશના એટલે .....આ આમ છે અને આ આમ છે. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો"
"ભૂલ જે ના ચલાવી સકાય ...? ...દરરોજે કઈ ભૂલ થયી તે શોધવાનું ભૂલી જવું.. અને થયેલી ભૂલો માંથી શીખવાનું ભૂલી જવું. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો."
"સામાયિક એટલે ...કાલે મારી પાસે શું હતું અને આજે નથી ...તેમજ આજે શું છે જે કાલે નહોતું ...તે દેખવાની કળા. નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો"
"ધારે ત્યારે સંડાસ કરી શકે તે તારો ભગવાન. લાગે ત્યારે છીં કરી લે તે મારો ભગવાન.એતો ચમત્કારમાં નહિ સહજતામાં છે. નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો"
"વિષય એટલે ...દૂધ પીવું જોઈએ તેવું સાંભળે, પછી દૂધ તબિયત માટે સારું એવું મંતવ્ય બંધાય, પછી દૂધ વગર કેવી રીતે ચાલે? તેવો અભિપ્રાય બંધાય અને પછી તે બે લીટર દૂધ માટે ભેંશ પાળે. નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો"
"ટોળું એટલે સત્યનો નાશ, સત્યાનાશ. સત્ય મળે એકાંતમાં,પછી તેના distribution નો ભાવ જાગે. એટલે setup નક્કી થાય. પછી એક organisation બને.Organisation માં પૈસા આવે. પૈસા ટોળું ખેચી લાવે. પછી ટોળાને જાળવવા માટે કવાયત થાય. પછી એ ટોળા ને જોઇને celebrates આવે. એ પાછું ટોળું લાવે... બોલો હવે ???? નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો"
"જૈન અને મોક્ષ ? ૧૦૦ ગાઉંનું છેટું..જૈન બંધુ કામે જવા એકતો છેલ્લી ઘડીએ નીકળશે. વચ્ચમાં ૧૦ મિનીટ દેહ્રાસરમાં વિતાવશે. અને પછી એ ૧૦ મિનીટ ને કવર કરવા અખ્ખા રસ્તે ૧૦૦ વખત હોર્ન મારશે, ૫૦ વખત ઓવરટેક કરશે અને ૨૫ વાર રોંગ side માંથી ઓવરટેક કરશે. અને ૧૫૦ જણની ગાળો ખાશે. ઓફિસે તોયે મોડો પડશે તો વાંક ટ્રાફિક નો કાઢશે. મોક્ષ તે આવા ઓનો કઈ શંભુ મેળો છે? નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો"
"સતયુગ અને કલિયુગ વચ્ચે તફાવત એટલે ... આપળે કોઈને પૈસા આપીયા હોય અને તે પાછો આપે એટલે આપળે receipt આપીએ અને લખીએ કે "Received with thanks " ...તે કલિયુગ જયારે સત્ત્યુગ માં તે પૈસાની સાથે receipt આપે લખીને કે "Returned with Thanks " નવલકથા મને મોક્ષ ઉછીનો આપો."
"બ્રહ્મચર્ય એટલે શરીર ના એ ચાર ઇંચ ના ભાગ પર લગાડેલું તાળું નહિ... એતો બ્રહ્માંડ માં વિચરીને સત્ય શોધવાની ચાવી છે. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો."

સારા સિનેમા ,નાટક મનો:રંજન કરે છે. ધ્યાન વી. થી ચિત:રંજન થાય છે. જયારે આત્મા માં રહેવાથી અલખની:ંજન મળે છે. નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો"
"ઓરીજીનલ... એની તો વાત જ ન્યારી છે...મીરાં ના પદો બની સકે કે મીરાં કરતા લત્તાજી કેટલાય વધુ કર્ણપ્રિય રીતે ગાઇ સકે અને ગાયા પણ છે...... પણ તેનાથી કાનજી તેમને નહિ મળે.. એવું જ આ નવકારમંત્ર,ગાયત્રીમંત્ર વગેરેનું છે... આપણે ગાયીએ છીએ ત્યારે એ ફક્ત સબ્દો ની ગોઠવણી બની જાય છે... બાકી એક વખત આપણી જીભ ઉપર એ વસે તો તો ખલાસ.... નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો"
"આ આંકડાઓએ ખરી મજા કરાવી છે.. રામ, કૃષ્ણ, મહાવીર,બુદ્ધ વગેરે ની સેનાના આંકડા સાંભળ્યા છે ? દેશ આઝાદ થયો ત્યારે આખા દેશમાં જેટલી વસ્તી હતી તેની સાથે તે આંકડાઓ સરખાવો. પછી આ કેટલા વર્ષ પહેલા.,કેટલા વિસ્તારના રાજ્યની વાતો કરીએ છીએ તે દેખો .એય ને બધું ચાલે છે તમેય થોકો ને.અલા, ખબર પડે છે કરોડો હાથી એટલે શું? એ કુરુક્ષેત્ર ના મેદાન માં ઉભા રાખીએ લડવા, તો કેટલી જગ્યા જોઈએ.અને તેને ચાલવાની/ લડવાની જગ્યા રાખસો કે નહિ ?"
"અહં (Ego ) જાય....ભૂલી જાઓ ...જે સંસાર છોડી ને જાય છે તે ભક્તોનો સંસાર ઉભો કરે છે અને તેના (ભક્તોના) આંકડાઓ કઈ બેંક બેલેન્સ થી ઓછું સુખ નથી આપતા !!! અરે ભિખારી થયો હોય ને તોય વાડકાની માલિકીનો આનદ માણસે નવલકથા : મને મોક્ષ ઓછીનો આપો"
"ધાર્મિક કે ધર્માદા સંસ્થા હોય, પૈસાતો આવે જ, પણ કોનું મેનેજમેન્ટ ઊંચું કે ...જેના મેનેજમેન્ટ મંડળ માં એક પણ વ્યક્તિ એવો ના હોય કે જેણે એજ સંસ્થાને દાન આપ્યું હોય. એક બાજુ પૈસાનું દાન કરીએ અને પછી તેનું મેનેજમેન્ટ કરીએ ...કઈક ખૂટે છે તેવું નથી લાગતું ...?"
""તમે કરો" એટલે "આદેશ", "આપણે કરીએ" "ઉપદેશ" અને "આવું થાય છે" તે "દેશના"... નવલકથા : મને મોક્ષ..."
"પૈસા નું દાન કરે છે કે ઘર જમાઈ શોધે છે ... ? દાન તો દીકરી ને પરણાવીને સાસરે મોકલવા જેવું હોય ...પછી સંસ્થા અને પૈસા તેમના બંને સ્વતંત્ર.. આતો દાન આપી કહશે હિસાબ આપો.. અલ્યા સંસ્થા ને ઘરજમાઈ તરીકે રાખી છે ?... નવલકથા : મને મોક્ષ....."
"આ માર્ગ માં ધર્મ અને આધ્યાત્મ ના હોકાયંત્ર અને અરીસા લઈને જ ફરવું પડશે ... ધર્મ ના હોકાયંત્ર તમને ક્યા ખોવાઈ ગયા છો તે બતાવશે ... જયારે આધ્યાત્મ નો અરીસો "કોણ " ખોવાયી ગયું છે તે બતાવશે... નવલકથા: મને મોક્ષ..."
"આ બાવાઓ TV /Internet ના જોશો... આમ ના કરશો તેમ ના કરશો તે કહ્યા કરશે... એ ડફોળ ને એ ખબર નથી કે TV / Internet પર સર્ચ કરીને જ હું એમને સાંભળવા ગયો હતો.મુમુક્ષુ તો એ છે કે જે એકપણ રસ્તો ધારણા કરીને મૂકી ના દે.. તે તલવાર લઈને સત્ય શોધવા નીકળેલો હોય છે. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો"
"અરે ...ઓફીસ માં ભગવાન ના ફોટા કોને માટે રાખ્યા છે... પોતાને માટે કે બહારના આવનાર ને માટે તે મહત્વનું છે. ઓફીસ માં ભગવાન ના ફોટા, પોતાને ધંધામાં ધર્મ યાદ રહે તેના માટે રાખો તો બરાબર છે,પણ "આવનાર ને અમે ધાર્મિક છીએ" તેવું બતાવવા માટે રાખો તો, તેય છેતરપીંડી છે. અને... એતો ફોટો કોને કોને દેખાય તેમ રાખ્યો છે તેનાથી ગણી ખબર પડી જાય."
"સામાયિક રીત ૧લી.... તમને ઘણા સમય પછી એક મિત્ર મળ્યા. મળવાની ખુશીના અદાનપ્રદાન પછી વચ્ચે તેમણે કહ્યું, "...વચ્ચે પેલા ...xxxxx ભાઈ મળ્યા હતા... તમારા વિષે વાત કરતા હતા " તમારો તરત પ્રતિભાવ કેવો હોઈ સકે ? )અરે... વાહ ...બહુ ભલા આદમી છે .... )...એમ....શું કહેતા હતા મારા વિષે ? )...ઈ વળી ક્યાંથી મળી ગયા...? )...છોડોને તેમની વાત ... હવે કયા પ્રકારનો ઓપ્સન સિલેક્ટ કેમ થયો તે વિચારો ."
"આધ્યાત્મિકતામાં સવાલ જવાબ હોય.તે દ્વીમાંર્ગીય વાર્તાલાપ છે. ધર્મમાં પ્રવચન હોય. અને તે ફક્ત એકમાર્ગીય વાર્તાલાપ છે નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો."
"પ્રભુની ૧૦ ઇંચ ની પ્રતિમા નિહાળીએ કે ૧૦ ફૂટની પ્રતિમા, અંદરના ભાવમાં કોઈ ફેરફાર ના થાય તો સમજવું કે આપણે આભડછેટ જેવું રાખતા નથી. કોઈ મંદિર ના દર્શન, આપણે જો તેની મિલકતના વર્ણન સાંભળી, કે તેની આવકના અહેવાલ વાંચી કે તેના ચમત્કારના પરચા દેખી, કર્યા હોય તો શું આપણ ને ખબર ના પડે કે આપણે કેમ ગયા' તા... ?"
"એક હાથમાં સ્વર્ગનું ગાજર અને બીજા હાથમાં નર્ક ની સ્ટેનગન લઇ વાત કરવી તેનું નામ ધર્મ."
"શ્રદ્ધા રાખવાના જવાબો મળે તે ધર્મ. અને વૈજ્ઞાનિક જવાબ મળે તે આધ્યાત્મિકતા. કોઈ કહે ને તમારે માનવું તે ધર્મ... જયારે કોઈ કઈ કહે અને તમે તલવાર કાઢી સાબિતી માંગી શકો તે આધ્યાત્મિકતા. આધ્યાત્મિકતા ની પહેલી શરત છે, કે તમારા હાથ, પગ, આંખ, કાન ચાલતા હોવા જોઈએ. જયારે ધર્માચાર્યો પહેલી શરત શ્રદ્ધાની રાખે છે. આ મજબૂરો ની રાજકીય પાર્ટી નથી."
"જયારે સરીર સાથ ના આપે ત્યારે ધર્મની આડ માં પોતાની છુપાવવામાં આવે છે. ..આંખે આ મૂર્તિ દેખાતી નથી, કાને ગીતાવચનો સંભળાતા નથી, મોઢેથી પ્રસાદ ખાઈ શકાતો નથી, હાથે થી તાલી પાડવા જતા ભજન નો લય ચુકી જવાય છે,પગે ચાલી ને આવી શકાતું નથી ,એવા ઘરડાઓ થી ભરાયેલા મંદિરોના કારણે ધર્મ ભ્રષ્ટ થયી રહ્યો છે. આ મંદિરો નહિ ઘરડા ઘરો જ છે. આવા મંદિરો ના મહંતો પાસે થી તમારે શી આશા રાખવી છે ?"
"પ્રતિક્રમણ એટલે પગલુછ્ન્યું ... સંડાસ માંથી બહાર નીકળ્યા પછી પગ લુછ્નીયા પર પગ લૂછ્યા વગર ઘરમાં ફરો તો, ઘર ગંદુ થાય. તેમજ અતિક્રમણ પછી પ્રતિક્રમણ ના કરો તો ભવ ગંદો થાય."
"જીવન દરમ્યાન તમે કેટલાને ઊંઘતા ઝડપ્યા તે નહિ, કેટલા જાગેલાને પકડ્યા તે Count થાય છે. what counts, not that you catch how many working as sleeping cell,but that you met how many that awakened."
"આધ્યાત્મિકતા સહેલી નથી ...હાથ જોડીને શ્રધાથી કરવામાં આવતા સવાલો ધર્મ માં હોય, જયારે આધ્યાત્મિકતામાં તે સવાલ તલવાર ખેચીને કરવાનો હોય છે."
"M .F. હુસૈનની તો હમણાં કહું તે... છોડોને, પહેલા એ પેઈન્તર નો શોધો જેમના માતાજીઓના ૪ -૬ હાથપગ વાળા શારીરિક વિકૃતિ વાળા ચિત્ર તમે તમારા ઘરમાં રાખ્યા છે. તમારી અક્કલ ઘાસ ચરવા ગયી છે.. શરમ નથી આવતી હવે તેને પ્રતીકાત્મક બોલતા.. પ્રતિક નહિ ભ્રમિત કરો છો મારા બેટાંઓ. હવે તો સુધરો હવે મહાત્મા મંદિર આવે છે.. નહિ બોલોતો આ રાજકારણીઓ (જમ) ઘર ભાળી જશે.. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો"
"ભાઈ, આ શાકાહારી movement એક બાજુ ચાલુ થયી છે. તેના વિષે પણ લોકો બોલશે કે નહિ. જે દિવસે દુનિયાના ૩% લોકો માંશાહારી માંથી શાકાહારી બનશે ત્યારે જ આ શાકાહારી મૂવમેન્ટ ચલાવનારા ડોબાઓ ને ખબર પડશે કે તેમણે કેવડી મોટી ભૂલ કરી છે. આપણે શાકાહારી છીએ તે કેવડી મોટી લક્ઝરી છે તે જ છીન્વાયી જશે. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો"
"ભારતમાં સૌથી વધારે ગેરકાનૂની ઘરોમાં/ સ્થાનોમાં ભગવાન વસે છે., બોલો ભગવાનને જ આ શહેરના લોક ઘર બાંધીને આપેછે તે ઘેર કાનૂની હોય છે. અને સુધરાઈ વાળા પછી પચાઈ પાળતા ભાડુંઅતોની જેમ તેમનાથી ડરે છે. ..નવલકથા: માને મોક્ષ ઉછીનો આપો"
મંદિરના દરવાજા પર તાળામારીને જતા પુજારીને ગેબી અવાઝ સંભળાયો
"
તને મારી ઉપર વિશ્વાસ છે કે તાળા ઉપર ... ? ......વ્હેત છેટું સુખ .."
"કુદરત કોઈને ભૂખ્યા સુવાડતું નથી..આતો આપણી કરેલી સળીઓ વચ્ચે આવે છે ..જોને બચ્ચાના જન્મ પહેલાજ માતાના સ્તનમાં દુધની વ્યવસ્થા કરી રાખે છે ને .. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો"
"તું મુશ્લીમો ની અને તેમના માંશાહારની પાછળ કેમ પડી ગયો છે?? જો ઇસ્લામ નો ધર્મ રેગીસ્તાન માં થયો.. ત્યાંની જમીન પર, આજથી હજારો વર્ષપહેલા શું..અત્યારે પણ એટલી ખેતી નથી થતી. તો એ લોકો શું ખાતા હશે? .. અરે એવી પરિસ્થિતિમાં પણ તેમણે અમુક તમુક માસ ના ખાવાનો ધર્મ કહ્યો છે જેમ વાણિયાઓ શાકાહારી,તોયે બટાકા..લસણ નથી ખાતા તેમ.. અહીના વેદ/ શાસ્ત્રો ભણેલાને ધર્મ કહેવો અને ફક્ત તલવારની ભાષા સમજતા લોકો ને ધર્મ કહેવો અલગ છે."
આપણે ડુંગળી ની માફક કેટલાય ચહેરા, ચઢાવીને ફરીએ છીએ..
કયારેક ગાંધીનો છે, ક્યારેક મહાવીરનો છે, ક્યારેક બુદ્ધનો છે,ક્યારેક રામ તો ક્યારેક કૃષ્ણનો.
લોકો વસ્તુની ચોરી કરે છે આપણે ચહેરાઓની..
વસ્તુની ચોરી કરે તેને જેલ માં નાખવામાં આવે છે ચહેરાની ચોરી કરનારને મંદિરો, દેહ્રાસર, વ્યાસપીઠ વગેરે જગ્યાએ બેસાડવામાં આવે છે..
જુઓને મને પણ તમે ક્યા બેસાડ્યો છે, હું પણ મહાવીરનો ચહેરો ઓઢીને ફરું છું... નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો."
"સંસાર માં અશુભ તત્વો નિરંતર ટકી રહે છે..ક્યારેક જ શુભ તત્વ ટકે છે અને તે પણ અમુક કાળ માટે જ. કારણકે અશુભ તત્વો, કોઈ લીડર ની રાહ જોયા વગર, પોતાનો સંઘર્ષ નિરંતર ચાલુ રાખે છે અને શુભ તત્વો હમેશા કોઈ કોઈને કોઈની રાહ જોવામાં પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે...બોલો આમાંથી કેટલા કૃષ્ણની રાહ જોઇને બેઠા છે... ?નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો"
"અમે નાના હતા ત્યારે કહેતા મારા પપ્પા પાસે દસ હજાર રૂ. છે તો બીજો કહેતો મારા પપ્પા પાસે લાખ છે..એમ રમત ચાલતી..અત્યારે બુદ્ધ વાળા એમ કહશે કે તેમના પિતાજી પાસે હજારોનું સૈન્ય હતું તે છોડ્યું તો મહાવીર વાળા કહશે લાખનું છોડ્યું તો મહાભારત વાળા ૧૧ Akshauhnis ની વાત લાવ્યા. અમે ઘર ઘર રમતા અને આ ધર્મ ધર્મ રમે છે પેલી નાના બાળકો ની રમત આ મોટા બાળકોની રમત ...આવી રમતો ના સવાલ કરતા હશે.??મને મોક્ષ ઉછીનો આપો."
"હા, એતો મેં પણ સાંભળેલું.વસ્તુપાળ ને તેજપાલ ધનનો ચરુ સંતાડવા જંગલમાં ગયાંને બીજો ચરુ મળ્યો..બંને ઘેર લઈને આવ્યા ને માતાએ એમ કહ્યું કે એવી જગ્યા એ મુકો કે જ્યાં લોકો જોઈ સકે પણ લઇ ના સકે ..અને તેમણે પછી દેરા બનાવડાવ્યા..આપડે હવે ઊંચા થયા ...આપણે કોઈનું પાકીટ પડેલું દેખી,નજર બગાડવાની ક્યા જરૂર છે.બહુ મોટો લઈને ભંડારમાં નાખવા વાળો ... નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો."
"....
સત્ય જો શાસ્ત્રોમાં હોતને તો પેલો પ્રૂફરીડર પહેલો સત્યને પામનાર હોત..
સત્ય જો ભજનોમાં હોતને તો મીરાં ના ભજન ગાનાર અનુરાધા, કે લત્તાજી પહેલા પામી ગયા હોત..
સત્ય જો રામનામ માં હોત તો કેટલાય પોપટો પહેલા પામી ગયા હોત....
નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો"
"શાકાહારી હોવું એતો greatest luxury છે.
લોકો ભલેને માંશાહાર રહે તે બધા શાકાહારી બની જશેને તો....
તારે પછી માસ ખાવાનો વારો આવશે ...
માંશાહારી હોવું એતો આદિમાનવના જમાનાથી સામાન્ય છે..
શાકાહારી હોવું તે પ્રગતિ ની નિશાની છે. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો"
"આ ભાતભાતના આગ્રહ ના લીધેજ બધા ગ્રહો આપણને નડે છે. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો"

અહંકાર અને પુરુષાર્થ વચ્ચે બહુજ પાતળી ભેદરેખા છે ...પુરુસાર્થ પણ સુક્ષમતમ અહંકાર તો ખરોજ 
જો તમને કેવલજ્ઞાન જેવું કઈક મળી જાય તો ભૈસાબ, મહેરબાની કરીને તેને બીજા ઉપર ઠોકી બેસાડવાનો પ્રયત્ન કરશો નહિ અને આશા પણ ના રાખસો કે બધા તેને અનુશારે. કારણકે હવે આ દુનિયા તમારામાં ઉભા થયેલા એક વધુ સોક્રેટીસ કે જીસસ ને ગુમાવવા નથી માંગતું ... આપણે ખાનગીમાં વાત કરીશું.. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો

સાધુ કઈક કહે ને પછી આપણી ઉપર છેક સુધી નજર રાખે....
સતગુરુ કઈક કહે ને તેમની ઉપર આપણી નજર રાખવા દે...
જ્ઞાની નજર આત્મા ઉપર રાખે ને કહેવાનું કહીને જતા રહે....:નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો
કુદરતને ત્યાં કશુય લોલમ-લોલ નથી. કીડીનેય તેના રસ્તામાં તમે અંતરી હશે ને તો તે કુદરત નાં ચોપડે તમે કરેલા અંતરાય તરીકે નોધી લેવાય છે. : Novel Lend Me thy moksha
ગોખી અઢાર આગમો, જેણે જિંદગી કાઢી પછી,આત્મા પર "જ્ઞાન"ની ધૂળ ચડી ગયી
જપીને લાખ માળાઓ, એને સુખ નાં મળ્યું,રિષ સઘળી એને,,માળા પર ચડી ગયી
. કોઈનેય છંછેડીને ક્યારેય મોક્ષે ના જવાય. કોઈ આપણને છંછેડે તો શાંતિ રાખવી. છંછેડ્યાનો બદલો લેવા જઈએ તો મોક્ષે જઈ રહ્યો પછી
આ બાવાઓ TV /Internet ના જોશો... આમ ના કરશો તેમ ના કરશો તે કહ્યા કરશે... એ ડફોળ ને એ ખબર નથી કે TV / Internet પર સર્ચ કરીને જ હું એમને સાંભળવા ગયો હતો.મુમુક્ષુ તો એ છે કે જે એકપણ રસ્તો ધારણા કરીને મૂકી ના દ.. તે તલવાર લઈને સત્ય શોધવા નીકળેલો હોય છે. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો
શુભ અને અશુભ તત્વો વચ્ચેની ની લડાઈ સંસ્કૃતિની સરુઆત થયી ત્યારથી અત્યારસુધી ચાલી છે અને કોણ કહે છે કે ક્યારેક તો અટકશે...એ ના અટકે.. આ લડાઈ માં જયારે શુભ તત્વો ની જીત થાય છે ત્યારે શુભ તત્વ પાર્ટી ઉજવવામાં પડે છે, જયારે અશુભ તત્વો નવેસરથી લડાઈની strategy બનાવામાં નિરંતર લાગેલી હોયછે.. એટલે શુભ તત્વોની જીત એક વાર્તા માત્ર બની રહે છે. : Lend me thy Moksha
અહી કોઈ કૃષ્ણની રાહ જોઇને બેઠું છે, કોઈ આવતી ચોવીશીની રાહ જોઈ બેઠું છે કોઈને ઈન્તેજાર છે, વિષ્ણુના કલ્કી અવતારનો, મને એમ કહે કે તને આ બધા આવવાના છે તેવું કોને ઠસાવી દીધું છે. અરે તું જેનો અવતાર લઈને આવ્યો છું તેતો બકી માર. આ શાસ્ત્રોને છોડ અને તારું પોતાનું ભેજું જેવું દોડે તેવું દોડાય.: Lend me thy Moksha
જે ને પોતાના અસ્તિત્વ વિષે ભાન છે તે આસ્તિક અને જેણે પોતાને નથી જાણ્યો તે નાસ્તિક.

આ અબજો વ્યક્તિઓ માંથી, ગણી ને ૫૦-૧૦૦ જણ વચ્ચે જ આપણા વ્યવહાર સંબંધો થી મોક્ષ અટવાયો છે. નિકાલ કર ને ? : દાદા
દાદુ, એજ છે આપણી આસપાસ , માં-બાપ-પતિ-પત્ની,છોકરા અને ફ્રેન્ડ્સ . આ જ બધા નું ગ્રુપ જ, જન્મોથી સાથે ફર્યા કરે છે એક બીજાની જોડે. બધા ની કોઈ ની કોઈ અપેક્ષા ઓ છે અને આપણને વળગ્યા છે. એવીજ રીતે આપણને ય આજ બધા ની જોડે અપેક્ષાઓ છે અને આપણે તેમને વળગ્યા છીએ. હવે તો એકજ કામ જેને જે જોઈએ છે તે આપી વ્યવહારુ બની આપણી પાશે હોય તે , તો દઈ દેવું અને છુટકારો પામવો. ક્યાય શોધવાની જરૂર નથી . તેઓ એક દિવસ પણ આપણાથી દીર્ નથી રહેતા. આજ છે ૫૦-૧૦૦ જાના નો હિસાબ. પણ આપણેજ હાથે કરીને નવા હિસાબો ઉભા કરતા રહીએ છીએ.
નિકાલ એટલે સમતા ભાવે ફરજ પૂરી કરવી. નહિ કોઈ રાગ નહિ કોઈ દ્વેષ. અને "પોતે" શું કરે છે તેને જાણવું. સાક્ષી ભાવ.

મૃત્યુ ના સ્વીકાર વગરની જીન્દગી ટાઈમ પાસ છે. દાદા શ્રી કહેતા કે "બધુજ" વ્યવસ્થિત છે તેનો સ્વીકાર જ, આપણને અસ્થ્વ્યસ્થ થતા બચાવી સકે.કોઈનેય મૃત્યુ આપીને ભગવાન લઇ જતા નથી.ભગવાને તે કોઈ ઘોડિયાઘર ચલાવવાનું છે તે?

ગીતા ની ચોપડી વેચતા બુક સ્ટોલ ના માલિક સવારે પત્ની જોડે ઝગડો કરીને દુકાને જતા હોય એવુંય ના બને ? ત્યારે સમજાય ને કે તે ધંધાદારી છે , ધર્માધિકારી નહિ.
બે જ રસ્તા છે. 
એક તો ભગવાન નું સંચાલન એક્શેલંત છે તેમ માનવું... તો પછી આપણી કોઇજ ફરિયાદનું હવે કોઈ વજુદ નથી. 
બે, ભગવાન નું સંચાલન બેદરકાર છે તેમ માનવું તો... પછી આપણે કઈ કરી શકવાના નથી. : નોવેલ ...મને મોક્ષ ઉછીનો આપો

" ભગવાન એ કોઇ જ સમસ્યાઓ નો ઉકેલ નથી" કારણકે જો તે છે, તો ,તેની જ વહીવટી ગરબળતા ના કારણે સમસ્યા ઉભી થાય છે.
શરીર ના એ ચાર ઈંચના ભાગ પર તાળું મારનાર ને લોક બ્રહ્મચારી કહે છે તેજ મોટો ભ્રમ છે. બ્રહ્મ શબ્દનો આટલો સંકુચિત અર્થ મેં ક્યારેય નથી જોયો. એતો જેને આ ચાર ઈંચ માં જ સમગ્ર બ્રહ્માંડ દેખાતું હતું તે લોકો એ ચલાવેલો વૈચારિક મારો છે. : : નવલકથા.. મને મોક્ષ ઉછીનો આપો
જુઓ ભાઈ હજી કેટલાય લાખો કરોડો આદિવાશીઓ એવા છે કે પ્લેન જેવું કઈક ઉડે અને તેની અંદર બેસીને એક જગ્યા એ થી બીજી જગ્યા એ જઈ સકાય તેવું માણવા તૈયાર નાં હોય. પણ તેનાથી હકીકત થોડી બદલાઈ જાય છે. ઠીક તેમજ, આપણે નાં જાણતા હોઈએ એવા આ દુનિયામાં કરોડો પ્રશંગો બને છે. જે રસ્તે આપણે નાં ચાલીયા હોઈએ એવા રસ્તે ચાલીને કરોડો લોકો સિદ્ધિને પ્રાપ્ત કરે છે. અને લાખો લોકો એ સિદ્ધિને પ્રાપ્ત કર્યા પછીય અશાંત હોય તેવું પણ બને છે.
સ્મસાન માં કોઈને વળાવવા જતી વખતે આપણે એક બફર આપણાં માટે બનાવી લઈએ છીએ કે આ ભલે ગયા, આપણને કઈ નહિ થાય .
જયારે બુદ્ધે સારથી ને પૂછ્યું કે શું હું પણ એક વાર મરી જઈશ? સારથી એ કહ્યું હા, અને ત્યાજ બુદ્ધનું તે બફર નીકળી ગયું, પણ સારથી નું નહોતું નીકળ્યું. જે સારથીના વાક્યોએ બુદ્ધને દિશા બતાવી તે સારથી ત્યાને ત્યાજ રહ્યો. સુવિચાર મને મળે છે અને હું આ બફર ને તોડતો રહું છું
હું એક ૨૦ માળ ની બિલ્ડીંગ ની ઉંચી અટારી પર હોવ, તમે તેની ૧૦ માં માળ ની અટારી પર અને તમારા ભાઈ નીચે ના ઓટલે બેઠા હોય. તમે જયારે દુર થી એક ટ્રક આવતી દેખો અને ફોન પર મને સમાચાર આપો કે તે આવે છે , ત્યારે તે તમારા માટે વર્તમાન છે પણ મારા માટે ભૂતકાળ અને વર્તમાન પણ ખરો, કારણકે મને કમશે કમ ૨ મીનીટ પહેલા તે દેખાયી હતી. અને તમારા ભાઈ ને કદાચ હજી ૫ મીનીટ પછી દેખાશે તેમના માટે તે ભવિષ્ય કાળ છે. એક વસ્તુ છે " ટ્રક આવે છે " તે અલગ અલગ વ્યક્તિ માટે અલગ કાળ કહેવાય છે. તમારી દ્રસ્તી જેટલી વધુ ક્લીઅર હશે એટલું વધુ સ્પષ્ટ દેખી શકશો. 
જેમની દ્રસ્તી નીચલી કક્ષાની છે તે ઘણી વસ્તુઓથી આવરાયેલી છે. જેની દ્રસ્તી ઉપર ની કક્ષા ની છે તે ઓછી અવ્રાયેલી છે. અને આ દ્રસ્તી જ કેવળ દર્શન માટે કારણભૂત છે. કેવળ જ્ઞાન એટલે ઝીરો આવરણ. તે જ ભૂત-વર્તમાન અને ભવિષ્ય જાની લે છે તેવું કહેવાય. હા કેવળ જ્ઞાન નો મતલબ એ નથી કે તે ને તમારા પાકીટ માં કેટલાની પરચુરણ પડી છે તે ખબર હોય. : કોરા ના દેજો કાગળ
પર્યાય એટલે માટીના કણમાં રહેલા પરમાણુઓ ભેગા થયીને લોખંડ બને, પછી સ્ટીલ બને , પછી વાસણ બને પછી ભંગાર બને છેલ્લે તેનું પાછું વિસર્જન થાય અને કણ બને . ત્યાં સુધીની યાત્રા. આ તમામ જગ્યા એ તે ઓરીજીનલી તો કણ જ છે અને કણની જ યાત્રા છે અને તેનાજ પર્યાય કહેવાય : કોરા ના દેજો કાગળ
ઘણા સમય , વર્ષો થી "પર્યાય" વર્ડ સાંભળેલો, આજે પર્યાય વર્ડમાં ભ્રમાંડ દેખ્યું...: આપ્તવાણી ના વાંચન દરમ્યાન ..
બિલકુલ સાચી વાત આપણી સ્વ દ્રવ્ય અને તેનાય પર્યાયો ... જગત આખાનું ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્ય નો અનુભવ.. અને તેમાં સ્વ નું સ્થાન અને તેય સ્વ ના પર્યાયો .... ઓહો ...ચૂપ રહીએ તો જ સારું એવું થાય ...
મેં એટલું જાણ્યું કે પર્યાય વર્ડ નો મતલબ શું. અત્યાર સુધી એમ માનતો હતો કે પર્યાય " એટલે એના જેવા બીજો વર્ડ" ...પણ પર્યાય નો મતલબ એ છે કે ...ઉદાહરણ તરીકે...પ્રાંત ,સવાર,મધ્યાહ ,બપોર,સંધ્યા સાંજ,રાત્રી વગેરે એ દિવસ ના પર્યાય કહેવાય. એમજ શિશુપણ ,બચપણ, યુવાની આડેધ બુઢાપો ,વૃદ્ધ વગેરે જીવનના પર્યાય છે. જીવન સતત ગતિશીલ છે જો તેને કાળ ના પરિમાણ સાથે જોવામાં આવે તો એક વસ્તુ ...બીજા પર્યાય માં પ્રવેશે છે ...વસ્તુ એજ હોય છે પણ તેના પર્યાય બદલાય છે. અઈન્સ્તૈન જે સાપેક્ષતા નો નિયમ કહ્યો તેનાથી ય ઉપર ના લેવલ નો એક આ વર્ડ છે ... પર્યાય ...
જે ખુરશી માં આપણે બેઠા છીએ તે સ્થિર આપણા માટે છે ...પણ તે ખુરશી જે જગ્યા પર છે તે ધરતી નો તે ભાગ કલાક ના હજારો કિલોમીટર ની ઝડપે ફરે છે પણ બ્રહ્માંડ માં પાછું તે સ્થિર કહેવાય છે. પણ તે બ્રહ્માંડ પાછું વિશ્વ ની સાપેક્ષતા માં કલાક ના કરોડો કિલોમીટર ની ઝડપે ફરે છે .... આ પર્યાય જેમ દુર જઈએ તેમ એકજ લાગે તોયે તે એક નથી ..
પર્યાય એટલે વસ્તુ કે જીવ સમય ના એક ભાગ માંથી બીજા ભાગ માં જાય અને જે સર્જાય તે તે વસ્તુ ના કે જીવન પર્યાય કહેવાય.

ઉપવાસ અને અનશન માં ફેર છે. પોતાના આત્માની સાથે વાસ કરવો તે ઉપવાસ અને ભૂખ્યા રહ્યીએ તે અનશન. ઉપવાસ આત્મા/માનશીકતા ક્લીન કરે અનશન શરીર ક્લીન કરે. ઉપવાસ હકારાત્મક છે અને તેમાં કશુક થાય છે. અનશન નકારાત્મક છે અને તેમાં કશુક કરવાથી દુર રહેવાનું છે.
ઉપવાસ માં ભુખને ભૂલી જવાય છે,અનાશનમાં ભુખને મારી નાખવાની હોય છે. ઉપવાસ ના સોદા ના થાય, અનશન માં હોઈ સકે. ઉપવાસ માં આનદ છે, અનશનમાં હઠ છે.

Samayik : A posture taken to see,
What you had yesterday and not today &
What you didn't had y'day and have today.


સ્મસાન માં કોઈને વળાવવા જતી વખતે આપણે એક બફર આપણાં માટે બનાવી લઈએ છીએ કે આ ભલે ગયા, આપણને કઈ નહિ થાય .
જયારે બુદ્ધે સારથી ને પૂછ્યું કે શું હું પણ એક વાર મરી જઈશ? સારથી એ કહ્યું હા, અને ત્યાજ બુદ્ધનું તે બફર નીકળી ગયું, પણ સારથી નું નહોતું નીકળ્યું. જે સારથીના વાક્યોએ બુદ્ધને દિશા બતાવી તે સારથી ત્યાને ત્યાજ રહ્યો. સુવિચાર મને મળે છે અને હું આ બફર ને તોડતો રહું છું
જુઓ ભાઈ હજી કેટલાય લાખો કરોડો આદિવાશીઓ એવા છે કે પ્લેન જેવું કઈક ઉડે અને તેની અંદર બેસીને એક જગ્યા એ થી બીજી જગ્યા એ જઈ સકાય તેવું માણવા તૈયાર નાં હોય. પણ તેનાથી હકીકત થોડી બદલાઈ જાય છે. ઠીક તેમજ, આપણે નાં જાણતા હોઈએ એવા આ દુનિયામાં કરોડો પ્રશંગો બને છે. જે રસ્તે આપણે નાં ચાલીયા હોઈએ એવા રસ્તે ચાલીને કરોડો લોકો સિદ્ધિને પ્રાપ્ત કરે છે. અને લાખો લોકો એ સિદ્ધિને પ્રાપ્ત કર્યા પછીય અશાંત હોય તેવું પણ બને છે.
આંખ બંધ કરી ભાળ્યું જગત ને નિર્દોષ,
ત્યારે જડ્યા મને અપરંપાર નિજ:દોષ

ગંજીફા ની રમત ની જેમ બાજી જોઈને પોતાના પાના ઉતરે છે. આ ક્ષણ નું તેનું વર્તન બીજી ક્ષણે વિરોધાભાસી હોઈ સકે છે. હજારો ની કતલ કરી નાખનાર ખુદ આત્મહત્યા કરી સકે છે. હજારોનો સંહાર કરીને છોડાવેલી પત્ની ને, એક ધોબીના વાક્ય પર તરછોડી સકે છે. અહી કશુજ અસક્ય નથી. પળ પળ પર બનતી ઘટના ,અને તે પર નો પ્રત્યાઘાત, બીજું કશુજ નથી પણ , એ પણ નાટક નો એક ભાગ જ છે.

પણ તે ઘટના ના પ્રેક્ષક બનેલા લોકો જ તેને સત્ય કે સત્ય ના વાઘા પહેરાવવા તલ પાપડ રહે છે. અને તે પણ નાટક નો એક ભાગ જ છે. તેઓ ના ભાગે તે પ્રેક્ષક નું પાત્ર આવેલું હોય છે. 

શિહ હરણ નો શિકાર કરે તો તેને હત્યા કરી તેમ ના કહેવાય તે તેની મજબુરી છે કે તેને તમારી જેમ ઘાંસ કે શાક ખાતા નથી ફાવતું. જો તમે તેને હરણ નો શિકાર નહિ કરવા દો તો તમને હત્યા નું "પાપ" લાગશે. :) આ કુદરત ની સાયકલ છે. સિહ પણ હુમલા બે પ્રકારે કરે છે એક પોતાના ભોજન માટે અને બીજો પોતાના રક્ષણ માટે. તેવી જ રીતે,તમારા માટે જે વસ્તુ અસત્ય છે તે સામેની વ્યક્તિ માટે સત્ય અથવા સમય ની માંગ હોય છે. 

તેથી, આ જગતમાં કોઇજ દોષિત નથી. બધા જ નિર્દોષ છે અને બધાજ પોત પોતાના અસ્તિત્વ માટેનો સંગ્રામ લડી રહ્યા છે. જો તમે તેમના રસ્તામાં વચ્ચે આવશો તો તમારે પણ તેમનો સામનો કરવોજ પડશે
ભાર દઈ ને કહું છું ઈશ્વર છે પણ તે કોઈ જંતુ,જાનવર, મનુષ્ય, દેવ કે દેવતા નથી અને કોઈની લાગવગ ચલાવતો નથી. તમારા સારા કર્મની પણ નહિ અને ખરાબ કર્મ ની પણ નહિ. તે બધું તો તેના નિયમો થી જ ચાલે છે અને તેને કહેવાય છે વ્યવસ્થિત શક્તિ. ગમે તેવો મોટો તીર્થંકર, દેવ કે દેવતા પણ કેમ ના હોય તેની સત્તાની બહાર કશુજ નથી. 
તેજ સાગર રચે છે...સાગર ના પાણી માંથી વાદળ રચે છે તે જ ઉપર લઇ જાય છે તેજ પર્વત બનાવી તેને રોકે છે...તેજ તેમાંથી વરસાદ વરસાવે છે ...તેજ તાપ વરસાવે છે તેજ ઠંડી વરસાવે છે...તેજ હશે છે તેજ રડે છે, તેજ ફૂલે છે તેજ ફાલે છે, તેજ સુખી છે તેજ દુખી છે. તેના માટે તમે જેવા છો તેવા જ સમગ્ર બ્રહ્માંડ ના કણે ક્ણ છે... તેજ આમ કરે છે તેજ તેમ કરે છે તેમ છતાંય તે મુનીમ નથી.... ને કોઈનો હિસાબ રાખતો નથી ...તે કરતાપદે નથી.. તે સાક્ષી ભાવે છે. તોયે તેની નજરમાં જો તમે એક નાનકડી કીડી ને તેના રસ્તા માં આંતરી હશે તો તે તમારા અંતરાય કર્મ તરીકે નોધાયી જશે : મને મોક્ષ ઉછીનો આપો

જો તમને કેવલજ્ઞાન જેવું કઈક મળી જાય તો ભૈસાબ, મહેરબાની કરીને તેને બીજા ઉપર ઠોકી બેસાડવાનો પ્રયત્ન કરશો નહિ અને આશા પણ ના રાખસો કે બધા તેને અનુશારે. કારણકે હવે આ દુનિયા તમારામાં ઉભા થયેલા એક વધુ સોક્રેટીસ કે જીસસ ને ગુમાવવા નથી માંગતું ... આપણે ખાનગીમાં વાત કરીશું.. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો
. આવનારી પેઢીનું વિચારવું એટલે Horizontal પ્રગતિ, અને આવનારા ભવનું વિચારવું એટલે verticle પ્રગતિ. 

.કોઈ એક ગાલ પર તમાચો મારે તો 
બીજો ગાલ ધરવાની વાત કરે તો તે તમને અહંકારી બનાવી દેશે,
ગમ ખાઈ જવાનું કહેશે તે તમને ક્રોધી બનાવી દેશે.
સામાયિક કરવાનું કહેશે તે તમને યોગી બનાવી દેશે.
અને સહજ રહેવાનું કહેશે તે તમને મુમુક્ષુ બનાવી દેશે. નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો

. દયા ખાવી તે અહંકારનું જ પહેલું પગથીયું છે અને કરુણા "થવી" તે કેવલજ્ઞાન નું


Ramayan
"રામાયણ ....પ્રજામાં પણ બહારથી જ સ્વીકાર્ય છે અંદરથી નહિ, નહીતર "કોઈના ઘેર રોજની રામાયણ ચાલે છે" શબ્દો નો મતલબ ખુસ્નુંમાં વાતાવરણ થતો હોત, કંકાસ કે કલેશ નો નહિ. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો"
"તે વખતે ( રામાયણ) શું સારા જ્યોતિષવિદ્દ નહિ હોય...? બધાયે શુભ મુહરત/ ચોઘડિયું જોઇને દિવસ નક્કી કર્યો હતો...પણ કૈકયી એ કઈ નું કઈ કરી નાખ્યું ને !?!? ...માટે હે રાજન... તું તારા દિમાંગથી ચાલ અને પોતાના નસીબના વાંક કાઢતો બંધ થા.. તુજ તારા દિલનો દીવો થા.. :મને મોક્ષ ઉછીનો આપો"

"રામાયણ, એ તો ઉમર લક્ષી, અને દરેક જુવાન પેઢી વડીલો ની સામે બંડ પોકારી ના સકે અને આવનારી પેઢી વડીલો સામે ક્રાંતિ ના સર્જે તેના માટેની વ્યવસ્થિત સર્જાયેલી વાર્તા હતી.. અને ત્યાર પછી કોઈ બેટો પોતાના બાપ ની અન્યાયી વાત સામે અને નાનો ભાઈ પોતાની પત્ની નો પક્ષ લઇ શકતો નહિ કારણકે રામાયણ વચ્ચે આવતી.હવે કોઈ પાનના ગલ્લે થતી ચર્ચાથી દોરવાઈ જઈને પોતાની ગર્ભવતી પત્ની ને જાકારો નથી..અને આ છે ક્રાંતિ ની સરુઆત ...:મને મોક્ષ ઉછીનો આપો"
"હા, એને કર્યું તે બરાબર હશે...તેના માટે લખમણ જેવો પતિ અને ઉર્મિલા જેવી પત્ની અને એ બંને જેવી બુદ્ધી આપણામાં હોવી જોઈએ...અને પત્ની કરતા મોટાભાઈ પ્રત્યે ની લાગણી એવી હોવી જોઈએ ....આપડે હવે એની કોપી શું કરવા કરવી...આપડે આપણી પત્ની ને સંભાળો ને ભાઈ ભાઈનું સંભાળશે .... નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો"
"ભાઈ... અત્યારની વાત કરો... રામ જેવા થવાની જરૂર નથી... અરે પત્ની ઉપર પણ વિશ્વાસ રાખો.ધોબીઓની ગોસિપથી દોરવાસો નહિ..કોઈની ગેર વ્યાજબી વાતને ... ખાલીપીલી અનુમોદન આપવાની કોઈ જરૂર નથી પછી ભલે તે સગા બાપની હોય...હિમત રાખો અને સત્યની પડખે ચાલો અને તેના માટે પબ્લીકનો સામનો કરવો પડે તો તૈયારી રાખો. ... એવા મર્યાદા પુરશોતમ બનવાની કોઈ જરૂર નથી... તમે જેવા છો તેવા સહજ રહો...તો મોક્ષ મળશે... નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો"
"જુઓ ભાઈ, બધે એવું નથી...આ સાધુ, મહારાજ, મહંત, બાવા ફકીર માંથી કેટલાક તો સોદાગરો હોય છે. ... તેઓ સંસારને એટલા માટે છોડે છે કે સામે મોક્ષનો સોદો પાર પડવો હોય છે.. તેમણે સંસારની સામે મોક્ષનો સોદો કરવો છે. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો."

પ્રકરણ ૧ મારા નિયમે મારો ધંધો


મારું નામ મોહતી, મને ૧૦.૩૦ વાગ્યાનો ટાઈમ આપ્યો છે.  દરવાજો ખોલતા જ આંગટુકે, દરવાજાની જમણી સાઈડ પર આવેલા રીસેપ્શન ટેબલ પાસે આવીને, પોતાનું વીઝીટીંગ કાર્ડ આપતા કહ્યું.
-------
ડીમ્પલે એક  વર્ષ પહેલા  આ ઓફીસ જોઈન કરી હતી.સામાન્ય બી.કોમ. કર્યાં પછી બિઝનેસ સેક્રેટરી માટેનો શોર્ટ ટર્મ કોર્ષ કર્યાં પછી એણે ઘણી જગ્યા એ ઇન્તેર્વ્યું આપેલા. મોટે ભાગે બધી જગ્યા એ થી એણે અપોઈન્ત્મેન્ત લેતેર મળી જતો. એ અપોઈન્ત્મેન્ત લેટરમાં તેની શૈશણીક લાયકાત કરતા, શારીરિક લાયકાત જોકે વધુ ભાગ ભજવી જતા.

છેલ્લે, ડીમ્પલ એક કાપડની મિલમાં સેક્રેટરી તરીકે કામ કરતી હતી. કહેવાય છે કે સ્ત્રી ને કુદરતે એવી શક્તિ આપેલી છે કે પુરુષની આંખમાં આવેલા એક ડીગ્રીના ફેરની પણ જાણ થયી જાય છે. ડીમ્પલ પણ એજ સ્ત્રી હતી. ધીરે ધીરે મેનેજર ની આંખમાં આવેલા ફેરફાર ને ના ઓળખી સકે તેવી તે અબળા નહોતી. ઘણી વખત તેને સર્વિસ બદલી નાખવાના વિચારો આવતા. એણે સ્વીકારનારાઓ ની કોઈ કમી નહોતી તે પણ તે જાણતી હતી. વળી તે એ પણ જાણતી હતી કે તેને સ્વીકારનારાઓ તેની કયી અય્કાતના કારણે તેને અપોઈન્ત્મેન્ત લેટર આપે છે. અહી પણ એજ હાલત હતી પણ ફરક એટલો જ હતો કે આ મેનેજર , જોકે સ્વભાવે ગભરુ હતો અને આંખોએ કરેલા ભોજનથી સંતોષાઈ જતો.  ડીમ્પલ એમની અમુક હરકતોને ગણકાર્યા વગર એનું કામ કરતી રહેતી.

એક દિવસ બન્યું એવું કે મેનેજર, ડીમ્પલની આ ગણકાર્યા વગર કામ કરવાની રીતને, ડીમ્પલની મજબુરી અથવા તો "મુગા હકાર" સમજી બેઠો. કાપડની મિલનો એ મેનેજર એ દિવશે,ડીમ્પલ જોડે કપડા કાઢવાનો વેપાર કરવા બેઠો. ડીમ્પલ તરત જ નોકરીનો સોદો ફોક કરીને નીકળી ગયી.

બીજા રવિવારે, મુકેશની લીઓ કન્સલ્તાન્સીની વોક-ઇન-ઇન્ર્વ્યું માટેની જાહેરાત આવી. અને તે સવારે સૌ પ્રથમ આ ઓફિસમાં આવી ચઢી. મુકેશ અંદર લગાડેલા સીસીટીવી કેમેરાની મદદથી થોડાક સમય એની વર્તણુંક પર નજર રાખી, કેબીન માં ઇન્ટરવ્યુ માટે બોલાવી.

ગુડ મોર્નિગ સર,

ગુડ મોર્નિંગ ડીયર, કહી ખુરશી પર બેશવા માટે કહેવા હાથ ખુરશી તરફ લંબાવ્યો.

"ડીયર" શબ્દ  સંભાળતા જ તે અસ્વસ્થ થવા લાગી. ઘણી કંપનીમાં ઇન્ટરવ્યું આપવા આ પહેલા તે ગયેલી અને કેટલાય પ્રકારની નજરોનો તેને અનુભવ હતો. લોકો નજરના ભોજનથી અટકી જતા પણ આમ ડાયરેક્ટ ,"ડીયર" શબ્દ પર આવી જવાનો તેને આ પહેલો અનુભવ થયો. ક્ષણભરના ક્ષોભ સાથે તે સ્વસ્થ બનવાનો પ્રયત્ન કરીને તે ખુરશી પર બેસી ગયી.

મુકેશ, ડીમ્પલના શરીરમાં થયી રહેલા ડીગ્રીના વળાંક ને દેખી ને મૂછમાં હસ્તો હતો.

સર, મારો બાયો ડેટા... સાથે લાવેલી પ્રોફૈલ્રર બેગ માંથી, સ્તેપ્લર માંરેલા બે કાગળને કાઢીને ટેબલ પર મુકતા તેને કહ્યું.

હા,બાયો  ડેટા.. હહમ ...કહેતા મુકેશે વાંચવાની શરૂઆત કરતા કહ્યું.
મેરેજ નથી થયા...
"છેલ્લી સર્વિસ હમણાજ જોઈન કરેલી ... "
"ડીયર , સર્વિસ માં કોઈ પ્રોબ્લેમ થયેલો ?"  સી.વી. માંથી માથું બહાર લાવી,સી.વી.ને ટેબલ પર મુક્ત પૂછ્યું.

ડાયરેક્ટ આવો અણધાર્યા સવાલ, આ પહેલા કોઈ ઇન્ટરવ્યું માં પણ પુછાયો નહોતો. ડીમ્પલ સ્વસ્થ થવાનો યત્ન કરીને "હા" કહેવા માંગતી હતી. પણ મુખે થી "હા" બોલાય તે પહેલા જ એના ચહેરા અને આંખના ઈશારા થી હા પડાઈ ગયી.

એની હા ના ઈશારાની પહેલેથી જાણ  હોય તેમ તે ઈશારા તરફ જોયા વગર, ગણકાર્યા વગર જ મુકેશે તરત બીજો પ્રશ્ન કર્યો.

"અહી પણ એવું થશે એવું લાગે છે ? "

હવે ડીમ્પલ, રીતશર ની ડઘાઈ જ ગયી. કોઈ પણ પ્રકારના હાવભાવ કરવાની, એની હોંશ રહ્યી નહિ. ડીમ્પલની આ ચેષ્ટાઓ જોઈને,ચહેરા પર હળવા હાસ્ય સાથે, સી.વી. ટેબલ પરથી ફરી ઉપાડતા કહ્યું..

"ડીમ્પલ ડીયર, તારા સીવીમાં લખેલી શૈશણીક લાયકાતો કરતા તારી શારીરિક લાયકાત વધુ ભાગ ભજવી જાય તેવું બને. ભૂતકાળ માં ઘણી જગ્યાએથી તને હકારમાં જવાબ મળ્યા હોય તેવું બનવા જોગ છે. તુ અહી જે ગભરાટમાં બેથી છે, તેમાંથી પહેલા રીલેક્ષ થયી જા. મારે તને સેક્રેટરી કે રીસેપ્શનની પોસ્ટ માટે આમેય કોઈ સવાલો કરવાના થતા નથી. કારણકે તારી વર્તણુંક પર તુ ઓફિસમાં આવી ત્યારથી, મારી નજર છે જ." મુકેશે સીસીટીવી ના સ્ક્રીન તરફ હાથ દર્શાવીને, ખુરશી માંથી ઉભા થયીને ખુરશીની પાછળ હાથના ટેકે ઉભા રહ્યીને હસતા હસતા, ડીમ્પલના ગભરાટ ભર્યા ચહેરા પર એકીટશે  નજર રાખતા કહ્યું.

ડીમ્પલ ના ચહેરા પરથી ગભરાટ હજી ગાયબ થયો નહોતો. પણ એણે ય શું બોલવું તે કઈ સમજાતું નહોતું.  શું કરવું તે સમજાતું નહોતું.

 " સર મેં એલ.એલ.કોલેજ માંથી બી.કોમ કર્યું અને ત્યાર બાદ બિઝનેસ સેક્રેટરીનો કોર્ષ ભવન્સ માંથી કર્યો છે."  છેવટે હિમત કરી એક જ શ્વાસે તે સ્વસ્થ્થા પ્રાપ્ત કરવાના પ્રયાસ ના ભાગ તરીકે તેણે મો ખોલ્યું.

"હા, મેં તમારા બાયો ડેટા માં જાણ્યું. જોકે તેને સીવી કહેવાય , બાયો ડેટા તો તમારા ભૂગોળ અને ઈતિહાસ વિષે ની માહિતી લખેલી હોય તેને કહેવાય. " મુકેશ એજ લહેકામાં હસતા હસતા, આ ગભરૂ ડીમ્પલ પર ઘા માર્યા કરતો હતો.

"હા, સર સોરી, બાયો ડેટા બોલવાની ટેવ પડી છે એટલે " ડીમ્પલ પહેલી વાર થોડાક મલકાત સાથે પોતાના શબ્દો બોલી શકી. ડીમ્પલ, મુકેશના હાસ્ય પર  નજર પડતા, હવે સમજી ચૂકેલી કે સામે ઉભેલા સર, મજાકના મૂડમાં છે. કારણકે ડીમ્પલ પણ એક સ્ત્રી હતી અને મુકેશની આંખોમાં અને તેની ડીગ્રીના ફેરફારોને ઉકેલી શકેલી અને એને ત્યાં સાપોલીયા ને બદલે હાસ્ય રમતું દેખાયી રહ્યું હતું.  ત્યારે હોઠ પરના હાસ્ય અને આંખમાં રમતા હાસ્ય ની એકતાનો એણે અનુભવ થયો.

ઈટ્સ ઓકે. ... બોલો ક્યારથી જોઈન થયી શકશો ? મુકેશે ફરીથી સીવી ના કાગળ હાથમાં લેતા કહ્યું.
" તમારી આંખોના ઈશારા પણ હું સમજી સકુ છું. મેં દુનિયા જોઈ છે અને તમારા જેવી ઘણી છોકરીઓને પણ. તમને જેમ મારી આંખો સમજતા આવડે છે તેમ મને પણ તમારી ગભરાટ ને સમજતા આવડે છે. લાગે છે કે તમે અહી સારી રીતે તમારી શારીરિક તેમજ શૈક્ષણિક લાયકાતનો ઉપયોગ કરી શકશો. "

" એટલે ... સર??? હું સમજી નહિ..." હવે તેની વાતમાં ગભરાટ નહોતો સીધો સવાલ હતો જે સહજ હતો.

"એટલે એમ કે તમે અહી રીશેપ્શ્નીસ્ત કમ સેક્રેટરી તરીકે કામ કરશો. આ કન્સલ્ટન્સીનો બિઝનેસ છે. મારી કન્સલ્ટન્સી થોડીક વિચિત્ર છે. તેમાં ઘણી વાર તમારા ખુબશુરત ચહેરાનો તથા તેની પાછળ રહેલા હાસ્યનો ઉપયોગ, હું ગ્રાહકોને ઠંડા પાડવા માટે તથા રીલેક્ષ રાખવા માટે કરીશ. "

" સર, હું થોડુંક થોડુંક સમજુ છું પણ કદાચ મારી જાતે બંધ બેસતી પાઘડી પહેરવા માંગતી નથી.. પણ આપ હજી થોડોક ફોડ પાડો કે ગ્રાહકો ને ઠંડા પાડવા એટલે શું. ગ્રાહકો ને ગરમ કરવા એવા શબ્દો મેં સાંભળેલા છે"  મુકેશના ત્રસ્ન્પરાંત શબ્દો ની સામે હવે ડીમ્પલના શબ્દો પણ ટ્રાન્સપરંત થવા લાગેલા.

"હા, એનો મતલબ એ કે આ ઓફિસમાં આવેલી કોઈ પણ વ્યક્તિ કોઈ ને કોઈ મુંઝવણ માં મુકાયેલી હોવાની. કોઈ ને કોઈ તકલીફ માં હોવાની. હું એમની તકલીફો દુર કરવા કોઈ કોર્ષ નથી કરી આવેલો. હું ફક્ત કોમન સેન્સ અને માનવીના મનની અમુક ચાવીઓ લઈને આ કન્સલ્ટન્સી ચાલવું છું. મુખ ઉપરનું મારું રમતિયાળ હાસ્ય, મુઝ્વણથી ઘેરાઈને આવેલા વ્યક્તિની ૨૫% મુંઝવણને હળવી કરી નાખે છે. બોલો તમને પણ મારા આ હાસ્ય થી ફેર પડ્યો કે નહિ? " હાથમાંના કાગળને બીજા હાથપર મારતા મારતા તે ફરીથી ખુરશીમાં બેશતા મુકેશે કહ્યું.

"હા, સર પહેલા આપણા સવાલોથી, હું થોડીક ગભરાઈ ગયેલી"  ડિમ્પલે ફરીથી ચહેરા અને આંખના ઈશારા થી હા કહ્યી પણ આ વખતે તેના હોઠ પરના હાસ્યનો પણ સાથ હતો. " પણ મારો જવાબ પુરો મળ્યો નહિ" હવે ડીમ્પલ સંપૂર્ણ રીલેક્ષ થયી ચૂકેલી. અને જાણે પોતાના બોસનો જ કોઈ એક હુકમ પુરો સમજવાનો હોય તેવી સ્વસ્થ્થાથી તેને સવાલ કર્યો.

" બસ, હું જે કરું છું તે જ તારે અહી આવેલા ક્લાયન્ટ સાથે કરવાનું. એ આવે ત્યારે તેને આપણા ચહેરા પર હાસ્ય દેખાવું જોઈએ. અને ૯૦% પુરુષોને સ્વભાવ ગત તારા જેવી સુંદર યુવાન છોકરીઓને દેખીને થોડીક ઠંડક વડે છે. અને તે વધુ રીલેક્ષ થયીને વાતો કરતા હોય છે. અને જયારે ક્લાયન્ટ રીલેક્ષ થયીને વાત કરે ત્યારે ઘણા ખરા જવાબો એમની વાતમાંથી જ મને મળી જતા હોય છે. " : મુકેશ ફરીથી, હાથમાં પેન ને આંગળીઓ વચ્ચે નચાવતા, ખુરશીમાંથી ઉભા થયીને પાછળ જતા કહ્યું

" પણ મને લાગે છે કે હોટલની રીશેપ્શ્નીસ્તની જેમ ખાલી ખાલી હોઠ પર હાસ્ય ફરતું રાખવું તેનથી ક્લાયન્ટને બહુ ફાયદો નહિ થાય. " :ડીમ્પલ હવે વધુ રીલેક્ષ થવાની ચેસ્થા કરતી હવે પગ પર પગ ચઢાવીને અને એક હાથને ટેબલ પર ટેકવીને મુકેશના ચહેરા સામે નજર મેળવી ને કહ્યું.

" હા, હવે કૈક વાત થયી.. આ તારો આસ્લી સવાલ કહેવાય. " ફરીથી ખુરશી માં બેશતા મુકેશે કહ્યું.
" આપણે ખાલી ખાલી નહિ, ખરેખરે દિલથી પ્રાથના કરવાની છે કે આ ઓફીસના ઉબરે આવેલ દરેક વ્યક્તિનું ભલું થાવ. આપણે કોઈની જોડે છેતરપીંડી કરી શકીએ તેમ નથી. તુ જયારે બહાર રિશેપ્શન ટેબલ પાસે બેથી હતી ત્યારે તારા પગ વગર કારણે તુ ઉંચા નીચા કરતી હતી. મેં તને આ કેમેરામાં જોઈ હતી. ત્યારથી મેં પણ મનમાં એવું નક્કી કર્યું કે તારા કરતા વધુ લાયકાત વાળી કે સુંદર છોકરીઓ ભલે આવશે , તુ કોઈક મુશીબત માંથી આવેલી છું એટલે તારું ભલું થવું જોઈએ અને તને જો ઠીક લાગે તો આ સર્વિસ માં તને પહેલો પ્રેફરેન્શ આપવો ...આમેય તુ પહેલી આવેલી છું"

" તુ થોડાક વખત અહી કામ કરીશ તો હોટલ ના રિશેપ્શન અને અહી ના રીસેપ્શન વચ્ચેનો અર્થ સમજી શકીશ. "  મુકેશે આંખ માં આંખ મેળવી ને કહ્યુ.

ડીમ્પલ થોડીક વાર સુધી એક ધાર્યા વાક્યો બોલતા મુકેશને જોઈને થોડીક ભૂતકાળમાં લટાર મારી આવી.
અને પછી ચેહેરા અને આંખના ઈશારાથી હા કહ્યું અને બોલી " યસ સર સમજી ગયી "

" તો ડીયર, ક્યારથી જોઈન થયી શકીશ ?"
" સર તમે "ડીયર" ના કહો તો સારું મને મુંઝવણ થાય છે "
"કેમ એ તો બહુ સારો શબ્દ છે મને વહલો શબ્દ છે... તે કેવો આત્મીય શબ્દ છે એવું નથી લાગતું? "
" સર હું અત્યારે વધુ નહિ કહું...પણ હું બે દિવસ માં જોઈન કરી શકીશ ..."
" ઓકે તમારી એક્શ્પેક્તેષણ શું છે ?"
"જે તમારી કંપની ની પોલીસી હોય તે "
"કંપની ની પોલીસી ? નારે ડીયર એવી કોઈ પોલીસી નથી... અહી આ કંપનીમાં છીએ પણ કેટલા હું અને બીજા ત્રણ જણ અને તમે પાંચમાં એમાં પોલીસી જેવું કઈ નથી "
" સર,મને નહિ ખબર પડે "
" કેમ એવું લાગે છે કે વધારે કહીશ તો હું ના પડીશ અને ઓછી કહીશ તો તને નુકશાન થશે ? એમ "
" સર આમતો હા ..પણ, હવે તમારી સામે હું જુઠ્ઠું નહિ કહી સકુ"
"એતો એવું જ હોય... સામે વાળાને સાચું બોલવાની મજા આવે તેવું જ રહેવાનું .... સારું છેલ્લી તારી સેલેરી સ્લીપ લાવજે,તેના કરતા ૨૫% વધારે મળી જશે"
" ઓહ સર, થેન્ક્સ ...થેન્ક્સ...

-------------




Monday, October 31, 2011

બગાશું ખાતા પતાશું મળ્યું.

 કચ્છ ની ટૂર પર અમે નીકળી પડેલા... ગૂગલ ના મેપ્સ ને ધ્યાન માં રાખ્યા હતા અને તેમાં દર્શાવેલા રસ્તા અને વાહન વ્યવહાર પર મદાર રાખીને બીજા કોઈ ભોમિયા વગર, ભમવા નીકળેલા. જે જગ્યા એ રસ્તો દેખાડેલો ત્યાં રસ્તોજ ના નીકળ્યો. ૪૭ કિલોમીટર નો રસ્તો ૨૭૫ કિલોમીટર લાંબો નીકળે ત્યારે પ્રવાસીઓ ની જે હવા નીકળે તેવી નીકળેલી. રાત વેરાન વગડામાં મંદિર ની અટારીમાં સુઈને કાઢવી પડે અને કાઢી. ૧ કલાકની ટુંકી મુલાકાત નક્કી કરી હોય ત્યાં ૧ રાત કાઢવી પડે તેય કાઢી. પણ તે વધેલા કલાકમાં શું કરવું? 
બસ પછી તો એ સ્થળનો ઈતિહાસ ફંફોળવા બેઠા. અને તેમાજ આવું બગાશું ખાતા પતાશું મળી ગયું.
મુદ્દાસર વાત.
ગુગલ મેપ ના આધારે અને નરેન્દ્રભાઈ મોદી ના વરદ હસ્તે ખુલ્લું મુકાયેલ હોર્ડિંગમાં લખાણ અનુસાર, ક્ત્ચ્છ નો કાળો ડુંગર અને ધોળાવીરા ૩૭ કિલોમીટર દુર છે. પણ તે રોડ-રસ્તે ૨૦૦ કિલોમીટર કરતા પણ વધારે દુર નીકળ્યું. રાત્રે કાળા ડુંગર નો સૂર્યાસ્ત દેખવાની લાહ્યમાં અમે રાત્રે ત્યાં પહોચી ગયા.અને ત્યાં મજા આવી પણ નીકળતી વખતે ખબર પડી કે ધોળાવીરામાં ગુજરાત ટૂરિઝમના "તોરણ" માં બુકિંગ કરીને રાત રોકવાના અમારા સ્વપ્ન,કાચની બારીને, ગલીના કોઈ ટાબરિયાનો છગ્ગો મારવાનો પ્રયાસ થાય ને તેનો ફટકો મરેલો બોલ અથડાય ને એ કાચની જે હાલત થાય તેવી હાલત અમારી થયી. રાત ત્યાજ રોકાઈ જવું પડે તેવું થયું. દત્ મંદિર ની ખુલ્લી અટારીમાં,ડુંગર પરની ઠંડીમાં લંબાવી દીધું.

બીજા દિવશે સવારે બાપુ તો ડુંગર ને ફેદવા નીકળ્યા. કોઈ ભોમિયો નહિ ...બધા કહેતા કે આ કત્ચ્છ પહેલા દરોયો હતો અને આ ડુંગર પણ દરિયો હતો ..હિમાલય ની જેમ... પણ બાપુ સાબિતી આલો ... ગયા વર્ષે રાજસ્થાનમાં જેસલમેર ગયા હતા ...અને ત્યાં મીલીયન વર્ષના ઝાડના અવશેષોને સાચવી રાખેલા અને રાજસ્થાને તેને પર્યટન સ્થળ તરીકે પન્કાવેલુ એ નાનકડી સાબિતીઓ ને રક્ષિત કરીને. એટલે મને થયું કે ઉત્સવ પ્રેમી,અમારા નરેન્દ્રભાઈની નજરમાંથી તો એ ગયુ જ ના હોય. મને થયું કે લોકો કહે છે કે આ દરિયો હતો તો એવા અવશેષ અહી પણ હશેજ ને ? અને હોય તો ગુજ. સરકાર રાઈ નો પહાડ કરીનેય સુરક્ષિત રાખ્યુંજ હશે ને ? ત્યાં ના મંદિર ના વ્યવસ્થાપકો ને વાત કરી જોઈ. એ બધાને ત્યાનીતો ખબર નહોતીજ (કાલા ડુંગરની) પણ ધોળાવીરા માં પણ ખાડા ખોદયા છે બીજું કશુજ જોવા જેવું છે નહિ તેવી ઉલટાની તેમણે વાત કરી ...ત્યારે એક આઘાત લાગી આવ્યો...
મને ખબર પડી ગયી કે હવેજે કરવાનું છે તે માંરેજ કરવાનું છે. અને પછી પથ્થરોને શોધવા નીકળી પડ્યો. મામા-ફોઈ ભાઈઓ બધાને કહ્યી દીધું કે આવું આવું દેખાય તેવા પથ્થર મળે તો કહેજો ... બધા ટ્રેકિંગ કરતા કરતા અંદર ગયા પણ પછી થાકીને પાછા આવ્યા. વાતાવરણ ખુશનુમા હતું એટલે મેં તેમને નાસ્તા પાણી-કરવા જવાનું કહ્યું અને બી.એસ.એફની કેન્ટીનમાં ચા-પીને પાછો નીકળી પડ્યો.. એ પથ્થરોની તલાશમાં ... કરોડ વર્ષના ભૂતકાળ ની કોઈ એક ડી ની શોધમાં.
અને છેવટે એ મળી પણ આવ્યા...એજ મંદિરની બહારજ ...
કાલા ડુંગરથી કુરન સુધીનો રસ્તો અને કેડી બનાવવા માટે, મજુરો જે પથ્થરો ને હથોડા મારી રહ્યા હતા તેજ પથ્થર એ દરિયો હતો તેની સાબિતી લઈને લાખો વર્ષ થી ત્યાં ઉભા હતા.. એજ પથ્થરમાં શંખ, છીપલા, સેવાલ ના અવશેષો મને મળી આવ્યા...લાખો વર્ષો થી સચવાયેલા..અને તેય પાછા કત્ચ્છ્નાં સૌથી ઉંચા સ્થળ પરથી અને પથ્થરોમાં સોસયેલા પાણીના અવશેષોને જોઈને હું ભાવાવેશમાં આવી ગયેલો ...કોણ જાણે ક્યારથી કત્ચ્છનું નામ આવતું અને મને આ ડુંગરોનું આકર્ષણ રહેતું... સી.એ. ના ક્લાસ માં પણ ઘણી વાર હું કચ્છ , માડાગાસ્કર, દરિયા , રણ વગેરે ની વાતો કરતો. ...
મેં એ મજુરોને વાત કરી કે આ પથ્થર ઘણા મહત્વના છે તોડશો નહિ... પણ મારી વાત કોઈ ધ્યાને ધરવા ત્યાર નહોતું...ત્યાંથી નીચે આવીને ખાવડા પોલીસ સ્ટેશન પર વાત કરવા ગયા ...પણ ત્યાની ...તેમની માંન્શીકતા દેખીને માંડી વળ્યું ... હશે ...જે પથ્થર તૂટ્યા પહેલા પડેલા ફોટા અહી કાલે અથવા સાંજે પોસ્ટ કરીશ... કેમેરા ની બેટરી ડીસ્ચાર્જ થયી ગયેલી એટલે મોબાઈલ થી પડેલા છે ...સેમસંગ ગેલેક્ષી પ્રો એ થોડોક સારો સાથ આપ્યો.
 — at kala dungar, kutch 














Wednesday, October 19, 2011

Occupy Wall Street Miracle vs Mirage


 ઓક્યુંપાય વોલ સ્ટ્રીટની મુવમેન્ટમાં એક મજાની વાત જોવા મળી. પેલી ભૂખ્યા જનોનો જઠરાગ્ની.. વળી વાત યાદ્દ આવી. એ આખું ટોળું પોતાના વાંકે જ હવે મરવા પડ્યું છે. ત્યાય ગાંધીજીના મોઢા નો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. ગાંધી હવે એટલો સસ્તો થયી ગયો છે કે કોઈ પણ ચળવળમાં તેમના ચહેરાનો ઉપયોગ કરતા થયી ગયા છે. ગાંધીના પ્રિન્સીપલસ ને નહિ માનનારાઓ પોતાના પગ નીચે રેલો આવ્યો એટલે ગાંધી માર્ગ અખત્યાર કરવા લાગેલા છે. ગાંધીના માર્ગે ચાલ્યા હોત તો, ગાંધી માર્ગે આ ચળવળ કરવાનીજ નોબત ના આવી હોત એ અલગ વાત છે. તેઓને ગાંધીએ નહોતું કહ્યું કે ઉધાર જીન્દગી જીવો. મને યાદ છે એક વખત વાત વાતમાં, ચાર્ટર્ડ એકૌન્તંત મિત્રો વચ્ચે મેં કહેલું  કે રીલાયંશ કંપની જે દીવીદંડ આપે છે તે ભવિષ્યમાં થનારા પ્રોફિટ માંથી આપે છે અને તે હવે પછી થનારા શેર્હોલ્દરની પીઠ પર છુપો ઘા કરે છે. ત્યારે એ મિત્રો મૂછમાં મારી વાતો પર હસતા હતા. એ વાત ને વર્ષો થયા પછી જયારે ચાર્ટર્ડ એકૌન્તંત ઇન્સ્તીત્યુંતે નવું એકૌન્તિંગ સ્તાન્દર્દ બહાર પડ્યું ત્યારે તેમની બોલતી બંધ થયી હતી. ફરીથી એજ વાત મને હવે યાદ આવે છે.. મેં જયારે જયારે મારા અમેરિકા ગયેલા વિદ્યાર્થીઓની જોડે ત્યાની રહેણી કરનીની ચર્ચા કરેલી ત્યારે આજ વાત દોહારાવેલી. પ્લાસ્ટિક ના ક્રેડીટ કાર્ડના અને બેંકની લોન ના જોરે ઉભી થયેલી ઇકોનોમીમાં,પામી લેવામાં આવતા  ક્ષણિક સંતોષની પાછળ, ભવિષ્યની મજુરી ઉઘાડી આંખે લખી આપીને તેઓએજ પોતાની કબર ખોદી નાખી છે. અને તેઓની આજ છેલબટાઉ અને ઉચ્છાન્ચલ વ્રુતિઓનો લાભ લઈને વોલ સ્ત્રિતની કંપનીઓ ખુબ કમાયેલી છે. હવે તેઓ પોતાની બેકારી માટેનું અને ગરીબીનું કારણ આ વોલ સ્ત્રિત કંપનીઓ ને ગણાવી જે અંદોલન ચલાવી રહ્યી છે તે હશ્યાસ્પદ છે.
શું દરેક ને જોબ આપવાનું અને તે મળી જાય તે દેખવાનું કામ સરકારનું છે? તો પછી જેમને કામ કરવું જ નથી તેઓનું શું કરવું?જો કોઈ વસ્તુની જ ડીમાંડ ઘટી જાય તો,પ્રોડક્શન શાનું કરશો? જે વસ્તુ નો કોઈ લેવલ ના હોય તે વસ્તુના પ્રોડક્શનમાં શું લોકોને જોતરી દેવાના? અને જો આ બધુંય સરકારે જ કરવાનું હોત તો અત્યાર સુધીના મુક્ત અર્થશાસ્ત્ર ના ફળ ચાખતી વખતે ક્યાં ગયા હતા? પોતાનું પ્લાન પોતે નહિ કરીને, અને સરકાર પર મદાર રાખીને લોકો એ બહુ મજા ઉડાવી છે. અમેરિકા એ બેકારોને પેન્શન અને ભથ્થા આપી આપીને દેવા ના ટોપલા ખડકી નાખ્યા છે અને લોકો ને હરામ હાડકા . આખી ઇકોનોમી ઉધાર બાજી પર રમાતી હતી. અહી મને એક કિસ્સો યાદ આવે છે જે મેં ૨૦૦૮ માં લેહમેન બ્રધર્સના ભોપાળા પહેલા, એવાજ ભોપાળા ભણી જઈ રહેલા રીયલ એસ્ટેટ માર્કેટને અનુલક્ષીને, મારા દોસ્ત અને એક વખતના ભારતીય ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીમાં માર્કેટ ગુરુ,કબીર મુલચંદાની સાથે કરી હતી.

..એક ટેબલ પર ચાર-પાંચ દોસ્ત સવાર અને સાંજે, જુગાર રમતા હતા. જે જીતે તે મોટે મોટે થી ખુશી વ્યક્ત કરતા, નાચતા, ગાતા અને ક્ષણિક આનદ પણ કરી લેતા. એક ની જીત બીજા ની હાર બનતી. પણ નિયતી એજ વખતે મુક રીતે હસ્તી હતી અને કહેતી હતી કે બેટમજી કરી લો મસ્તી તમને ક્યાં ખબર છે કે તમે જે જહાજ ના ટેબલ પર બેસી હાર જીત ખેલો છો તે જહાજ નું નામ ટાયટેનીક છે....
આ વાત ત્યારે મેં એટલે માટે કરી હતી કે આખાય ગલ્ફ ઇલાકામાં પ્રોપર્ટી નું ફાસ્ટ રોટેશન થયી રહ્યું હતું. એકના હાથમાં થી બીજાના હાથમાં પ્રોપર્ટી જાતી અને ભાવ વધી જતો. દરેક વ્યક્તિ પોતાના હાથમાં થી પ્રોપર્ટી જાય એટલે થયેલા પ્રોફિટ ને દેખીને રાજી થતો અને આવેલા ફદીઆંથી વળી પછી નવી પ્રોપર્ટી લેતા. ત્યારે તેઓ દુબઈમાં સૌથી મોટી રીઅલ એસ્ટેટ પ્રોપર્ટીની કંપનીઓમાંથી એકના માલિક હતા અને મેં સલાહ આપેલી કે આ આખું તાય્તેનીક છે અને આ બધા પ્રોફિટ અને લોસ ના આંકડા ખાલી ગણતરીના છે. આ જહાજ દુબે તે પહેલા, બંદર આવે ને ઉતરી જાય તે ફાવશે. અને મને તેમને સવાલ કરેલો કે તું ક્યારે ઉતરી જઈશ. મેં કહેલું કે આવતા મહિને જ. અને હું પીલ્લું વાળીને ઇન્ડિયા ભેગો થયી ગયેલો.
આખું અમેરિકા એ ટાયટેનીક નું જ ફરજંદ હતું. એ અત્યારે બખૂબી થી જાણ થયી ગયેલ છે. આજે આવક ની અસમાન વહેંચણીના મુદ્દાઓ આ અમેરિકાનો ના મોઢે સોભાસ્પદ નથી. આ ૯૦% માણશો દેખાદેખીના રવાડે ચઢ્યા ત્યારે ગાંધીજીના એક પણ રસ્તા ને ગણકારતા નહોતા અને આજે લપડાક વાગ્યા પછી એજ ગાંધીજી તેમની વહારે આવશે તેવી તેઓને આશા છે. ખેર, તેઓ પહેલાય ભ્રમમાં હતા અને અત્યારે ભ્રમમાં છે. મને એ લડત આગળ કેવા વળાંક લે છે તે જાણવું ગમશે. દાયકા પહેલા રશિયાથી સામ્યવાદ નો જે રકાશ થવા લાગેલો, તેવીજ રીતે મૂડીવાદી પરિબળો,અમેરિકામાં ધુળચાટતા થયી રહ્યા છે અને તેઓને હવે ગાંધીવાદી અહીન્ષાના પરિબળો ઉગારશે તેવી આશા છે.  આ બધું અક્રમ ચક્રમ લાગે છે.

સોનું ચાંદી કકડભૂસ


બરાબર એક મહિના પહેલા,અમેરિકાના સીકાગો માર્કેટ માં બુલિયન ટ્રેડર્સ પર કાબુ લેવા માટે ગોલ્ડ અને સીલ્વેરમાં ૨૦% અને ૧૫% નું અનુક્રમે માર્જિન વધારવામાં આવેલું. તેના  વાદે વાદે શાંઘાઈ માર્કેટમાં પણ ૨૦% નો વધારો સિલ્વરના મરજીન માં કરવામાં આવેલો. બુલિયન માર્કેટ આખી દુનિયામાં સટોડિયાઓના લાભ કાજે વર્ક કરે છે. અને લોભી વ્યક્તિઓજ મોટે ભાગે સટોડિયા બનતા હોય છે.લોભી વ્યક્તિ જ દુનિયામાં સૌથી મોટો જુગાર રમતો હોય છે.અહી હાલત લોકોની એવી થયી હતી કે ૧૦ રૂપિયા ની મૂડી પર ૧૦૦ રૂપિયાનો વેપાર કરનારા લોકો હતા અને તેઓને પ્રોફિટ કે લોસ્સ ૧૦૦ રૂપિયા ની મૂડી જેટલો થતો હતો. દેરીવેતીવ માર્કેટ નો મતલબ જ ઓછી મુડીએ બહોળો વેપાર જેના માટે અંગ્રેજીમાં લીવરેજ શબ્દ વાપરવામાં આવે છે. અહી જેવા માંરજીન વધારવામાં આવ્યા કે તરત તેની અસર લીવરેજ કરનારા (ઓછી મુડીએ બહોળો વેપાર કરનારા)ઓએ પોતાના બેંક ખાતામાંથી રૂપિયા ભરવાના આવ્યા. મોટે ભાગે ડેરિવેટીવ્ઝ રમનારા, સલામત જુગાર રમનારા,  પોતાની પાસે ૧૦૦ રૂપિયા પડ્યા હોય તો ૫૦ રૂપિયાના માર્જિન જેટલી પોઝીસન લેતા હોય છે. પણ અહી જેવો માંરજીન માં વધારો આવ્યો કે તરતજ આ જુગારીઓ ઊંઘતા ઝડપાયા.
જેઓએ આ ૫૦% જેવી લીમીટ કરતા વધારેનો જુગાર રમી નાખેલો તેઓએ પોતાની બાજીઓ સંભાળી લેવા ઉછીના-પાછીના કરવા દોટ લગાવવા માંડી. અને બીજી બાજુ એ માર્જીન ભરવાના કોલ પુરા ના કરી સકાય તો ચાલુ ભાવે તેમને પોતાની બાજીઓ ગમે તેટલી સધ્ધર લાગતી હોય (ત્રણ એક્કા ની બાજી હોય તોયે), તોયે ફોડી નાખવી પડે તેવી હાલત થયી. સામે ની સાઈડ પર, મોજુદા પરીસ્થીનો લાભ લેવા માટે, હજાર કેશ લઈને બેઠેલા માલે-તુજારોએ એ તૂટતા સોદાઓને પડતા પર પાતું મારવાનું ચાલુ રાખ્યું. અત્યારે મને એક વાત યાદ આવે છે મારા ઇન્વેસ્ટમેન્ટ ગુરુની કે
..ભરતી આવે એટલે ભલભલા,આજુબાજુનું જોયા વગર, નાહી લેવા કુદી પડતા હોય છે એતો ઓટ આવે ત્યારે ખબર પડી જાતી હોય છે કે કોણ કોણ ચડ્ડી પહેર્વાય રોકાયા નહોતા....  વાત અહી એજ થયી કે આખી દુનિયા ને ખબર પડી ગયી કે કોણ કોણ ચડ્ડીને નાડા લગાવ્યા વગર તેજીમાં પડેલા.